'અમે ઇચ્છતે તો વકફ (સુધારા)બિલ પસાર કરાવી શકતે પણ PM મોદી...', સ્મૃતિનું નિવેદન

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કહ્યું કે વક્ફ (સુધારા) બિલ, 2024 સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું છે. BJP નેતાએ કહ્યું કે, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે, તેના પર દરેકનો રાજકીય અભિપ્રાય લઇ શકાય અને મોટા પ્રમાણમાં નાગરિકો તેમના વિચારો વ્યક્ત કરી શકે અને પોતાનો દૃષ્ટિકોણ આપી શકે.

વકફ (સુધારા) બિલની રજૂઆત પર મીડિયા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'તે દિવસે અમારી પાસે ગૃહમાં સર્વસંમતિ હતી અને સંખ્યા પણ પૂરતી હતી. પરંતુ તેમ છતાં અમે સંયુક્ત સમિતિ માટે તેના પર વિચારણા કરી હતી, જેથી દરેક રાજકીય દૃષ્ટિકોણ અને સામાન્ય નાગરિકો JPC સમક્ષ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે, આવીને તેમના મંતવ્યો રજૂ કરી શકે.'

BJP નેતાએ આગળ કહ્યું, 'તેથી મને લાગે છે કે આ PM નરેન્દ્ર મોદી દ્વારા ખરેખર આ વસ્તુ જબરજસ્તી કોઈના પર લાદવાનો પ્રયાસ નથી, પરંતુ દરેક દૃષ્ટિકોણ માટે વધુ સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે. PM નરેન્દ્ર મોદી સાથે દરેક વસ્તુની સંભાવના છે.'

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું, 'PMની સમગ્ર કામગીરીમાં રાજનીતિના વિવિધ પક્ષોના દૃષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાજ્યસભામાં સરોગસી બિલ રજૂ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે મને લાગે છે કે, જયરામ રમેશને તેના વિશે થોડી ચિંતા હતી. ભૂપેન્દ્ર યાદવ અને મેં તેમને ગેલેરીમાં સાંભળ્યા. અમે અમારા હાઈકમાન પાસે પાછા ગયા. હાઈકમાને કહ્યું, ઠીક છે, સમગ્ર વાતચીતને આગળ લઈ જાઓ, જુઓ કોંગ્રેસ શું કહેવા માંગે છે તે સાંભળો. જો ચિંતાઓ કાયદેસર હોય તો તેનું સમાધાન કરો, તેથી જ PM નરેન્દ્ર મોદીએ હંમેશા આ રીતે જ કામ કર્યું છે.'

2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં મળેલી હાર પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, તેઓ 2014માં અમેઠીમાં ગયા હતા અને એ વાતનો પૂરો ખ્યાલ હતો કે ત્યાં BJP સંગઠનાત્મક રીતે સૌથી નબળી છે.

સ્મૃતિએ કહ્યું, 'હું એ જાણતી હતી છતાં ત્યાં ગઈ, એટલા માટે કે ત્યાં આપણે માત્ર સંગઠનાત્મક રીતે જ નબળા નથી, પરંતુ આપણા એકબીજા પ્રત્યેનો લગાવ પણ ખુબ નબળો છે. અમેઠીની પ્રકૃતિ મતદારોના દૃષ્ટિકોણથી BJP માટે અનુકૂળ નથી, એ જાણતી હોવા છતાં હું ત્યાં ગઈ હતી. તેથી, એવું નથી કે મને ખબર ન હતી કે, એક સમય એવો આવશે જ્યારે હું તે તકથી વંચિત રહી જઈશ.'

BJP નેતાએ વધુમાં કહ્યું, 'જો તમને યાદ હોય તો, PM નરેન્દ્ર મોદીએ 2014માં અમેઠીમાં તેમના ભાષણમાં શું કહ્યું હતું, તો તેમણે કહ્યું હતું કે, તેઓ બદલો લેવાની નહીં, બદલાવ લાવવાની ભાવના સાથે આવી રહ્યા છે. અમે એ સ્થાપિત કરવા માંગતા હતા કે અમે શ્રેષ્ઠ વિકલ્પ છીએ, જે મેં કર્યું.'

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.