જે કોલેજમાં પિતા માળી, ત્યાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયો પુત્ર

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના માળીના પુત્ર પંકજ યાદવ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. નવ વર્ષ પહેલા તેમના મોટા ભાઈ રોહિત યાદવ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષની ચૂંટણી જીત્યા હતા. પંકજના પિતા આ કોલેજમાં માળીનું કામ કરે છે. પંકજે આ ચૂંટણીમાં અડધાથી વધુ મતોથી જીત મેળવી છે. તેમને 765માંથી 497 મત મળ્યા હતા.

પંકજ અહીં BAના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે અને પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીમાં BA કરી રહ્યો છે. સ્ટીફન્સ કોલેજમાં અગાઉ 2019માં ચૂંટણી યોજાઈ હતી, તે સમયે કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનને કારણે કોલેજ બંધ હતી. પંકજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો વતની છે અને ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. 2007માં તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પિતા કોલેજમાં માળી છે તેથી તેને કોલેજ કેમ્પસમાં જ આવાસ ફાળવવામાં આવ્યું છે.

સૂત્રો સાથે વાત કરતાં પંકજે કહ્યું, 'હું 2007થી કેમ્પસમાં રહું છું. હું હંમેશા મારા ભાઈની જેમ મારી કોલેજના ભલા માટે કામ કરવા માંગુ છું.' રોહિત કુમાર યાદવ 2014માં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા. રોહિત અને પંકજ બંનેએ સ્ટાફ-વોર્ડ ક્વોટા દ્વારા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પંકજે કહ્યું, 'મેં મારા ભાઈના કેમ્પેઈનના આધારે મારા અભિયાનનું મોડલ બનાવ્યું હતું. મેં મારું ભાષણ હિન્દીમાં આપ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ હિન્દી ન સમજતા હતા તેમની સાથે પણ મેં અંગ્રેજીમાં વાત કરી હતી. હું હિન્દીમાં વધુ આરામદાયક છું. હું હિન્દી સમાજનો ઉપાધ્યક્ષ પણ છું. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે આપણે માત્ર અંગ્રેજી જ નહીં પણ હિન્દીને પણ આગળ વધારીએ.'

પ્રેસિડેન્ટ બન્યા બાદ ખાસ કરીને તેમનું લક્ષ્ય માત્ર દિવ્યાંગો અને મહિલાઓ માટે જ કામ કરવાનું છે. તેમણે ઉમેર્યું કે, 'તેનો ધ્યેય વિકલાંગ લોકો માટે સુવિધાઓમાં સુધારો કરવા, મહિલા સશક્તિકરણ અને સલામતી સુનિશ્ચિત કરવા અને કોઈપણ સમુદાયના વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારના ભેદભાવને દૂર કરવાનો છે.' તેમણે કહ્યું કે, વિકલાંગોનું જીવન સરળ બનાવવા માટે કેમ્પસમાં નવી ટેકનોલોજી લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી જોઈ શકતો નથી, તો તેના માટે તેની આસપાસની વસ્તુઓને સ્કેન કરવા અને તે કેમ્પસમાં ક્યાં છે તે જાણવા માટે ટેક્નોલોજી હોવી જોઈએ.

તેના પિતા હરીશ કુમારે કહ્યું, 'મારા પિતાએ પણ 1948થી લગભગ 30 વર્ષ સુધી સ્ટીફન્સમાં માળી તરીકે કામ કર્યું હતું. મારો જન્મ કેમ્પસમાં થયો હતો અને જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે મેં તેની નોકરી સંભાળી લીધી હતી.' તેણે કહ્યું, 'લોકો હંમેશા કહેતા હતા કે માળીનો દીકરો માળી બનશે, પણ મેં કંઈક બીજું કહ્યું. મેં મારા બાળકોને શિક્ષિત કર્યા અને સુનિશ્ચિત કર્યું કે તેઓ કોલેજ અને આપણા દેશનું નામ રોશન કરે… મારા બંને પુત્રોએ મને ગૌરવ અપાવ્યું છે.' તમને જણાવી દઈએ કે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજની ગણતરી દેશની શ્રેષ્ઠ કોલેજોમાં થાય છે. શશિ થરૂર અને સચિન પાયલટ જેવા દિગ્ગજ નેતાઓએ આ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

About The Author

Related Posts

Top News

'શું તમે ભારતીય છો? તો બહાર નીકળો!' વિયેતનામમાં થઈ રહ્યો છે દુર્વ્યવહાર

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં વિદેશ પ્રવાસનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. લોકો દુબઈથી લઈને બાલી સુધી અસંખ્ય યાત્રાઓ કરી રહ્યા...
Travel 
'શું તમે ભારતીય છો? તો બહાર નીકળો!' વિયેતનામમાં થઈ રહ્યો છે દુર્વ્યવહાર

AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ગૌતમ ગંભીરે પોતાની ઓળખના કથિત દુરુપયોગને લઈને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો...
Sports 
AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-03-2026 વાર- શુક્રવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.