જે કોલેજમાં પિતા માળી, ત્યાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયો પુત્ર

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના માળીના પુત્ર પંકજ યાદવ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. નવ વર્ષ પહેલા તેમના મોટા ભાઈ રોહિત યાદવ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષની ચૂંટણી જીત્યા હતા. પંકજના પિતા આ કોલેજમાં માળીનું કામ કરે છે. પંકજે આ ચૂંટણીમાં અડધાથી વધુ મતોથી જીત મેળવી છે. તેમને 765માંથી 497 મત મળ્યા હતા.

પંકજ અહીં BAના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે અને પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીમાં BA કરી રહ્યો છે. સ્ટીફન્સ કોલેજમાં અગાઉ 2019માં ચૂંટણી યોજાઈ હતી, તે સમયે કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનને કારણે કોલેજ બંધ હતી. પંકજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો વતની છે અને ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. 2007માં તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પિતા કોલેજમાં માળી છે તેથી તેને કોલેજ કેમ્પસમાં જ આવાસ ફાળવવામાં આવ્યું છે.

સૂત્રો સાથે વાત કરતાં પંકજે કહ્યું, 'હું 2007થી કેમ્પસમાં રહું છું. હું હંમેશા મારા ભાઈની જેમ મારી કોલેજના ભલા માટે કામ કરવા માંગુ છું.' રોહિત કુમાર યાદવ 2014માં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા. રોહિત અને પંકજ બંનેએ સ્ટાફ-વોર્ડ ક્વોટા દ્વારા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પંકજે કહ્યું, 'મેં મારા ભાઈના કેમ્પેઈનના આધારે મારા અભિયાનનું મોડલ બનાવ્યું હતું. મેં મારું ભાષણ હિન્દીમાં આપ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ હિન્દી ન સમજતા હતા તેમની સાથે પણ મેં અંગ્રેજીમાં વાત કરી હતી. હું હિન્દીમાં વધુ આરામદાયક છું. હું હિન્દી સમાજનો ઉપાધ્યક્ષ પણ છું. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે આપણે માત્ર અંગ્રેજી જ નહીં પણ હિન્દીને પણ આગળ વધારીએ.'

પ્રેસિડેન્ટ બન્યા બાદ ખાસ કરીને તેમનું લક્ષ્ય માત્ર દિવ્યાંગો અને મહિલાઓ માટે જ કામ કરવાનું છે. તેમણે ઉમેર્યું કે, 'તેનો ધ્યેય વિકલાંગ લોકો માટે સુવિધાઓમાં સુધારો કરવા, મહિલા સશક્તિકરણ અને સલામતી સુનિશ્ચિત કરવા અને કોઈપણ સમુદાયના વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારના ભેદભાવને દૂર કરવાનો છે.' તેમણે કહ્યું કે, વિકલાંગોનું જીવન સરળ બનાવવા માટે કેમ્પસમાં નવી ટેકનોલોજી લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી જોઈ શકતો નથી, તો તેના માટે તેની આસપાસની વસ્તુઓને સ્કેન કરવા અને તે કેમ્પસમાં ક્યાં છે તે જાણવા માટે ટેક્નોલોજી હોવી જોઈએ.

તેના પિતા હરીશ કુમારે કહ્યું, 'મારા પિતાએ પણ 1948થી લગભગ 30 વર્ષ સુધી સ્ટીફન્સમાં માળી તરીકે કામ કર્યું હતું. મારો જન્મ કેમ્પસમાં થયો હતો અને જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે મેં તેની નોકરી સંભાળી લીધી હતી.' તેણે કહ્યું, 'લોકો હંમેશા કહેતા હતા કે માળીનો દીકરો માળી બનશે, પણ મેં કંઈક બીજું કહ્યું. મેં મારા બાળકોને શિક્ષિત કર્યા અને સુનિશ્ચિત કર્યું કે તેઓ કોલેજ અને આપણા દેશનું નામ રોશન કરે… મારા બંને પુત્રોએ મને ગૌરવ અપાવ્યું છે.' તમને જણાવી દઈએ કે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજની ગણતરી દેશની શ્રેષ્ઠ કોલેજોમાં થાય છે. શશિ થરૂર અને સચિન પાયલટ જેવા દિગ્ગજ નેતાઓએ આ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.