પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના પ્રયાગરાજના રહેવાસી શક્તિ દુબેએ ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે, હર્ષિતા ગોયલ બીજા સ્થાને અને ડોંગરે અર્ચિત પરાગ ત્રીજા સ્થાને રહ્યા. અહીં તમને જણાવી દઈએ કે, UPના સંત કબીર નગર જિલ્લાના રહેવાસી ઇકબાલ અહેમદે પણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 998મો રેન્ક મેળવ્યો છે.

ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાનું નંદૌર શહેર આ દિવસોમાં ખુશીઓમાં ડૂબેલું છે. તેનું કારણ છે ઇકબાલ અહેમદ, જેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024માં 998મો રેન્ક મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

તેમની પસંદગીના સમાચાર ફેલાતાં જ નંદૌર શહેરમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો. વિસ્તારના લોકો ઇકબાલના ઘરે મીઠાઈઓ લઈને પહોંચી રહ્યા છે અને તેના પિતા મકબુલ અહેમદ અન્સારીને અભિનંદન આપી રહ્યા છે. લોકો ગર્વથી કહી રહ્યા છે કે, ઇકબાલે ખરેખર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Iqbal-Ahmad1
msn.com

ઇકબાલ અહેમદની વાર્તા એ ફક્ત સફળતાનું ઉદાહરણ નથી, પણ સંઘર્ષ, સખત મહેનત અને સમર્પણનું પણ ઉદાહરણ છે. ઇકબાલ ત્રણ ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના છે. તેમને શરૂઆતથી જ અભ્યાસમાં રસ હતો, પણ તેમના કૌટુંબિક સંજોગો સરળ નહોતા. તેમના પિતા મકબુલ અહેમદ અંસારી એક સમયે નંદૌર ચાર રસ્તા પર સાયકલ રિપેરની દુકાન ચલાવતા હતા. ત્યાર પછી, તેમણે તેમના મોટા દીકરા સાથે ઘરના કામકાજમાં લાગી ગયા હતા.

ઇકબાલે નંદૌરની એક ઇન્ટર કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું અને પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે ગોરખપુર ગયા. આ પછી, તેમણે દિલ્હીમાં રહીને UPSCની તૈયારી શરૂ કરી. આ સમય દરમિયાન તેમને શ્રમ વિભાગમાં સારી નોકરી પણ મળી, પરંતુ તેમનું સ્વપ્ન આનાથી પણ મોટું હતું.

Iqbal-Ahmad3

ઇકબાલની માતા કાસીદુન નિનિસ ખુબ જ લાગણીશીલ થઈને કહે છે કે, અમે તેને ખૂબ મહેનત કરીને ઉછેર્યો છે, અમે તેને ઘણા સંઘર્ષો વચ્ચે ઉછેર્યો છે. આજે ઇકબાલ આ સ્થાને પહોંચી ગયો છે, તેથી હું દિલથી પ્રાર્થના કરું છું કે, આ રીતે સખત મહેનત કરીને વધુને વધુ અન્ય બાળકો પણ સફળ બને.

ઇકબાલને ત્રણ બાળકો છે, શાહિદ અલી (14 વર્ષ), નૂર સબા અને મોહમ્મદ શમી. આ સફળતા તેમના સંયુક્ત પરિવાર માટે કોઈ ઉત્સવથી ઓછી નથી.

ઇકબાલ અહેમદની વાર્તા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે જેઓ મર્યાદિત સંસાધનો અને સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ મોટા સપના જુએ છે. તેમણે સાબિત કર્યું છે કે, જો દિલમાં જુસ્સો હોય અને સતત મહેનત કરવામાં આવે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.