‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે ફિલ્મમાં બાબુ રાવનું પાત્ર ભજવનારા એક્ટર પરેશ રાવલે ફિલ્મમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. તેના બહાર થવાનું કારણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ હોવાનું કહેવાય છે. પોતે એક્ટરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ન્યૂઝ વેબસાઇટ 'બોલિવુડ હંગામા'ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'હેરા ફેરી 3’ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફ્રેસેઝ હતા. ત્યારબાદ એક્ટરે ફિલ્મમાંથી નીકળવાનો મુશ્કેલ નિર્ણય લીધો. જ્યારે તેની ટીમે એક્ટર સાથે વાત કરી, ત્યારે એક્ટરે પોતે કહ્યું કે, ‘હા, આ સાચું છે. હું હવે હેરા ફેરી 3’માં કામ નહીં કરું.

Paresh-Rawal1
bollywoodbubble.com

 

પરેશ રાવલનું પાત્ર બાબુ રાવ ફિલ્મનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. તેના પાત્રને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. એવામાં, આ સમાચાર ફેન્સ માટે જરૂર દિલ તોડી શકે છે. જોકે, ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનું માનવું છે કે પરેશ રાવલ ફરી આ ફિલ્મનો હિસ્સો બની શકે છે. તેમનુ કહેવું છે કે આ અગાઉ અક્ષય કુમાર પણ 'હેરા ફેરી 3'નો ભાગ નહોતો. મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ કારણે ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં તે ફરીથી ફિલ્મનો હિસ્સો બન્યો. જ્યારે 'હેરા ફેરી 3'નું ડિરેક્શન કરનારા પ્રિયદર્શન, જે અગાઉ તેને બનાવવાનો ઇનકાર કરી રહ્યા હતા. એવામાં તેમને વિશ્વાસ છે કે પરેશ રાવલ પણ પાછા આવી શકે છે.

Paresh-Rawal2
movietalkies.com

 

થોડા સમય અગાઉ પરેશ રાવલે  એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું હતું કે, તેના માટે આ ભૂમિકા 'ગળાનો ફંદો' છે. આ એક્ટર પોતાના સૌથી લોકપ્રિય પાત્રમાંથી છૂટકારો મેળવવા માગે છે જેના માટે તેણે ઘણા ફિલ્મ મેકર્સ સાથે વાત કરી હતી, પરંતુ તેને આ પાત્રમાંથી મુક્તિ મળી શકી નહોતી. પરંતુ હવે હેરા ફેરી 3’માંથી તેનું બહાર નીકળવું ફેન્સને જરૂર નિરાશ કરશે. તેનું 'બાબુ રાવ'નું પાત્ર કયો અભિનેતા ભજવશે, એ જોવાનું રસપ્રદ રહેશે. વાત કરીએ 'હેરા ફેરી 3'ની તો, તેનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. જોકે, તેનું મુહૂર્ત શૂટિંગ થઈ ગયું છે. ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને તેની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. ફિલ્મમાં અત્યારે, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી પોતાના પાત્રો રાજુ અને શ્યામને ભજવતા નજરે પડશે.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.