‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે ફિલ્મમાં બાબુ રાવનું પાત્ર ભજવનારા એક્ટર પરેશ રાવલે ફિલ્મમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. તેના બહાર થવાનું કારણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ હોવાનું કહેવાય છે. પોતે એક્ટરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ન્યૂઝ વેબસાઇટ 'બોલિવુડ હંગામા'ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'હેરા ફેરી 3’ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફ્રેસેઝ હતા. ત્યારબાદ એક્ટરે ફિલ્મમાંથી નીકળવાનો મુશ્કેલ નિર્ણય લીધો. જ્યારે તેની ટીમે એક્ટર સાથે વાત કરી, ત્યારે એક્ટરે પોતે કહ્યું કે, ‘હા, આ સાચું છે. હું હવે હેરા ફેરી 3’માં કામ નહીં કરું.

Paresh-Rawal1
bollywoodbubble.com

 

પરેશ રાવલનું પાત્ર બાબુ રાવ ફિલ્મનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. તેના પાત્રને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. એવામાં, આ સમાચાર ફેન્સ માટે જરૂર દિલ તોડી શકે છે. જોકે, ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનું માનવું છે કે પરેશ રાવલ ફરી આ ફિલ્મનો હિસ્સો બની શકે છે. તેમનુ કહેવું છે કે આ અગાઉ અક્ષય કુમાર પણ 'હેરા ફેરી 3'નો ભાગ નહોતો. મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ કારણે ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં તે ફરીથી ફિલ્મનો હિસ્સો બન્યો. જ્યારે 'હેરા ફેરી 3'નું ડિરેક્શન કરનારા પ્રિયદર્શન, જે અગાઉ તેને બનાવવાનો ઇનકાર કરી રહ્યા હતા. એવામાં તેમને વિશ્વાસ છે કે પરેશ રાવલ પણ પાછા આવી શકે છે.

Paresh-Rawal2
movietalkies.com

 

થોડા સમય અગાઉ પરેશ રાવલે  એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું હતું કે, તેના માટે આ ભૂમિકા 'ગળાનો ફંદો' છે. આ એક્ટર પોતાના સૌથી લોકપ્રિય પાત્રમાંથી છૂટકારો મેળવવા માગે છે જેના માટે તેણે ઘણા ફિલ્મ મેકર્સ સાથે વાત કરી હતી, પરંતુ તેને આ પાત્રમાંથી મુક્તિ મળી શકી નહોતી. પરંતુ હવે હેરા ફેરી 3’માંથી તેનું બહાર નીકળવું ફેન્સને જરૂર નિરાશ કરશે. તેનું 'બાબુ રાવ'નું પાત્ર કયો અભિનેતા ભજવશે, એ જોવાનું રસપ્રદ રહેશે. વાત કરીએ 'હેરા ફેરી 3'ની તો, તેનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. જોકે, તેનું મુહૂર્ત શૂટિંગ થઈ ગયું છે. ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને તેની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. ફિલ્મમાં અત્યારે, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી પોતાના પાત્રો રાજુ અને શ્યામને ભજવતા નજરે પડશે.

Related Posts

Top News

રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ...
National  Politics 
રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે...
National 
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે....
National 
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે

ઉત્તર પ્રદેશમાં કૃષિ નવીનતાને વૈશ્વિક માન્યતા આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન અને મજબૂત ઇચ્છાશક્તિ હવે સાકાર થઈ રહી છે....
National 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.