‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે ફિલ્મમાં બાબુ રાવનું પાત્ર ભજવનારા એક્ટર પરેશ રાવલે ફિલ્મમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. તેના બહાર થવાનું કારણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ હોવાનું કહેવાય છે. પોતે એક્ટરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ન્યૂઝ વેબસાઇટ 'બોલિવુડ હંગામા'ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'હેરા ફેરી 3’ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફ્રેસેઝ હતા. ત્યારબાદ એક્ટરે ફિલ્મમાંથી નીકળવાનો મુશ્કેલ નિર્ણય લીધો. જ્યારે તેની ટીમે એક્ટર સાથે વાત કરી, ત્યારે એક્ટરે પોતે કહ્યું કે, ‘હા, આ સાચું છે. હું હવે હેરા ફેરી 3’માં કામ નહીં કરું.

Paresh-Rawal1
bollywoodbubble.com

 

પરેશ રાવલનું પાત્ર બાબુ રાવ ફિલ્મનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. તેના પાત્રને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. એવામાં, આ સમાચાર ફેન્સ માટે જરૂર દિલ તોડી શકે છે. જોકે, ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનું માનવું છે કે પરેશ રાવલ ફરી આ ફિલ્મનો હિસ્સો બની શકે છે. તેમનુ કહેવું છે કે આ અગાઉ અક્ષય કુમાર પણ 'હેરા ફેરી 3'નો ભાગ નહોતો. મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ કારણે ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં તે ફરીથી ફિલ્મનો હિસ્સો બન્યો. જ્યારે 'હેરા ફેરી 3'નું ડિરેક્શન કરનારા પ્રિયદર્શન, જે અગાઉ તેને બનાવવાનો ઇનકાર કરી રહ્યા હતા. એવામાં તેમને વિશ્વાસ છે કે પરેશ રાવલ પણ પાછા આવી શકે છે.

Paresh-Rawal2
movietalkies.com

 

થોડા સમય અગાઉ પરેશ રાવલે  એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું હતું કે, તેના માટે આ ભૂમિકા 'ગળાનો ફંદો' છે. આ એક્ટર પોતાના સૌથી લોકપ્રિય પાત્રમાંથી છૂટકારો મેળવવા માગે છે જેના માટે તેણે ઘણા ફિલ્મ મેકર્સ સાથે વાત કરી હતી, પરંતુ તેને આ પાત્રમાંથી મુક્તિ મળી શકી નહોતી. પરંતુ હવે હેરા ફેરી 3’માંથી તેનું બહાર નીકળવું ફેન્સને જરૂર નિરાશ કરશે. તેનું 'બાબુ રાવ'નું પાત્ર કયો અભિનેતા ભજવશે, એ જોવાનું રસપ્રદ રહેશે. વાત કરીએ 'હેરા ફેરી 3'ની તો, તેનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. જોકે, તેનું મુહૂર્ત શૂટિંગ થઈ ગયું છે. ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને તેની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. ફિલ્મમાં અત્યારે, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી પોતાના પાત્રો રાજુ અને શ્યામને ભજવતા નજરે પડશે.

About The Author

Related Posts

Top News

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા ઉખેડી નાંખ્યા, કોઇ દૂધ ભરવાનું બંધ કરવાની...
Gujarat 
મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ, એક મોટો વિવાદ ફાટી નીકળ્યો. મામલો હતો EVM અને પોસ્ટલ બેલેટ...
Politics 
બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

આજકાલ, હિમાચલ પ્રદેશમાં લગ્ન હવે ફક્ત ધાર્મિક રીતિ રિવાજો સુધી મર્યાદિત નથી રહી ગયા, પરંતુ તેમની અનોખી વાર્તાઓને...
National 
એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે....
National 
કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.