પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ @travelwithjo1 નામથી એકાઉન્ટ બનાવી રાખ્યું છે. તેમાં તેણે પોતાની પાકિસ્તાની ટ્રિપના ઘણા વીડિયો અને રીલ્સ નાખ્યા છે. ઇન્સ્ટગ્રામ એકાઉન્ટમાં તેણે એક તસવીર નાખી છે, જેમાં લખ્યું છે- ઈશ્ક લાહોર. જ્યોતિ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પાકિસ્તાન સાથે જોડાયેલા ઘણા રીલ્સ અને વીડિયો પોસ્ટ કર્યા છે. પાકિસ્તાનમાં બનાવવામાં આવેલા ટ્રેવ્લોગ સાથે જોડાયલા વીડિયો અને રીલ્સના માધ્યમથી જ્યોતિએ ત્યાંની ઘણી પોઝિટિવ વસ્તુ દેખાડવાનો પ્રયાસ કર્યો છે, એવામાં જ્યોતિ પર એક સોશિયલ મીડિયા પર્સનાલિટીના રૂપમાં તેના પ્રભાવનો વિદેશી એજન્ટો દ્વારા ગુપ્તચર અને પ્રચાર ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરવાનો આરોપ છે.

Jyoti Malhotra
instagram.com/travelwithjo1

 

તેના પર આરોપ છે કે જ્યોતિને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેણે એક PIO સાથે ઘનિષ્ઠ સંબંધ વિકસિત કર્યા અને હાલમાં જ તેની સાથે ઇન્ડોનેશિયાની બાલી યાત્રા કરી. તેણે ભારતીય સ્થળોથી સંવેદનશીલ જાણકારી શેર કરી અને દિલ્હીમાં રહેવા દરમિયાન પાકિસ્તાન હાઇકમિશન (PHC) હેન્ડલર દાનિશના સંપર્કમાં રહી.

https://www.instagram.com/reel/DG9q-MdT8ul/?utm_source=ig_web_copy_link

જ્યોતિએ પાકિસ્તાન જઈને ત્યાંના અનારકલી બજારનો પણ વીડિયો બનાવીને પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ સિવાય તેણે ત્યાંના ખાવા-પીવાની વસ્તુઓ, સંસ્કૃતિ અને અન્ય ઘણી એવી ગતિવિધિઓના માધ્યમથી બંને દેશોની તુલના કરતા સંવેદનશીલ સૂચનાઓ આપી છે. એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને 13 મે 2025ના રોજ ભારત સરકારે જાસૂસીમાં સંડોવણી બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો હતો અને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.

https://www.instagram.com/reel/DHFZJLAT63m/?utm_source=ig_web_copy_link

હરિયાણાની રહેવાસી જ્યોતિ સતત એજ દાનિશના સમ્પર્કમાં હતી. જ્યોતિ મલ્હોત્રા પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152 અને સત્તાવાર ગોપનીયતા અધિનિયમ 1923ની કલમ 3, 4 અને 5 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રા પર આરોપ છે કે, તેણે પાકિસ્તાન હાઇ કમિશનના માધ્યમથી વિઝા પર વર્ષ 2023માં પાકિસ્તાનની યાત્રા કરી હતી. તે પાકિસ્તાની ઉચ્ચાયોગ (PHC)ના એક કર્મચારી એહસાન-ઉર-રહિમ ઉર્ફ દાનિશના સંપર્કમાં આવી, જેની સાથે તેણે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કર્યા. જ્યોતિ એ 6 લોકોમાં સામેલ છે, જેમને જાસૂસી એજંસીઓની સૂચના બાદ ધરપકડ કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાની જાસૂસી સંચાલકોને મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી.

About The Author

Related Posts

Top News

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.