ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ, જાણો આખો ઘટનાક્રમ

તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે માની ગયા છે અને તત્કાલ પ્રભાવથી યુદ્ધવિરામ કરી દેવામાં આવ્યું છે. આ સમાચારની ભારત અને પાકિસ્તાન બંને દેશે પૃષ્ટિ કરી છે. આજે સાંજે 5 કલાકથી બંને દેશ સીઝફાયર માટે રાજી થયા છે. આ અંગે સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી હતી.

01

USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ડોનાલ્ડ જે. ટ્રમ્પ, યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાતચીત પછી, મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા છે. સામાન્ય સમજ અને મહાન બુદ્ધિનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!

આ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ટ્વીટ કરીને કહ્યું હતું કેછેલ્લા 48 કલાકમાં, વાઇસ પ્રેસિડન્ટ વાન્સ અને મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરી છે.

 મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકાર તાત્કાલિક યુદ્ધવિરામ માટે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવા માટે સંમત થઈ છે. શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડાપ્રધાન મોદી અને શરીફની તેમની શાણપણ, સમજદારી અને રાજનીતિની અમે પ્રશંસા કરીએ છીએ.

 આ ટ્વીટ બાદ પાકિસ્તાના ઉપ પ્રધાનમંત્રી ઈશાક ડારે ટ્વીટ કરી હતી કે, તેમનો દેશ યુદ્ધવિરામ માટે તૈયાર છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું પાકિસ્તાન અને ભારતે તત્કાલ પ્રભાવથી યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. પાકિસ્તાને હંમેશાં પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાથી સમજુતી કર્યા વગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયાસ કર્યો છે.

Photo-(2)-copy-Recovered02

ત્યાર બાદ ભારતના વિદેશમંત્રી વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી અને તેની સેનાના DGMOએ તણાવ ઓછો કરવા માટે ભારતીય સેનાના DGMOને સંપર્ક કર્યો. ત્યાર બાદ ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે રાજી થયું છે. બંને દેશોના DGMO યુદ્ધવિરામને લઈને આગળની કાર્યવાહી  માટે 12 મેના રોજ ફરી વાતચીત કરશે.

 

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.