પોલીસે કરિયાવર કેસમાં સોનાના દાગીના જપ્ત કર્યા હતા, વર્ષો પછી પાછા મંગાતા કોર્ટમાં કહે સૂકવવા નાખ્યા હતા વાંદરાઓ ઘરેણા લઈ ગયા

ઉત્તર પ્રદેશના લખીમપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે શરૂઆતમાં કોર્ટમાં દાવો કર્યો હતો કે વાંદરાઓ સ્ટેશનના માલખાના (ગોદામ) મા રાખેલા સોનાના દાગીના વેરવિખેર કરી નાખ્યા હતા અને પછી તેને લઈને ભાગી ગયા હતા. પોલીસે હવે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે તે સમયે ગોદામના ઇન્ચાર્જ અધિકારીનો જીવ જઇ ચૂક્યો છે, જેના કારણે વધુ તપાસ અશક્ય છે. રસપ્રદ વાત એ છે કે ઘટના સમયે માલખાનાના ઇન્ચાર્જના નામ (જેમ કે કોર્ટના આદેશમાં ઉલ્લેખિત છે) અને 17 જૂનના રોજ લખીમપુર પોલીસે જાહેર કરેલા ક્લોઝર રિપોર્ટ અંગે પ્રેસને આપેલા નિવેદનમાં ઉલ્લેખિત નામ વચ્ચે વિસંગતતા છે.

આ મામલો 2007ના દહેજ મૃત્યુ કેસ સાથે સંકળાયેલો છે; જેના દાગીના (એક વીંટી, નથણી, બંગડીઓ અને હાર) કોતવાલી સદર પોલીસ સ્ટેશનના માલખાનામાં જમા હતા. ફેબ્રુઆરી 2024માં જ્યારે કોર્ટે પતિને નિર્દોષ જાહેર કર્યો, ત્યારે તેણે કૌટુંબિક દાગીના પાછા મેળવવા માટે અરજી દાખલ કરી. તેના જવાબમાં, પોલીસે કોર્ટને જણાવ્યું કે 2013માં વરસાદને કારણે દાગીનાઓની પોટલી ભીની થઈ ગયું હતું અને તેને સુકવવા માટે માલખાનાની છત પર મૂકવામાં આવ્યા હતા; વાંદરાઓએ પેકેટ ફાડીને તમામ દાગીના વેરવિખેર કરી નાખ્યા હતા અને દાગીના ગાયબ થઈ ગયા.

તો જુલાઈ 2024માં પોલીસની આ વાત સાંભળ્યા બાદ, જિલ્લા ન્યાયાધીશે પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો. આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વાંદરાઓએ દાગીના ચોરી કરીને વેરવિખેર કરી દીધા હોવાનો દાવો અવિશ્વસનિય છે અને સોનાના દાગીના ભીના થયા પછી સૂકવવા માટે બહાર રાખવાનું કોઈ ઔચિત્ય નથી. કોર્ટે 17 સપ્ટેમ્બર, 2013ના રોજ પોલીસ સ્ટેશનની કેસ ડાયરીની એન્ટ્રીની પણ નોંધ લીધી હતી, જેમાં જણાવાયું હતું કે ઝોનલ IG દ્વારા નિરીક્ષણ બાદ, 2013 સુધીના પોસ્ટમોર્ટમ પેકેટ છત પર મૂકવામાં આવ્યા હતા અને પછી વાંદરાઓએ તેમને નુકસાન પહોંચાડ્યું હતું અને વેરવિખેર કરી નાખ્યા હતા.

lakhimpur-police
abplive.com

કોર્ટે તેના આદેશમાં ખાસ ટિપ્પણી કરી હતી કે પેકેટોને સૂકવવા માટે બહાર રાખવાનો દાવો સ્વીકાર્ય લાગતો નથી; કારણ કે પેકેટોમાં સોનું હતું , જે પાણીથી ખરાબ નહીં થાય અને અને ત્યાં બીજા પોટલા પણ હતા. જેમાં ગંભીર ગુનાઓ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પુરાવા હતા. કોર્ટે પોલીસ અધિક્ષકને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો, કારણ કે સ્પષ્ટીકરણથી એવું લાગા છે કે ગુમ થયેલા દાગીના કેસમાં સામેલ પોલીસ અધિકારીઓએ માલખાના (ગોદામ) માંથી કિંમતી વસ્તુઓ કાઢી લીધી હતી અને સત્ય છુપાવવા માટે ખોટો ડાયરી રિપોર્ટ તૈયાર કર્યો હતો.

આ કેસને વધુ રસપ્રદ બનાવનારી વાત એ છે કે કોર્ટના જુલાઈ 2024ના આદેશમાં તત્કાલીન માલખાના ઇન્ચાર્જ દ્વારા દાખલ કરાયેલા રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારની અરજીનો જવાબ આપતા તેમણે દાવો કર્યો હતો કે દાગીનાવાળું ચોક્કસ પોસ્ટમોર્ટમ પેકેટ ક્યારેય રેકોર્ડ માટે સોંપવામાં આવ્યું નહોતું. રિપોર્ટમાં ચાર ભૂતપૂર્વ માલખાના ઇન્ચાર્જ મોલ્હેરામ, રમાકાંત તિવારી, મેવારામ અને ઈશ્વર દયાલના નામ છે જેમાં છેલ્લા વ્યક્તિનો જીવ જતો રહ્યો. તેનાથી વિપરીત, તાજેતરના પોલીસ નિવેદનમાં 2007 અને 2009 વચ્ચે બે અલગ-અલગ નામ ચંદ્રિકા પ્રસાદ અને રામબક્ષ પાલને ઇન્ચાર્જ જણાવવામાં આવ્યા છે, જેમાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

આજતકના અહેવાલ મુજબ, પીડિત પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ શૈલેન્દ્ર ગૌરે જણાવ્યું હતું કે વાંદરાઓનો હુમલો થયો, ત્યારે ર માલખાનાનો ઇન્ચાર્જ કોણ હતો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. નામ અલગ-અલગ છે, કહાની બદલાતી રહે છે, અને હવે તેઓ (પોલીસ) દાવો કરી રહ્યા છે કે માલખાનાના ઇન્ચાર્જનો જીવ જતો રહ્યો છે... એ સ્પષ્ટ છે કે પોલીસ માલખાનામાંથી દાગીના અને અન્ય વસ્તુઓ ચોરનાર વ્યક્તિને છૂપાવવા અથવા બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ પ્રેસ રીલિઝમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્ટના રેકોર્ડમાં અત્યાર સુધી આવું કંઇ નથી. ગૌડે કહ્યું કે, 2024ના આદેશમાં ખોવાયેલા દાગીના માટે વળતર અને ઘટનાની તપાસની માંગ કરવામાં આવી હતી. અમને ન તો વળતર મળ્યું છે કે ન તો ન્યાય.

gold
merlingoldsmith.com

વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ ASG સિદ્ધાર્થ લુથરાએ પણ જણાવ્યું હતું કે જ્યાં પોલીસ કાર્યવાહી શંકાસ્પદ હોય તેવા કિસ્સાઓમાં સ્વતંત્ર તપાસ, અહી સુધી કે CBI તપાસ પણ જરૂરી છે. કોર્ટે પોલીસને નિષ્પક્ષ અને અસરકારક તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એવું લાગે છે કે પોલીસે એવો રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં વિસંગતતાઓ છે. ભલે સમય વીતી ગયો હોવા છે, પરંતુ આ કેસની તપાસ CBIને સોંપવો યોગ્ય રહેશે.

પોલીસ નિયમો હેઠળ, માલખાનામાં વસ્તુઓની હિલચાલ અંગેના વિગતવાર રેકોર્ડ જાળવવા આવશ્યક છે. લુથરાએ એમ પણ કહ્યું કે આ સ્પષ્ટપણે આ રેકોર્ડ રાખનારની ભૂલ અથવા બેદરકારીનો કેસ છે- મુહરિર (માલખાના કારકુન) અથવા તો પોતે તેમાં સંડોવાયેલો હતો અથવા એટલો બેદરકાર હતો કે તેણે અન્ય લોકોને ચોરી કરવા અથવા વિશ્વાસઘાત કરવા દીધો. કોર્ટના દસ્તાવેજો અને પોલીસના નિવેદનો વચ્ચે ભલે વિસંગતતા હોય, પરંતુ ગુનાને અવગણવો ન જોઈએ.

અંતે તેમણે એમ કહ્યું કે, ભલે માલખાના મહર્રિર હવે જીવિત નથી, પરંતુ એ વાતની તપાસ જરૂર થવી જોઇએ કે તેની સાથે કોણે કાવતરું ઘડ્યું, અથને તેને ઉશ્કેર્યો અને આ કામ કરવામાં મદદ કરી અથવા મદદ કરી, અને ગુનામાંથી તેની સાથે-સાથે કોણે ફાયદો ઉઠાવ્યો.

About The Author

Top News

તનિષ્ક શોરૂમમાં થયેલી ચોરીનો ખુલાસો; પિતા, પુત્ર અને તેની પ્રેમિકાએ મળીને 4 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી!

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રખ્યાત તનિષ્ક શોરૂમમાંથી 4 કરોડ રૂપિયાથી વધુની થયેલી ચોરીની પોલીસ તપાસમાં સંબંધો અને લાલચની ચોંકાવનારી વાર્તા બહાર...
National 
તનિષ્ક શોરૂમમાં થયેલી ચોરીનો ખુલાસો; પિતા, પુત્ર અને તેની પ્રેમિકાએ મળીને 4 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી!

પંજાબથી અમેરિકા ગયેલા 19 વર્ષના ગૌરવે ટેક્સાસમાં મા-બાપ અને દાદીને ગોળી મારી દીધી

અમેરિકાના વર્જિનિયામાં, 19 વર્ષીય પંજાબી વિદ્યાર્થીએ પોતાના જ પરિવાર પર ગોળીબાર કર્યો. યુવકે પહેલા તેના માતા-પિતાને ગોળી મારી અને...
National 
પંજાબથી અમેરિકા ગયેલા 19 વર્ષના ગૌરવે ટેક્સાસમાં મા-બાપ અને દાદીને ગોળી મારી દીધી

'ન રસીદ, ન રેકોર્ડ...' રામલલાને ભેટમાં અપાયેલા હાર અને ચરણ પાદુકા ક્યાં? SITની તપાસમાં કોણ-કોણ રડાર પર?

અયોધ્યા રામ મંદિરમાં દાનની કથિત ચોરીના મામલામાં દરરોજ નવા રહસ્યો સામે આવી રહ્યા છે. ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે...
National 
'ન રસીદ, ન રેકોર્ડ...' રામલલાને ભેટમાં અપાયેલા હાર અને ચરણ પાદુકા ક્યાં? SITની તપાસમાં કોણ-કોણ રડાર પર?

પોલીસે કરિયાવર કેસમાં સોનાના દાગીના જપ્ત કર્યા હતા, વર્ષો પછી પાછા મંગાતા કોર્ટમાં કહે સૂકવવા નાખ્યા હતા વાંદરાઓ ઘરેણા લઈ ગયા

ઉત્તર પ્રદેશના લખીમપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે શરૂઆતમાં કોર્ટમાં દાવો કર્યો હતો કે વાંદરાઓ સ્ટેશનના...
National 
પોલીસે કરિયાવર કેસમાં સોનાના દાગીના જપ્ત કર્યા હતા, વર્ષો પછી પાછા મંગાતા કોર્ટમાં કહે સૂકવવા નાખ્યા હતા વાંદરાઓ ઘરેણા લઈ ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.