ભાડાના મકાનમાં રહેતા મજૂરને આવકવેરા વિભાગે રૂ. 314 કરોડની નોટિસ મોકલી

આવકવેરા વિભાગ તરફથી એક મજૂરને 314 કરોડ 79 લાખ 87 હજાર 883 રૂપિયાની નોટિસ મળ્યા પછી બેતુલ જિલ્લામાં હડકંપ મચી ગયો છે. ભાડાના નાના મકાનમાં રહેતા મજૂર માટે આ નોટિસ કોઈ આઘાતથી ઓછી નથી. નોટિસ જોતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેમની પત્નીની તબિયત લથડી ગઈ અને પરિવારમાં સ્તબ્ધ થઇ ગયો.

Labourer, Income Tax Notice
etvbharat.com

હકીકતમાં, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગે બેતુલના મુલતાઈ નગરપાલિકા પાસેથી આંબેડકર વોર્ડના રહેવાસી ચંદ્રશેખર પંડિત રાવ કોહાડની સ્થાવર મિલકત વિશે માહિતી માંગી. તપાસમાં જાણવા મળ્યું કે, જે જમીન વિશે જાણકારી માંગી હતી તે ચંદ્રશેખરના નામે નહીં પરંતુ આમલાના દેવથાણના રહેવાસી રાધેલાલ કિરાડના પુત્ર મનોહર હરકચંદના નામે નોંધાયેલી હતી. નગરપાલિકાએ આ જવાબ આવકવેરા વિભાગને મોકલી આપ્યો છે.

ચંદ્રશેખરે જણાવ્યું કે તે 200-300 રૂપિયાના દૈનિક વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલાં, તેમણે નાગપુરની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જેમાં તેઓ થોડી રકમ જમા કરાવતા હતા. બેંક એજન્ટે તેનો મોબાઇલ નંબર લીધો, પરંતુ તે ખાતા સાથે લિંક નહોતો. તેને ખાતાની ગતિવિધિઓની કોઈ જાણકારી નહોતી.

Labourer, Income Tax Notice
etvbharat.com

નોટિસ અનુસાર, આ ટેક્સ લગભગ 3 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો પર આધારિત હોઈ શકે છે. આ સમાચારને કારણે ચંદ્રશેખરની તબિયત બગડી ગઈ અને તેમની નાગપુરમાં સારવાર ચાલી રહી છે.

મ્યુનિસિપલ કર્મચારીઓએ એક અઠવાડિયા સુધી ચંદ્રશેખરની શોધ કરી, પરંતુ તેમની મિલકતનો કોઈ રેકોર્ડ મળ્યો નહીં.

ઇન્ચાર્જ CMO GR દેશમુખે જણાવ્યું હતું કે, 'આંબેડકર વોર્ડના રહેવાસી ચંદ્રશેખર પંડિત રાવ કોહાડની સ્થાવર મિલકત વિશે માહિતી માંગવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આંબેડકર વોર્ડમાં તેમના નામે કોઈ મિલકત નથી. આ જવાબ મહારાષ્ટ્ર આવકવેરા વિભાગને મોકલી આપવામાં આવ્યો છે.'

Labourer, Income Tax Notice
agniban.com

આ દરમિયાન, ચંદ્રશેખર પંડિત રાવ કોહાડે કહ્યું, 'નોટિસ મળ્યા પછી મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારી પાસેથી આટલી મોટી રકમનો ટેક્સ માંગવામાં આવશે. આ કારણે, હું હેરાનગતિનો સામનો કરી રહ્યો છું. મારી પત્નીની તબિયત બગડી ગઈ છે અને ઘરમાં ટેન્શનનું વાતાવરણ છે. હું હૃદયરોગનો દર્દી છું, મારી હાલત પણ વધુ ખરાબ થઈ ગઈ છે.'

બીજી તરફ, ચંદ્રશેખર હવે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગનો સંપર્ક કરવાનો અને તેમના નામે આટલો મોટો કર કેવી રીતે નીકળ્યો તે જાણવા માટે કાનૂની સલાહ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલો હજુ પણ તપાસનો વિષય બની રહ્યો છે.

About The Author

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.