ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન આવ્યું સામે

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સન્માન આપવાની આજે જાહેરાત કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર પર આ અંગે માહિતી આપી હતી અને લખ્યું હતું કે, પૂર્વ ઉપ પ્રધાનમંત્રીને દેશના સર્વોચ્ય સન્માનથી સન્માનિત કરવામાં આવશે. આ સમાચાર મળતા લાલકૃષ્ણ અડવાણી એક નિવેદનમાં કહ્યું હતું કે, હું સંપૂર્ણ વિનમ્રતા અને કૃતજ્ઞતાથી આ સન્માન સ્વીકાર કરું છું, જે આજે મને પ્રદાન કરવામાં આવ્યું છે. આ ફક્ત એકત વ્યક્તિના રૂપમાં જ નહીં પરંતુ એ આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માનની વાત છે, જેના માટે મેં મારી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવનભર સેવા કરવાની કોશિશ કરી છે.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, જ્યારથી હું 14 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વંયસેવકના રૂપમાં શામેલ થયો છું, ત્યારથી મેં ફક્ત એક જ કામના કરી છે કે જીવનમાં મને જે પણ કાર્ય સોંપાયું છે તેમાં મેં મારા પ્રેમાળ દેશને સમર્પિત અને નિસ્વાર્થ સેવા કરી છે. જે વસ્તુએ મારા જીવનને પ્રેરિત કરી છે, તે આદર્શ વાક્ય છે ઈદં ન મમ એટલે કે આ જીવન મારું નથી, મારું જીવન મારા રાષ્ટ્ર માટે છે. 

તેમણે વધુમાં કહ્યું હતું કે, હું મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ, સ્વંયસેવકો અને અન્ય લોકોનો હૃદયથી આભાર માનું છું, જેમની સાથે મને સાર્વજનિક જીવનમાં મારી આખી યાત્રા દરમિયાન કામ કરવાનું સૌભાગ્ય મળ્યું.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.