ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે, પરંતુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુદ્ધવિરામની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે કરતું રહેશે ત્યાં સુધી સ્થાયી શાંતિ સંભવ નથી. પછી સીઝફાયર હોય કે ન હોય, પહેલગામ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ.

Owaisi
businesstoday.in

અસદુદ્દીન ઓવૈસીએ ભારતીય સેના અને સરકારનું સમર્થન કરતા કહ્યું કે, ‘હું હંમેશાં બાહ્ય આક્રમણ વિરુદ્ધ સરકાર અને સશસ્ત્ર બળો સાથે ઉભો રહ્યો છું, અને તે આગળ પણ આ ચાલુ રહેશે. હું આપણી સેનાની બહાદુરી અને અદ્વિતીય કૌશલ્યની પ્રશંસા કરું છું. હું શહીદ થયેલા જવાન એમ. મુરલી નાઈક, ADCC રાજ કુમાર થાપાને શ્રદ્ધાંજલિ આપું છું અને આ સંઘર્ષમાં માર્યા ગયેલા અથવા ઇજાગ્રસ્ત થયેલા નાગરિકો માટે પ્રાર્થના કરું છું. ઓવૈસીએ યુદ્ધવિરામથી સીમાવર્તી ક્ષેત્રોના લોકોને રાહત મળવાની આશા વ્યક્ત કરી, પરંતુ સાથે જ તેમણે સરકારને 4 સવાલ પણ પૂછ્યા છે.

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ એક વિદેશી દેશના રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી? શિમલા કરાર (1972) બાદ જ ભારત હંમેશાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપ વિરોધમાં રહ્યું છે, તો હવે આપણે તેનો સ્વીકાર કેમ કર્યો? મને આશા છે કે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ નહીં થાય કેમ કે તે આપણો આંતરિક મામલો છે.

2. આપણે તટસ્થ ક્ષેત્રમાં વાતચીત માટે કેમ તૈયાર થયા? શું અમેરિકા એવી ગેરન્ટી આપશે કે પાકિસ્તાન ભવિષ્યમાં પોતાની ધરતી પરથી આતંકવાદને પ્રોત્સાહન નહીં આપે?

Owaisi2
facebook.com/Asaduddinowaisi

3. શું આપણે પાકિસ્તાનથી ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવાના આપણા લક્ષ્યમાં સફળ થયા છીએ, કે પછી માત્ર યુદ્ધવિરામ જ આપણું ઉદ્દેશ્ય હતું?

4. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં નાખવા માટે આપણી આંતરરાષ્ટ્રીય ઝુંબેશ ચાલુ રહેવી જોઈએ.

ઔવેસીએ એવું પણ કહ્યું હતું કે, યુદ્ધવિરામ થાય કે ન થાય પણ ભારતે પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોનો પીછો કરવાનો ચાલુ રાખવો જોઈએ.

Related Posts

Top News

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.