યુદ્ધવિરામ પર પૂર્વ DGPએ કહ્યું- પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું હતું, જો 2-3 દિવસ વધુ મળ્યા હોત તો...

ઓપરેશન સિંદૂરમાં, ભારતીય સૈનિકોએ બહાદુરી બતાવી અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિરો અને ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન થયું હતું. ચાર દિવસના સંઘર્ષ પછી, અચાનક US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને નિવેદન આપ્યું કે, અમારી મધ્યસ્થીથી, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. થોડા સમય પછી, ભારતીય વિદેશ મંત્રાલયે પણ તેની પુષ્ટિ કરી. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક SP વૈદે આ સમગ્ર ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, એક ભારતીય હોવાને કારણે, હું ઇચ્છતો હતો કે આપણા સૈનિકોને 2 થી 3 દિવસ વધુ આપવામાં આવ્યા હોતે તો, કારણ કે પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું હતું.

SP-Vaid1
freepresskashmir.news

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ઘણા અવાજો ઉઠી રહ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા જાળવી રાખીશું. પાકિસ્તાન દ્વારા આગળની કોઈપણ કાર્યવાહીનો શક્ય તેટલો કડક જવાબ આપવામાં આવશે. ભારતમાં યુદ્ધવિરામ અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, કોઈ ત્રીજો દેશ યુદ્ધવિરામ કેવી રીતે જાહેર કરી શકે? આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક SP વૈદે કહ્યું છે કે, ભારતને લશ્કરી કાર્યવાહી માટે થોડો વધુ સમય આપવો જોઈતો હતો. વૈદ્યે કહ્યું, 'એક ભારતીય હોવાને કારણે, મારું માનવું છે કે આપણા સશસ્ત્ર દળોને પાકિસ્તાનને સંપૂર્ણ પાઠ ભણાવવા માટે 2-3 દિવસ વધુ જોઈતા હતા. પાકિસ્તાન પહેલાથી જ ઘૂંટણિયે પડી ગયું હતું.'

જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ભારતના રાજકીય નેતૃત્વ પાસે કેટલાક તથ્યો અને રાજદ્વારી કારણો હોઈ શકે છે, જે સામાન્ય જનતાને જણાવવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું, 'એવા ઘણા તથ્યો છે જે નેતૃત્વ જાણે છે. આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં ચોક્કસ પરિસ્થિતિઓ હોય છે. સરકારે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડે છે. દેશ ફક્ત અહંકારથી નહીં, પરંતુ દૂરંદેશીથી ચાલે છે.'

SP-Vaid2
freepresskashmir.news

યુદ્ધવિરામ પછી, ટ્રમ્પે ફરી એક વાર ટ્વીટ કર્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કાશ્મીર મુદ્દો પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. SP વૈદએ આના પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું, 'જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનો સવાલ છે, ભારતની રાજકીય નીતિ સ્પષ્ટ છે, અમે કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકારતા નથી. શિમલા કરાર મુજબ આ બંને દેશો વચ્ચેનો મુદ્દો છે, જેનો ઉકેલ પરસ્પર વાતચીત દ્વારા લાવવો પડશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, SP વૈદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઘણા વિશ્લેષકો અને ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? સંતુલન સાધતા, SP વૈદએ કહ્યું કે, ભલે તેમને લાગે છે કે થોડી વધુ કાર્યવાહી કરી શકાઈ હોત, પરંતુ મોટા રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની જવાબદારી સરકારની છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.