હૈદરાબાદમાં 'કરાચી બેકરી' નામ પર વિવાદ, માલિક બોલ્યો- ‘અમે પાકિસ્તાની નહીં, ભારતીય બ્રાન્ડ છીએ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર લોન્ચ કરતા પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યા હતા. ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓલ પાર્ટી મીટિંગમાં જણાવ્યુ હતું કે, ‘ભારતીય એર સ્ટ્રાઈકમાં 100 આતંકવાદી માર્યા ગયા. તો આજે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ તબાહ કરી દીધી. ભારત-પાકિસ્તાન વચ્ચે વાધેલા તણાવ વચ્ચે હૈદરાબાદની એક બેકરી વિવાદમાં આવી ગઈ છે.

bakery
x.com/PTI_News

 

હૈદરાબાદમાં કરાચી બેકરીના નામને લઈને વિવાદ વધુ ઘેરો બની ગયો છે. શહેરમાં ઘણી જગ્યાએ લોકોએ આ બેકરી વિરુદ્ધ પ્રદર્શનો કર્યા. પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે, બેકરીનું નામ કરાચી છે, જે પાકિસ્તાન સાથે જોડાયેલું છે, એટલે તેનું નામ બદલવું જોઈએ. આ વિરોધ પર કરાચી બેકરીના માલિકે સ્પષ્ટતા આપી છે. તેણે જણાવ્યું કે, કરાચી બેકરીની શરૂઆત વર્ષ 1953માં હૈદરાબાદમાં થઈ હતી. તેના દાદા ખાનચંદ રામનાનીએ આ બેકરીની સ્થાપના કરી હતી હતી, જેઓ વિભાજનના સમયે પાકિસ્તાનના કરાચીથી ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે, માત્ર નામ તેમના મૂળ સાથે જોડાયેલું છે, તેનું પાકિસ્તાન સાથે કોઈ લેવું-દેવું નથી.

માલિકે કહ્યું કે, કરાચી બેકરી એક ભારતીય બ્રાન્ડ છે અને છેલ્લા 73 વર્ષથી હૈદરાબાદમાં કામ કરી રહી છે. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓને અપીલ કરી કે તેઓ બેકરીનું નામ બદલતા બચાવવામાં સમર્થન કરે. બેકરીના માલિકે એમ પણ કહ્યું કે લોકો શહેરભરની દુકાનો પર ત્રિરંગો લગાવી રહ્યા છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે આ બ્રાન્ડ ભારતની છે, પાકિસ્તાનની નહીં. બેકરીના માલિકે જનતાને અપીલ કરી કે તેઓ અફવાઓમાં ન આવે અને એક જૂની ભારતીય બ્રાન્ડનો સાથ આપે.

bakery
x.com/PTI_News

 

મીડિયા રિપોર્ટ મુજબ, બેકારીની દુનિયામાં કરાચી બેકારીનું નામ ખૂબ ઉપર રાખવામા આવે છે. છેલ્લા ઘણા દશકોથી કરાચી બેકરી હૈદરાબાદમાં કેકનું હબ બની છે. કરાચી બેકરી સૌથી મોટી વિશેષતા તેનું બજેટ હોય છે. અહીં ઘણા પ્રકારની બિસ્કિટ મળે છે. હૈદરાબાદ અને સિકંદરાબાદને મળાવીને કરાચી બેકરીના115 કરતા વધુ સ્ટોર આવેલા છે. કંપની 20 કરતા વધુ દેશોમાં બિસ્કિટ સહિત ઘણી વસ્તુઓનો નિકાસ કરે છે. તેમાં કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.