ઓપરેશન સિંદૂર પછી ડોભાલ અને જયશંકર પાકિસ્તાન સાથે શું કરવાના મૂડમાં છે?

ભારતના ઓપરેશન સિંદૂર પછી, આખી દુનિયાની રાજધાનીઓમાં એ ઉત્સુકતા છે કે, હવે પછીના દિવસોમાં કેવું દૃશ્ય હશે. PM નરેન્દ્ર મોદી 13 થી 17 મે દરમિયાન નોર્વે, નેધરલેન્ડ અને ક્રોએશિયાની મુલાકાતે જવાના હતા. જોકે, તેમણે તેમનો પ્રવાસ રદ કર્યો છે. ચિંતાઓ અને તણાવ ઓછો કરવાના આહવાન વચ્ચે, ભારતે અમેરિકા અને ચીન સહિત મુખ્ય શક્તિઓ સાથે રાજદ્વારી સંપર્ક વધાર્યો અને NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી S. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તેમના અનેક સમકક્ષો અને વિદેશી રાજદૂતો સાથે વાતચીત કરી.

Ajit-Doval1
hindi.moneycontrol.com

હવે આગામી 24-48 કલાકમાં પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરના આગામી પગલાં મહત્વપૂર્ણ રહેશે. રાવલપિંડી પાકિસ્તાનના આંતરિક ભાગમાં થયેલા હુમલાઓને કેવી રીતે જુએ છે. આ આગળના પગલાંને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે. મુરીદકે લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક છે, બહાવલપુર જૈશ-એ-મોહમ્મદનું ઠેકાણું છે અને હિઝબુલ મુજાહિદ્દીન સિયાલકોટમાં સ્થિત છે. આના પરના હુમલાઓને પાકિસ્તાનની વ્યૂહાત્મક સંપત્તિના અપમાન તરીકે અર્થઘટન કરી શકાય છે અને પાકિસ્તાનના સશસ્ત્ર દળો તરફથી બદલો લેવાની સંભાવના વધી શકે છે.

ઓપરેશન સિંદૂર પછી, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો સાથે સંપર્કમાં છે. USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેમને આશા છે કે આ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે, જો હું કંઈ પણ મદદ કરી શકું તો હું હાજર રહીશ. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને હુમલાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'આ શરમજનક છે. અમે જ્યારે ઓવલ દરવાજામાંથી અંદર જતા હતા ત્યારે અમને તેના વિશે ખબર પડી. મને લાગે છે કે લોકોને ખબર હતી કે કંઈક થવાનું છે, કારણ કે ભૂતકાળમાં આવું કંઈક બન્યું હતું. તેઓ ઘણા સમયથી લડી રહ્યા હતા. જો તમે ખરેખર તેના વિશે વિચારો છો, તો તમે જાણો છો કે તેઓ દાયકાઓ અને સદીઓથી લડી રહ્યા છે. હવે, મને આશા છે કે આ બહુ જલ્દી સમાપ્ત થઈ જશે.'

Ajit-Doval,-S-Jaishankar3
Ajit Doval, S Jaishankar

ટ્રમ્પે પછી કહ્યું, 'અમે બંને દેશો સાથે ખૂબ સારા સંબંધો ધરાવીએ છીએ, બંને સાથે અમારા સારા સંબંધો છે અને હું આ અટકી જાય તે જોવા માંગુ છું. જો હું કંઈ મદદ કરી શકું તો હું ચોક્કસ હાજર રહીશ.' NSA અજિત ડોભાલે US NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી, રશિયન NSA સેરગેઈ શોઇગુ, બ્રિટિશ NSA જોનાથન પોવેલ, સાઉદી NSA મુસૈદ અલ-આઈબાન, UAE NSA તહનુન બિન ઝાયેદ અલ નાહયાન, જાપાનના NSA મસાતાકા ઓકાનો અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોન સાથે વાત કરી હતી.

એક અધિકારીએ મીડિયા સૂત્રને જણાવ્યું, 'NSA ડોભાલે તેમના સમકક્ષોને કાર્યવાહીની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપી.' તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો તણાવ વધારવાનો કોઈ ઈરાદો નથી પરંતુ જો પાકિસ્તાન આવું કરવાનું નક્કી કરે તો તે કડક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે પોતાના સમકક્ષોને કહ્યું હોવાનું કહેવાય છે કે, ભારતનો તણાવ વધારવાનો કોઈ ઈરાદો નથી પરંતુ જો પાકિસ્તાન આવું કરશે તો તે કડક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આવું તેમના (પાકિસ્તાનના) ખાસ નજીકના મિત્ર ચીનના વાંગ યી દ્વારા ઇસ્લામાબાદને આપવામાં આવેલો સૌથી સ્પષ્ટ સંદેશ છે.

Ajit-Doval,-S-Jaishankar2
Ajit Doval, S Jaishankar

ચીનના વિદેશ મંત્રાલયે તેના પ્રવક્તા લિન જિયાન દ્વારા સ્પષ્ટ કર્યું કે, ચીન આજે સવારે ભારતની લશ્કરી કાર્યવાહીને ખેદજનક માને છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિને મીડિયા બ્રીફિંગમાં કહ્યું, 'અમે વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન એકબીજાના પાડોશી છે અને હંમેશા રહેશે. તે બંને ચીનના પણ પડોશી છે.'

વિદેશ મંત્રી જયશંકરે પણ તેમના સમકક્ષો સાથે વાત કરી. તેમણે ફ્રાન્સના જીન-નોએલ બેરોટ, જર્મનીના જોહાન વેડફુલ, જાપાનના તાકેશી ઇવાયા, સ્પેનના જોસ મેન્યુઅલ આલ્બેરેસ અને કતારના મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાની સાથે વાત કરી. તેમણે તેમને સરહદ પારના આતંકવાદી માળખા સામે ભારતની કાર્યવાહી વિશે માહિતી આપી.

S-Jaishankar
jagran.com

ઇવાયા સાથે ફોન પર વાતચીત પછી, જયશંકરે કહ્યું કે, સરહદ પારના આતંકવાદી માળખા સામે ભારતની કાર્યવાહી અંગે ચર્ચા થઈ. જયશંકરે કહ્યું કે, તેણે બરોટ અને વાડેફૂલ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું, 'પહલગામ આતંકવાદી હુમલાના પગલે તેમની એકતા અને સમર્થનની પ્રશંસા કરી.' ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી નવી દિલ્હી પહોંચી ગયા છે અને તેઓ આજે જયશંકરને મળશે. નવી દિલ્હીમાં, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ 13 વિદેશી રાજદૂતોને માહિતી આપી.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.