તમને મળેલા ચલણનું સસ્તામાં સમાધાન કરવું છે તો તૈયાર થઈ જાવ 13 તારીખે યોજાશે લોક અદાલત

13 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં ભારતમાં લાખો વાહન માલિકોને તેમના બાકી રહેલા ટ્રાફિક ચલણોનો નિકાલ કરવાની તક મળશે. ખાસ લોક અદાલતો લોકોને ઘટાડેલા દરે દંડ ભરવાની અથવા કેટલાક કિસ્સાઓમાં તેને સંપૂર્ણપણે રદ કરવાની તક આપે છે. આ પગલાનો હેતુ હેલ્મેટ, સીટ બેલ્ટ અથવા માન્ય પ્રદૂષણ પ્રમાણપત્ર વિના વાહન ચલાવવા જેવા નાના ટ્રાફિક ઉલ્લંઘનોના મોટા પેન્ડિંગ કેસનો નિકાલ કરવાનો છે. જો કે, આ રાહત દારૂ પીને વાહન ચલાવવા, હિટ એન્ડ રનના કેસ અથવા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી મૃત્યુ જેવા ગંભીર ગુનાઓ પર લાગુ પડશે નહીં, જે લોક અદાલતના કાર્યક્ષેત્રની બહાર છે.

Lok Adalat 2025
naidunia.com

આ પ્રકારના નાના ઉલ્લંઘનો સંબંધિત ચલણો માફ કરવામાં આવશે અથવા ઘટાડવામાં આવશે: સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું, લાલ લાઈટ ચાલુ હોય તો તેને પાર કરીને નીકળી જવું, જો ખોટું ચલણ મોકલવામાં આવ્યું હોય, ઝડપી વાહન ચલાવવું, PUC પ્રમાણપત્ર ન હોવું, ખોટી જગ્યાએ પાર્કિંગ કરવું, લાઇસન્સ વિના વાહન ચલાવવું, વાહન ફિટનેસ પ્રમાણપત્ર ન હોવું, ખોટી લાઈનમાં વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલની અવગણના કરવી, નંબર પ્લેટ વિના વાહન ચલાવવું.

લોક અદાલત ગંભીર ઉલ્લંઘનો સંબંધિત કેસોની સુનાવણી કરશે નહીં. આમાં આ યાદીઓ સામેલ છે: નશામાં વાહન ચલાવવું, હિટ એન્ડ રન કેસ, બેદરકારીથી વાહન ચલાવવાના કારણે મૃત્યુ થયું હોય, સગીર બાળકો દ્વારા વાહન ચલાવવું, અનધિકૃત રેસિંગ અથવા સ્પીડિંગ ટ્રાયલ, ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, કોર્ટમાં પેન્ડિંગ ટ્રાફિક ચલણો, અન્ય રાજ્યોમાંથી મોકલાયેલા ચલણો.

Lok Adalat 2025
tv9hindi.com

લોક અદાલત ટોકન: હાજરી આપતા પહેલા નોંધણી ફરજિયાત છે. ભાગ લેવા માટે, લોકોએ પહેલા ઓનલાઈન નોંધણી પૂર્ણ કરવી પડશે. અરજી કર્યા પછી, એક ટોકન નંબર અને નિમણૂક પત્ર મોકલવામાં આવશે, જેમાં હાજર રહેવાની તારીખ અને સમયનો ઉલ્લેખ હશે. સુનાવણીના દિવસે, વ્યક્તિઓએ નિમણૂક પત્ર, ટોકન અને જરૂરી દસ્તાવેજો સાથે લાવવા પડશે. અધિકારીઓ દ્વારા નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા એક કલાક પહેલા પહોંચવાની સલાહ આપવામાં આવે છે.

ટ્રાફિક ચલણની સાથે, લોક અદાલતમાં કૌટુંબિક વિવાદો, મિલકતને સબંધિત બાબતો અને અન્ય પેન્ડિંગ નાના કોર્ટના કેસ જેવા સિવિલ કેસોની પણ સુનાવણી કરવામાં આવશે. ન્યાયાધીશ બંને પક્ષોને સાંભળશે અને આદેશ પસાર કર્યા પછી કેસનો નિકાલ કરશે. લોક અદાલતો કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ, 1987 હેઠળ આયોજિત કરવામાં આવે છે.

Lok Adalat 2025
hindi.dynamitenews.com

લોક અદાલત 2025: ઓનલાઈન અરજી કેવી રીતે કરવી-રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA)ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. લોક અદાલત માટે ઓનલાઈન અરજીનો વિકલ્પ પસંદ કરો. ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ઈમેલ અથવા ફોન દ્વારા ટોકન નંબર મેળવવા માટે ફોર્મ સબમિટ કરો.

સુનાવણીના દિવસે ટોકન નંબર મુજબ કેસ સબંધિત બોલાવવામાં આવશે. અરજદારોએ ખાતરી કરવી પડશે કે, જો કેસ ટ્રાફિક દંડ સંબંધિત હોય તો તેઓ મૂળ વાહનના કાગળો અને ચલણ વિગતો સહિત તમામ સંબંધિત દસ્તાવેજો લાવે. પેન્ડિંગ ચલણનો નિકાલ કરવા માટે કેટલાક કેન્દ્રો પર બેન્ચ ગોઠવવામાં આવી છે, જ્યાં તમે સીધા આવીને ચલણ ચૂકવી શકો છો. આ માટે, સ્થાનિક કોર્ટ અને સત્તાવાર કાનૂની સંસ્થાની જાહેરાતો તપાસો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.