- National
- ઓપરેશન સિંદૂર બાદ માલદીવ્સના બદલાયા સૂર, આમ જ નથી ભારત સરકારના સમર્થનમાં ઉતરી મુઇજ્જૂ સરકાર
ઓપરેશન સિંદૂર બાદ માલદીવ્સના બદલાયા સૂર, આમ જ નથી ભારત સરકારના સમર્થનમાં ઉતરી મુઇજ્જૂ સરકાર

માલદીવ્સે પહેલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતા ભારતને સહયોગ આપવાનો વાયદો કર્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી ડૉ. અબ્દુલ્લા ખલીલે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતમાં પોતાના દેશના સમર્થનની વાત કહી. બંને દેશોના વિદેશ મંત્રીઓની અધ્યક્ષતામાં ભારત-માલદીવ્સ ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બીજી બેઠક સંપન્ન થઈ હતી. તેમાં, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા સાથે જ, સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ તરફથી તરફથી જાહેર કરાયેલા વિઝન ડોક્યૂમેન્ટના લક્ષ્યો અને તેને હાંસલ કરવા માટે ઉઠાવવામાં આવનારા પગલાં પર પણ વાત થઈ છે. ડૉ. અબ્દુલ્લા ખલીલ હાલમાં ભારતની મુલાકાતે છે. કહેવામાં આવી રહ્યું છે કે, 2 વર્ષ અગાઉ મુઇજ્જૂના માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં જે કડવાશ આવી હતી તે પૂરી રીતે ખતમ થઈ ચૂકી છે. વિદેશ મંત્રાલય તરફથી બતાવવામાં આવ્યું છે કે, ડૉ. ખલીલે ભારત તરફથી સમયસર મળેલી નાણાકીય સહાય માટે ફરી એક વખત ભારતનો આભાર માન્યો છે. તેનાથી માલદીવ્સના સામાન્ય નાગરિકોના જીવન પર પણ ખૂબ જ સકારાત્મક અસર પડી છે.

ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોને દિશા આપવાને લઈને ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ રહેવાની છે. સમુદ્રી સુરક્ષાને લઈને કયા મુદ્દાઓ પર વાત થઈ તેની બાબતે વિસ્તારથી કશું જ બતાવવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે માલદીવ્સ તરફથી ભારતને એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાંની સરકાર એવી કોઈ ગતિવિધિ કરી રહી નથી, જેથી ભારતના હિતોને નુકસાન થાય. બેઠકમાં ભારત તરફથી શરૂ કરવામાં આવનારા નવી માળખાગત પરિયોજનાઓ પર પણ વાત થઈ હતી.