ઓપરેશન સિંદૂર બાદ માલદીવ્સના બદલાયા સૂર, આમ જ નથી ભારત સરકારના સમર્થનમાં ઉતરી મુઇજ્જૂ સરકાર

માલદીવ્સે પહેલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતા ભારતને સહયોગ આપવાનો વાયદો કર્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી ડૉ. અબ્દુલ્લા ખલીલે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતમાં પોતાના દેશના સમર્થનની વાત કહી. બંને દેશોના વિદેશ મંત્રીઓની અધ્યક્ષતામાં ભારત-માલદીવ્સ ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બીજી બેઠક સંપન્ન થઈ હતી. તેમાં, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા સાથે જ, સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Maldives2
greaterkashmir.com

 

આ સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ તરફથી તરફથી જાહેર કરાયેલા વિઝન ડોક્યૂમેન્ટના લક્ષ્યો અને તેને હાંસલ કરવા માટે ઉઠાવવામાં આવનારા પગલાં પર પણ વાત થઈ છે. ડૉ. અબ્દુલ્લા ખલીલ હાલમાં ભારતની મુલાકાતે છે. કહેવામાં આવી રહ્યું છે કે, 2 વર્ષ અગાઉ મુઇજ્જૂના માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં જે કડવાશ આવી હતી તે પૂરી રીતે ખતમ થઈ ચૂકી છે. વિદેશ મંત્રાલય તરફથી બતાવવામાં આવ્યું છે કે, ડૉ. ખલીલે ભારત તરફથી સમયસર મળેલી નાણાકીય સહાય માટે ફરી એક વખત ભારતનો આભાર માન્યો છે. તેનાથી માલદીવ્સના સામાન્ય નાગરિકોના જીવન પર પણ ખૂબ જ સકારાત્મક અસર પડી છે.

Maldives1
greaterkashmir.com

 

ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોને દિશા આપવાને લઈને ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ રહેવાની છે. સમુદ્રી સુરક્ષાને લઈને કયા મુદ્દાઓ પર વાત થઈ તેની બાબતે વિસ્તારથી કશું જ બતાવવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે માલદીવ્સ તરફથી ભારતને એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાંની સરકાર એવી કોઈ ગતિવિધિ કરી રહી નથી, જેથી ભારતના હિતોને નુકસાન થાય. બેઠકમાં ભારત તરફથી શરૂ કરવામાં આવનારા નવી માળખાગત પરિયોજનાઓ પર પણ વાત થઈ હતી.

About The Author

Related Posts

Top News

નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે...
Politics 
નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.