વીરૂની જેમ ટાંકી પર ચડી પત્નીને બોલાવવા જિદે ચડ્યો, ભાગીને લગ્ન કર્યા હતા પણ...

ધર્મેન્દ્ર અને અમિતાભ અભિનીત શોલે ફિલ્મ તમને યાદ છે? એક સીનમાં ધર્મેન્દ્ર પાણીની ટાંકી પર ચઢી જાય છે અને આત્મહત્યાનું નાટક કરે છે. આવો જ એક વાસ્તિવક સીન રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળ્યો છે.રાજસ્થાનના ભરતપુરમાં એક યુવાન પાણીની ટાંકી પર ચઢી ગયો હતો અને પોતાની પ્રેમિકાને બોલાવવાની જીદ પકડીને બેઠો હતો. યુવકને સમજાવતા સમજાવતા પોલીસ અને તંત્રને પરસેવો પડી ગયો હતો. જો કે આખરે યુવાન નીચે ઉતરી ગયો છે.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક તેની પ્રેમિકાને પોતાની પાસે બોલાવવાની જીદ કરીને પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમે તેને કેટલાક કલાકો સુધી સમજાવવાની કોશિશ કરી હતી, ટાંકી પરથી નીચે આવ્યો ન હતો. યુવકે કહ્યું કે જ્યારે તેની ગર્લફ્રેન્ડ તેને મળવા આવશે ત્યારે જ તે નીચે આવશે.

યુવકની બહેન અને ભાણેજને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ યુવક પોતાની વાત પર જ અડગ રહ્યો હતો. બાદમાં પોલીસે પ્રેમિકાને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. પ્રેમિકાએ સમજાવ્યા બાદ જ યુવક પાણીની ટાંકી પરથી નીચે ઉતરી શક્યો હતો. મળતી માહિતી મુજબ, ભરતપુરના બયાના પોલીસ સ્ટેશન વિસ્તારના અગાવલી ગામના રહેવાસી 23 વર્ષનો લાલજીત અને ભરતપુરની એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. છોકરીના મામા છોકરાના ગામમાં છે. યુવતી તેના મામાના ઘરે આવતી-જતી હતી.

બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બંને 10મેના દિવસે ઘરેથી ભાગીને ગાજીયાબાદ પહોંચ્યા હતા. એવા દાવો કરવામાં આવ્યો હતો કે યુવક અને યુવતીએ આર્ય સમાજ વિધીથી લગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારે મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં 11 મેના દિવસે ફરિયાદ નોંધાવીને જેના આધારે પોલીસ યુવતીને પકડીને ભરતપુર લઇ આવી હતી. પોલીસે જયારે યુવતીનું નિવેદન લીધું તો તેણીએ પોતાના પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યકત કરી હતી,એટલે પોલીસે યુવતીને તેના પરિવાર પાસે મોકલી આપી હતી.

પોલીસે કહ્યું કે, એક યુવક પાણીની ટાંકી પર ચઢી ગયો હોવાની માહિતી મળતા અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને યુવકને સમજાવ્યો હતો, પરંતુ માન્યો નહોતો, આખરે પ્રેમિકાને બોલાવવી પડી અને તેણીએ આવીને કહ્યું, પછી યુવક નીચે ઉતર્યો. બંને પક્ષોની ફરિયાદ લેવામાં આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.