અદાણી મામલે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ન શકાય, વકીલની માગ પર સુપ્રીમનો નકાર

સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપ પરના હિન્ડેનબર્ગ રિપોર્ટના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે, અમે મીડિયા પર પ્રતિબંધ મૂકી શકીએ નહીં. અમે અમારો ચુકાદો આપીશું. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે શુક્રવારે એડવોકેટ ML શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી.

ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું, 'અમે મીડિયા સામે કોઈ આદેશ આપવાના નથી. અમારે જે કરવું હશે તે કરીશું. અમે અમારો ઓર્ડર બહાર પાડીશુ. હકીકતમાં, ML શર્માએ તેમની અરજીમાં માંગ કરી હતી કે, જ્યાં સુધી હિંડનબર્ગ રિપોર્ટની વિરુદ્ધ તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સમિતિની રચના કરવામાં ન આવે ત્યાં સુધી મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. શર્માએ કહ્યું હતું કે, આ મામલે એક સમિતિની રચના કરવાની છે, જે તપાસ કરશે કે હિંડનબર્ગ રિપોર્ટ કોઈ ષડયંત્રનું પરિણામ છે કે નહીં.

આ પછી પણ અદાણી ગ્રુપ વિશે મીડિયામાં સતત સમાચારો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા અહેવાલોથી લાખો રોકાણકારો પ્રભાવિત થઈ રહ્યા છે. એટલા માટે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી મીડિયા પર રોક લગાવવી જોઈએ. આ દલીલોને ફગાવી દેતાં ચીફ જસ્ટિસે કહ્યું, 'અમે પહેલાથી જ અમારો આદેશ અનામત રાખ્યો છે અને તેની ઘોષણા કરીશું. તમે કોઈ માન્ય દલીલ કરો. અમે મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નથી. અહીં તમને જણાવી દઈએ કે, 17 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક કમિટી બનાવવાની માંગ પર સુનાવણી થઈ હતી. ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મીડિયા પર પ્રતિબંધની વાત હતી, જેમાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટમાં શું થઈ રહ્યું છે. શું તમે તમારા મગજની કસરત કરો છો? નાગરિકો આ બધા વિશે જાણવા માંગે છે. અમે અમારી હાઈકોર્ટનું મનોબળ ખતમ કરવા માંગતા નથી. તેઓ અમારી ન્યાયિક પ્રક્રિયાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. દલીલોની રજૂઆત દરમિયાન, ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઘણી ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે અને ઘણી વસ્તુઓ કહેવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.