અદાણી મામલે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ન શકાય, વકીલની માગ પર સુપ્રીમનો નકાર

સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપ પરના હિન્ડેનબર્ગ રિપોર્ટના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે, અમે મીડિયા પર પ્રતિબંધ મૂકી શકીએ નહીં. અમે અમારો ચુકાદો આપીશું. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે શુક્રવારે એડવોકેટ ML શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી.

ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું, 'અમે મીડિયા સામે કોઈ આદેશ આપવાના નથી. અમારે જે કરવું હશે તે કરીશું. અમે અમારો ઓર્ડર બહાર પાડીશુ. હકીકતમાં, ML શર્માએ તેમની અરજીમાં માંગ કરી હતી કે, જ્યાં સુધી હિંડનબર્ગ રિપોર્ટની વિરુદ્ધ તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સમિતિની રચના કરવામાં ન આવે ત્યાં સુધી મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. શર્માએ કહ્યું હતું કે, આ મામલે એક સમિતિની રચના કરવાની છે, જે તપાસ કરશે કે હિંડનબર્ગ રિપોર્ટ કોઈ ષડયંત્રનું પરિણામ છે કે નહીં.

આ પછી પણ અદાણી ગ્રુપ વિશે મીડિયામાં સતત સમાચારો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા અહેવાલોથી લાખો રોકાણકારો પ્રભાવિત થઈ રહ્યા છે. એટલા માટે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી મીડિયા પર રોક લગાવવી જોઈએ. આ દલીલોને ફગાવી દેતાં ચીફ જસ્ટિસે કહ્યું, 'અમે પહેલાથી જ અમારો આદેશ અનામત રાખ્યો છે અને તેની ઘોષણા કરીશું. તમે કોઈ માન્ય દલીલ કરો. અમે મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નથી. અહીં તમને જણાવી દઈએ કે, 17 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક કમિટી બનાવવાની માંગ પર સુનાવણી થઈ હતી. ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મીડિયા પર પ્રતિબંધની વાત હતી, જેમાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટમાં શું થઈ રહ્યું છે. શું તમે તમારા મગજની કસરત કરો છો? નાગરિકો આ બધા વિશે જાણવા માંગે છે. અમે અમારી હાઈકોર્ટનું મનોબળ ખતમ કરવા માંગતા નથી. તેઓ અમારી ન્યાયિક પ્રક્રિયાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. દલીલોની રજૂઆત દરમિયાન, ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઘણી ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે અને ઘણી વસ્તુઓ કહેવામાં આવે છે.

About The Author

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.