માજી સરપંચના ઘરે મળી આવી ગન ફેક્ટ્રી, બંદૂક બનાવવા માટે લગાવાઈ હતી મશીનો

બિહારના પૂર્ણિયામાં પોલીસે એક એવી રેડ મારી કે તે પોતે હેરાન રહી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જાનકી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચકમકા ગામમાં પોલીસે એક મિની ગન ફેક્ટ્રીનો પર્દાફાસ કર્યો છે. હેરાનીની વાત એ છે કે અહીથી હથિયાર બનાવવા માટે ઘણી અત્યાધુનિક મશીનો અને પિસ્તોલના બેરલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પૂર્ણિયા પોલીસ અને મુંગેર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ચકમકા બજારમાં માજી સરપંચના પતિ મિથિલેશ યાદવના ઘરમાં ચાલી રહેલી આ મિનિ ગન ફેક્ટ્રીનો ખુલાસો કર્યો છે.

આ અંગે પૂર્ણિયાના SP આમિર જાવેદે જણાવ્યું કે, મુંગેર પોલીસે એક હથિયાર તસ્કરની ધરપકડ કરી હતી. તેની પાસેથી કેટલાક હથિયાર પણ જપ્ત થયા હતા. ત્યારબાદ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પૂર્ણિયાના જાનકી નગર પોલીસ સ્ટેશનના ચકમકા ગામમાં આ હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મુંગેર પોલીસે SP સાથે સંપર્ક કર્યો. પછી પૂર્ણિયાના SP આમિર જાવેદે બનમનખી SDOP હુલાસ કુમાર અને જાનકી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમપ્રકાશના નેતૃત્વમાં છાપેમારી કરવા ટીમની રચના કરી.

શુક્રવારે સવારે 03:00 વાગ્યે પોલીસ ટીમે ચકમકા બજારમાં મિથિલેશ યાદવના ઘરને ચારેય તરફ ઘેરી લીધું અને જ્યારે એ ઘરની તપાસ કરવામાં આવી તો પોલીસ પણ થોડી ક્ષણ હેરાન રહી ગઈ હતી. માજી સરપંચના નવા ઘરમાં પિસ્તોલ અને અન્ય હથિયારો બનાવવા માટે ખૂબ અત્યાધુનિક મશીનો લગાવવામાં આવી હતી. પોલીસને ત્યાંથી પિસ્તોલના કેટલાક બેરલ પણ જપ્ત થયા છે. ત્યારબાદ પોલીસ દ્વારા એક ટ્રેક્ટરમાં બધી મશીનો લોડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.

તો જાનકી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમ પ્રકાશે જણાવ્યું કે, આ અંગે મિથિલેશ યાદવના ભાઈ જીતુ કુમાર સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂર્ણિયાના બડહરા કોઠી પોલીસ સ્ટેશન કેલૂટોનમાં પણ 3 વર્ષ અગાઉ મિનિ ગન ફેક્ટ્રી પકડાઈ હતી. એ સિવાય ધમદાહા પોલીસ સ્ટેશનના કુકરનમાં 1 વર્ષ અગાઉ મિનિ ગન ફેક્ટ્રીનો ખુલાસો થયો હતો. એવામાં તો અહી લાગે છે કે પૂર્ણિયા હવે હથિયાર બનાવવાના મામલે મુંગેર બનતું જઈ રહ્યું છે. પોલીસ પ્રશાસન આ મામલે સખત કાર્યવાહી કરે તે જરૂરી છે.

About The Author

Related Posts

Top News

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.