હવામાન વિભાગ નવા વાવાઝોડાને લઇ ચિંતામાં, 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ભારતમાં હાલમાં જ જરા નબળું પડેલું ચોમાસું ફરી એકવાર તેનું ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાની સ્થિતિ ઊભી થઇ છે. જેના કારણે કુલ 12 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેલંગણામાં આવનારા ત્રણ દિવસોમાં લોકોને કારણ વિના ઘરેથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

નોર્થ ઈન્ડિયામાં પણ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. ગંગા નદી પણ હાલમાં તોફાને ચઢી છે. એજ કારણ છે કે ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ હજુ પણ વર્તાઈ રહી છે.

હવામાન વિભાગે મંગળવાર માટે મુંબઈમાં ઓરેંજ એલર્ટ બહાર પાડ્યું છે. વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું ઊભું થઇ રહ્યું છે. આ વાવાઝોડુ પશ્ચિમ મધ્ય અને તેનાથી જોડાયેલ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર બન્યું છે. આ વાવાઝોડું સમુદ્રની સપાટીથી 5.8 થી 7.6 કિમી ઉપર છે. જેને કારણે 24 કલાકમાં આમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાનું અનુમાન છે.

આ રાજ્યોમાં માટે મોટું એલર્ટ

આ કારણે હવામાન વિભાગે તેલંગણા, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યાં કુલ 115.6 મિલીમીટરથી 204.4 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે 64.5 મિમીથી 115.5 મિમી સુધીના વરસાદનું અનુમાન હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના પૂર્વીય વિસ્તારો, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, અંડમાન અને નિકોબાર, મરાઠાવાડ, તટીય આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, તેલંગણા, આંતરિક કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પોંડિચેરીમાં પણ છે.

ગંગા-યમુના તોફાન પર

સમાચાર એજન્સીની રિપોર્ટ અનુસાર, મંગળવારે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 205.45 મીટર નોંધાયું છે. જે ડેંજર લેવલથી વધારે છે. લગભગ 10 દિવસ પહેલા દિલ્હીમાં લોકોએ પૂર જેવી સ્થિતિનો સામનો કર્યો છે. ફરી એકવાર દેશની કેપિટલમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. આ બંને નંદીઓ આગળ ચાલીને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોને કવર કરે છે. ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોના ડૂબવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ યમુનાની સહાયક નદી હિંડન પણ પહાડી વિસ્તારોમાં વધારે વરસાદને પગલે તોફાન મચાવી રહી છે. નોઇડા, ગાઝિયાબાદના ઘણાં વિસ્તારો આ કારણે ખાલી કરવામાં આવ્યા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.