IMDની ચેતવણી: બંગાળની ખાડીમાં સર્જાતું સંકટ, 26 નવેમ્બરે ‘સેન્યાર’ ચક્રવાત બનવાની આશંકા

ભારતીય હવામાન વિભાગે (IMD) દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડીમાં નવો મોસમી તોફાન ઝડપથી આકાર લઈ રહ્યો છે. મલેશિયા નજીક મલક્કા સ્ટ્રેટમાં બનેલું લો પ્રેશર હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે અને IMD મુજબ તે 26 નવેમ્બર આસપાસ ‘સેન્યાર’ (Cyclone Senyar) નામના ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ 25 થી 29 નવેમ્બરની વચ્ચે આંદામાન, ઓડિશા, તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.

Cyclone-Senyar-Alert1
ddnews.gov.in

કેવી રીતે ઊભું થઈ રહ્યું છે વાવાઝોડું ‘સેન્યાર’?

તાજા અપડેટ અનુસાર મલક્કા સ્ટ્રેટમાં રહેલું લો પ્રેશર પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. 25 નવેમ્બરે તે કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકા નજીક પહોંચશે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ દક્ષિણ આંદામાન સમુદ્ર પર ‘ડિપ્રેશન’નું સ્વરૂપ ધારણ કરવાની શક્યતા છે. ત્યારબાદ 26 નવેમ્બર સુધીમાં તે વધુ સશક્ત બની ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈ શકે છે. ચક્રવાતનું નામ ‘સેન્યાર’ UAE દ્વારા આપવામાં આવ્યું છે, જેનો અર્થ ‘સિંહ’ થાય છે.

વરસાદની આગાહી — કયા રાજ્યોમાં થશે ભારે વરસાદ?

તમિલનાડુમાં 25 થી 27 નવેમ્બર ભારે વરસાદ, 24 તથા 28–30 નવેમ્બર અતિભારે વરસાદની ચેતવણી છે, તો કેરળ અને માહેમાં 24 થી 26 નવેમ્બર: ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશમાં 29–30 નવેમ્બર: કાંઠા અને યનમ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને અન્ય વિસ્તારોમાં 24 નવેમ્બરે લક્ષદ્વીપમાં ભારે વરસાદની શક્યતા છે. પવનની ગતિ 65–100 કિમી/કલાક સુધી પહોંચી શકે છે, જે નુકસાનકારક બની શકે છે

Cyclone-Senyar-Alert2
lauberandwill.com

વાવાઝોડાની હાલની સ્થિતિ અને શક્ય રસ્તો

હાલમાં સિસ્ટમ દરિયાઈ સપાટીથી લગભગ 1000 કિમી દૂર છે. દક્ષિણ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના પ્રભાવથી 23 નવેમ્બરે કાવેરી ડેલ્ટા તથા તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સિસ્ટમ આગળ વધીને 26 નવેમ્બર બાદ તમિલનાડુ–આંધ્ર પ્રદેશના કિનારે અટકી શકે છે અથવા ઉત્તર તરફ વળી ઓડિશા અને બાંગ્લાદેશ તરફ આગળ વધી શકે છે. તેથી આગામી 48 કલાક ચક્રવાતની ચોક્કસ દિશા નક્કી કરવા નિર્ણાયક સાબિત થશે.

માછીમારો માટે સુરક્ષાની ખાસ સૂચનાઓ

સમુદ્રમાં વધતી હલચલને ધ્યાનમાં રાખીને નીચે મુજબ ચેતવણી આપવામાં આવી છે: 

27 નવેમ્બર સુધી દક્ષિણ આંદામાન સમુદ્રમાં ન જવું

25–28 નવેમ્બર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં પ્રવેશ પર પ્રતિબંધ

29 નવેમ્બર સુધી મન્નારની ખાડી, તમિલનાડુ, પુડુચેરી અને શ્રીલંકા દરિયાકાંઠે ન જવાની સલાહ

30 નવેમ્બર સુધી આંધ્ર પ્રદેશ કિનારે માછીમારી ઉપર પ્રતિબંધ

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.