આ રાજ્યની વિધાનસભામાં નમાજ અદા કરવા હવે મુસ્લિમ MLAને બ્રેક નહીં મળે, 90 વર્ષ જૂની પરંપરા તૂટી

આસામ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અહિયાં શુક્રવારની નમાજ માટે બે કલાકનો વિરામ આપવાની દાયકાઓ જૂની પરંપરા રદ કરવામાં આવી છે.  ચાલુ બજેટ સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ઓગસ્ટમાં ગૃહના છેલ્લા સત્રમાં લેવામાં આવ્યો હતો, પરંતુ આ સત્રથી તેનો અમલ કરવામાં આવ્યો.

આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા AIUDFના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે કહ્યું કે આ સંખ્યાના આધારે લાદવામાં આવેલો નિર્ણય છે. ઇસ્લામે કહ્યું વિધાનસભામાં લગભગ 30 મુસ્લિમ ધારાસભ્યો છે. અમે આ પગલા સામે અમારા મંતવ્યો વ્યક્ત કર્યા હતા. પરંતુ તેમની પાસે (ભાજપ) સંખ્યાબંળ છે અને તેઓ તેના આધારે તેઓ આને અમારા પર લાદી રહ્યા છે.વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ કહ્યું કે મુસ્લિમ ધારાસભ્યો માટે નજીકના વિસ્તારમાં શુક્રવારની નમાજ અદા કરવાની જોગવાઈ કરી શકાય છે.

assam-assembly

કોંગ્રેસ નેતાએ કહ્યું આજે મારા પક્ષના ઘણા સાથીદારો અને AIUDF ધારાસભ્યો નમાઝ પઢવા ગયા ત્યારે મહત્ત્વપૂર્ણ ચર્ચા ચૂકી ગયા. શુક્રવારે જ ખાસ પ્રાર્થના કરવી ફરજિયાત હોય છે. મને લાગે છે કે નજીકમાં તેના માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી શકે છે.

લગભગ 90 વર્ષ જૂની આ પરંપરાને બંધ કરવાનો નિર્ણય ગયા વર્ષે ઓગસ્ટમાં વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતાવાળી ગૃહ નિયમ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.

 assam-assembly2

તમને જણાવી દઈએ કે વર્ષોથી આસામ વિધાનસભામાં જુમ્માની નમાજ અદા કરવા માટે મુસ્લિમ ધારાસભ્યોને 2 કલાકનો બ્રેક આપવામાં આવતો હતો. આ દરમિયાન સદનની કાર્યવાહી રોકી દેવામાં આવતી હતી. આ અંગે સ્પીકરે સંવિધાનની ધર્મનિરપેક્ષ પ્રકૃતિનો હવાલો આપીને પ્રસ્તાવ આપ્યો હતો કે, આસામ વિધાનસભાને અન્ય દિવસોની જેમ શુક્રવારે પણ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. આ પ્રસ્તાવને સમિતિ સામે મૂકવામાં આવ્યો હતો અને તેને સર્વસમ્મતિથી પાસ કરી દેવામાં આવ્યો હતો.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.