આ રાજ્યની વિધાનસભામાં નમાજ અદા કરવા હવે મુસ્લિમ MLAને બ્રેક નહીં મળે, 90 વર્ષ જૂની પરંપરા તૂટી

આસામ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અહિયાં શુક્રવારની નમાજ માટે બે કલાકનો વિરામ આપવાની દાયકાઓ જૂની પરંપરા રદ કરવામાં આવી છે.  ચાલુ બજેટ સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ઓગસ્ટમાં ગૃહના છેલ્લા સત્રમાં લેવામાં આવ્યો હતો, પરંતુ આ સત્રથી તેનો અમલ કરવામાં આવ્યો.

આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા AIUDFના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે કહ્યું કે આ સંખ્યાના આધારે લાદવામાં આવેલો નિર્ણય છે. ઇસ્લામે કહ્યું વિધાનસભામાં લગભગ 30 મુસ્લિમ ધારાસભ્યો છે. અમે આ પગલા સામે અમારા મંતવ્યો વ્યક્ત કર્યા હતા. પરંતુ તેમની પાસે (ભાજપ) સંખ્યાબંળ છે અને તેઓ તેના આધારે તેઓ આને અમારા પર લાદી રહ્યા છે.વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ કહ્યું કે મુસ્લિમ ધારાસભ્યો માટે નજીકના વિસ્તારમાં શુક્રવારની નમાજ અદા કરવાની જોગવાઈ કરી શકાય છે.

assam-assembly

કોંગ્રેસ નેતાએ કહ્યું આજે મારા પક્ષના ઘણા સાથીદારો અને AIUDF ધારાસભ્યો નમાઝ પઢવા ગયા ત્યારે મહત્ત્વપૂર્ણ ચર્ચા ચૂકી ગયા. શુક્રવારે જ ખાસ પ્રાર્થના કરવી ફરજિયાત હોય છે. મને લાગે છે કે નજીકમાં તેના માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી શકે છે.

લગભગ 90 વર્ષ જૂની આ પરંપરાને બંધ કરવાનો નિર્ણય ગયા વર્ષે ઓગસ્ટમાં વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતાવાળી ગૃહ નિયમ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.

 assam-assembly2

તમને જણાવી દઈએ કે વર્ષોથી આસામ વિધાનસભામાં જુમ્માની નમાજ અદા કરવા માટે મુસ્લિમ ધારાસભ્યોને 2 કલાકનો બ્રેક આપવામાં આવતો હતો. આ દરમિયાન સદનની કાર્યવાહી રોકી દેવામાં આવતી હતી. આ અંગે સ્પીકરે સંવિધાનની ધર્મનિરપેક્ષ પ્રકૃતિનો હવાલો આપીને પ્રસ્તાવ આપ્યો હતો કે, આસામ વિધાનસભાને અન્ય દિવસોની જેમ શુક્રવારે પણ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. આ પ્રસ્તાવને સમિતિ સામે મૂકવામાં આવ્યો હતો અને તેને સર્વસમ્મતિથી પાસ કરી દેવામાં આવ્યો હતો.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.