આ રાજ્યની વિધાનસભામાં નમાજ અદા કરવા હવે મુસ્લિમ MLAને બ્રેક નહીં મળે, 90 વર્ષ જૂની પરંપરા તૂટી

આસામ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અહિયાં શુક્રવારની નમાજ માટે બે કલાકનો વિરામ આપવાની દાયકાઓ જૂની પરંપરા રદ કરવામાં આવી છે.  ચાલુ બજેટ સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ઓગસ્ટમાં ગૃહના છેલ્લા સત્રમાં લેવામાં આવ્યો હતો, પરંતુ આ સત્રથી તેનો અમલ કરવામાં આવ્યો.

આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા AIUDFના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે કહ્યું કે આ સંખ્યાના આધારે લાદવામાં આવેલો નિર્ણય છે. ઇસ્લામે કહ્યું વિધાનસભામાં લગભગ 30 મુસ્લિમ ધારાસભ્યો છે. અમે આ પગલા સામે અમારા મંતવ્યો વ્યક્ત કર્યા હતા. પરંતુ તેમની પાસે (ભાજપ) સંખ્યાબંળ છે અને તેઓ તેના આધારે તેઓ આને અમારા પર લાદી રહ્યા છે.વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ કહ્યું કે મુસ્લિમ ધારાસભ્યો માટે નજીકના વિસ્તારમાં શુક્રવારની નમાજ અદા કરવાની જોગવાઈ કરી શકાય છે.

assam-assembly

કોંગ્રેસ નેતાએ કહ્યું આજે મારા પક્ષના ઘણા સાથીદારો અને AIUDF ધારાસભ્યો નમાઝ પઢવા ગયા ત્યારે મહત્ત્વપૂર્ણ ચર્ચા ચૂકી ગયા. શુક્રવારે જ ખાસ પ્રાર્થના કરવી ફરજિયાત હોય છે. મને લાગે છે કે નજીકમાં તેના માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી શકે છે.

લગભગ 90 વર્ષ જૂની આ પરંપરાને બંધ કરવાનો નિર્ણય ગયા વર્ષે ઓગસ્ટમાં વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતાવાળી ગૃહ નિયમ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.

 assam-assembly2

તમને જણાવી દઈએ કે વર્ષોથી આસામ વિધાનસભામાં જુમ્માની નમાજ અદા કરવા માટે મુસ્લિમ ધારાસભ્યોને 2 કલાકનો બ્રેક આપવામાં આવતો હતો. આ દરમિયાન સદનની કાર્યવાહી રોકી દેવામાં આવતી હતી. આ અંગે સ્પીકરે સંવિધાનની ધર્મનિરપેક્ષ પ્રકૃતિનો હવાલો આપીને પ્રસ્તાવ આપ્યો હતો કે, આસામ વિધાનસભાને અન્ય દિવસોની જેમ શુક્રવારે પણ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. આ પ્રસ્તાવને સમિતિ સામે મૂકવામાં આવ્યો હતો અને તેને સર્વસમ્મતિથી પાસ કરી દેવામાં આવ્યો હતો.

About The Author

Top News

ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો...
Politics 
ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.