કાશી વિશ્વનાથના દર્શન બાદ મુસ્લિમ મંચના લોકો કહે- રામ, કૃષ્ણ અને શિવ...

વારાણસીમાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપીના વ્યાસજીના તહખાનામાં ગુરુવારે સેકડોની સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી મુસ્લિમ સમુદાયના લોકોએ દર્શન અને પૂજા કરી. મુસ્લિમ સમુદાયના લોકો ઓમ નમઃ શિવાયના ઉદ્વોષ કરતા પણ નજરે પડ્યા. માથા પર ટોપી સાથે માથા પર તિલક પણ જોવા મળ્યા. દર્શન કરીને પરત નીકળેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના લોકોએ જણાવ્યું કે, તેઓ સનાતની મુસ્લિમ છે અને પોતાના નબીના દર્શન કરવા આવ્યા હતા.

સમૂહની આગેવાની મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સેવા પ્રમુખ ઠાકુર રાજા રાઈસ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, 350 સનાતની મુસ્લિમ સત્યમ, શિવમ, સુંદરમના સંદેશ સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં પોતાના બાબા, પોતાના પૂર્વજના દર્શન માટે આવ્યા છે. કુરાન શરીફમાં કહેવામાં આવ્યું છે કે 1 લાખ 24 હજાર નબી આ દુનિયામાં આવ્યા છે. એ નબીઓમાં રામ પણ છે, શિવ પણ છે અને કૃષ્ણ પણ છે. લઘુમતી સમાજના લોકો અમારા ભાઈ છે. આપણા બાપ-દાદા એક હતા. આજે પણ આપણા લોકોનું DNA એક છે.

ક્યાંક ને ક્યાંક કટ્ટરપંથી મૌલાના નિવેદન આપે છે. તેઓ એક અબજ 15 કરોડ લોકોને પડકાર આપે છે. એટલે ભારતીય સનાતની મુસ્લિમ, પોતાના બાબા પોતાના પૂર્વજના દર્શન કરવા, ભગવાન શ્રીરામને ત્યાં પણ 30 તારીખે ગયા હતા અને આજે કાશી વિશ્વનાથ મંદિર પણ આવ્યા છે. અમે આ સંદેશ આખા ભારતમાં આપવા માગીએ છીએ કે વિદેશી સંસ્કૃતિ અને વિદેશી ભાષાની ગુલામીથી નીકળીને સંસ્કૃતિ અને સુકૂનની ઠંડી હવા મળતી હતી અને એ જ સામાજિક સમરસતા હતી.

આ જ સંદેશ સનાતની મુસ્લિમ આપવા માગે છે. 3 જગ્યા માગવામાં આવી હતી. અયોધ્યા, મથુરા અને કાશી, પરંતુ કોઈએ પણ ન આપી. તેમણે જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને ગંગોત્રીના ગંગા જળથી જળાભિષેક પણ કર્યો છે. વ્યાસ તહખાનાના પણ દર્શન કર્યા. અમે લોકો કટ્ટરપંથી મુસ્લિમોને સંદેશ આપવા માગીએ છીએ કે આલમગીરનો ફતવો પણ છે કે વિવાદિત જગ્યા પર નમાજ નહીં થઈ શકે. તો બીજી તરફ જ્ઞાનવાપી કેસના મુસ્લિમ પક્ષકાર મુખ્તાર અન્સારીએ જણાવ્યું કે, તેમના ધર્મમાં મૂર્તિ પૂજા પર રોક છે એટલે મૂર્તિ પૂજા માટે આવનારા મુસ્લિમ પોતે મુસ્લિમ નથી એટલે તેઓ જે ઈચ્છે કરી શકે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.