કાશી વિશ્વનાથના દર્શન બાદ મુસ્લિમ મંચના લોકો કહે- રામ, કૃષ્ણ અને શિવ...

વારાણસીમાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપીના વ્યાસજીના તહખાનામાં ગુરુવારે સેકડોની સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી મુસ્લિમ સમુદાયના લોકોએ દર્શન અને પૂજા કરી. મુસ્લિમ સમુદાયના લોકો ઓમ નમઃ શિવાયના ઉદ્વોષ કરતા પણ નજરે પડ્યા. માથા પર ટોપી સાથે માથા પર તિલક પણ જોવા મળ્યા. દર્શન કરીને પરત નીકળેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના લોકોએ જણાવ્યું કે, તેઓ સનાતની મુસ્લિમ છે અને પોતાના નબીના દર્શન કરવા આવ્યા હતા.

સમૂહની આગેવાની મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સેવા પ્રમુખ ઠાકુર રાજા રાઈસ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, 350 સનાતની મુસ્લિમ સત્યમ, શિવમ, સુંદરમના સંદેશ સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં પોતાના બાબા, પોતાના પૂર્વજના દર્શન માટે આવ્યા છે. કુરાન શરીફમાં કહેવામાં આવ્યું છે કે 1 લાખ 24 હજાર નબી આ દુનિયામાં આવ્યા છે. એ નબીઓમાં રામ પણ છે, શિવ પણ છે અને કૃષ્ણ પણ છે. લઘુમતી સમાજના લોકો અમારા ભાઈ છે. આપણા બાપ-દાદા એક હતા. આજે પણ આપણા લોકોનું DNA એક છે.

ક્યાંક ને ક્યાંક કટ્ટરપંથી મૌલાના નિવેદન આપે છે. તેઓ એક અબજ 15 કરોડ લોકોને પડકાર આપે છે. એટલે ભારતીય સનાતની મુસ્લિમ, પોતાના બાબા પોતાના પૂર્વજના દર્શન કરવા, ભગવાન શ્રીરામને ત્યાં પણ 30 તારીખે ગયા હતા અને આજે કાશી વિશ્વનાથ મંદિર પણ આવ્યા છે. અમે આ સંદેશ આખા ભારતમાં આપવા માગીએ છીએ કે વિદેશી સંસ્કૃતિ અને વિદેશી ભાષાની ગુલામીથી નીકળીને સંસ્કૃતિ અને સુકૂનની ઠંડી હવા મળતી હતી અને એ જ સામાજિક સમરસતા હતી.

આ જ સંદેશ સનાતની મુસ્લિમ આપવા માગે છે. 3 જગ્યા માગવામાં આવી હતી. અયોધ્યા, મથુરા અને કાશી, પરંતુ કોઈએ પણ ન આપી. તેમણે જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને ગંગોત્રીના ગંગા જળથી જળાભિષેક પણ કર્યો છે. વ્યાસ તહખાનાના પણ દર્શન કર્યા. અમે લોકો કટ્ટરપંથી મુસ્લિમોને સંદેશ આપવા માગીએ છીએ કે આલમગીરનો ફતવો પણ છે કે વિવાદિત જગ્યા પર નમાજ નહીં થઈ શકે. તો બીજી તરફ જ્ઞાનવાપી કેસના મુસ્લિમ પક્ષકાર મુખ્તાર અન્સારીએ જણાવ્યું કે, તેમના ધર્મમાં મૂર્તિ પૂજા પર રોક છે એટલે મૂર્તિ પૂજા માટે આવનારા મુસ્લિમ પોતે મુસ્લિમ નથી એટલે તેઓ જે ઈચ્છે કરી શકે છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.