માતા વૃદ્ધાશ્રમમાં... દીકરો બોલાવે છે પણ જવા માટે તૈયાર નથી, કારણ છે વહુ...

'મારું નામ નીલમ છે...' તેમને સવાલ પુછાયો કે, 'તમે ક્યાંથી આવો છો?' જવાબ મળ્યો, 'હું જમ્મુ-કાશ્મીરથી આવું છું.' આટલું કહ્યા પછી, નીલમ એક ક્ષણ માટે ચૂપ થઈ જાય છે. પછી તેની વાર્તા ધીમે ધીમે કહેવા લાગે છે. તેમને બાળકોમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. દીકરો તેની માતાને બોલાવે પણ છે અને ક્યારેક મળવા પણ આવે છે. તો પછી નીલમ વૃદ્ધાશ્રમમાં કેમ છે? જવાબ મળે છે, તેની પુત્રવધૂ સાથે ઝઘડો થઇ ગયો.

જ્યારે ઘરમાં વાત વણસી ગઈ, ત્યારે નીલમ તેના બીમાર પતિને લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચી ગઈ. તેને લગભગ 8-9 વર્ષ પહેલાં લકવો મારી ગયો હતો. ત્યારથી નીલમ જ તેની સંભાળ રાખી રહી છે. આજે પણ, તેનો પતિ તેની સાથે છે. અને નીલમ? તે તેના પુત્રના બોલાવવા છતાં ઘરે પાછા જવાથી ડરે છે, ડર એ છે કે ફરીથી એ જ ઝઘડો શરૂ થઈ ગયો તો.

આ એ પીડા છે જે નીલમની વાર્તાને બીજાઓથી અલગ પાડે છે. એવું નથી કે દીકરાએ તેની માતા સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. દીકરો તેને ફોન કરે છે. માતા પણ તેના દીકરાને પ્રેમ કરે છે. પરંતુ સંબંધો વચ્ચે એવી ગાંઠ પડી ગઈ છે કે, તેના માટે ઘરનો દરવાજો ખુલ્લો હોવા છતાં, નીલમ પાછા ફરવા માંગતી નથી.

Old-Age-Home1
aajtak.in

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે વૃદ્ધાશ્રમમાં કેવી રીતે પહોંચી, ત્યારે નીલમે તેની વાત એકદમ સામાન્ય રીતે જણાવી હતી. તેનો તેની પુત્રવધૂ સાથે એક નાનો ઝઘડો થયો હતો... નીલમનો પતિ લાંબા સમયથી બીમાર છે. તેને લગભગ 8-9 વર્ષ પહેલાં લકવો મારી ગયો હતો. આ બીમારી પછી જીવન પહેલા જેવું ન રહ્યું. ઘર, માંદગી અને તેના પતિની સંભાળ વચ્ચે નીલમ પોતાનું જીવન પણ જીવે છે. તેને 3 પુત્રીઓ અને એક પુત્ર છે.

નીલમ કહે છે કે તેનો દીકરો તેને બોલાવે છે અને ક્યારેક મળવા આવે છે. પરંતુ જ્યારે પણ સાથે રહેવાનો વિષય આવે છે, ત્યારે તે બીજી લડાઈથી ડરે છે. કદાચ આ જ કારણ છે કે, ઘરે પાછા ફરવાનો રસ્તો હોવા છતાં, તે હાલમાં વૃદ્ધાશ્રમમાં રહેવાનું વધુ સારું માને છે.

નીલમના જણાવ્યા મુજબ, તેનો દીકરો કહે છે કે, આપણે ઘરે જઈને વાત કરીએ અને તેને સમજાવીએ. પરંતુ નીલમ હજુ તૈયાર નથી. તે કહે છે, 'જો તે પાછી જાય અને ફરીથી એ જ વિવાદ શરુ થયો તો શું? એ જ તણાવ, એ જ ઝઘડા, અને કદાચ ફરીથી એ જ પરિસ્થિતિ.' તેથી જ તેણે વૃદ્ધાશ્રમમાં રહેવાનું નક્કી કર્યું છે. તેનો દીકરો છે, દીકરીઓ છે અને એક ઘર પણ છે. પરંતુ તેને ઘરે પાછા ફરવાનું મન નથી થતું.

નીલમ એકલી વૃદ્ધાશ્રમમાં ગઈ નહોતી. તેનો પતિ પણ તેની સાથે છે. તે ઘણા સમયથી બીમાર છે અને ચાલી શકતો નથી. નીલમ તેની સંભાળ રાખે છે. આશ્રમમાં રહેતી વખતે પણ, તેની પ્રાથમિક જવાબદારી તેના પતિની સેવા કરવાની રહે છે. નીલમ કહે છે કે ભગવાને તેને અહીં મૂકી છે, અને તેની સંભાળ અહીં રાખવામાં આવી રહી છે. આશ્રમ ખોરાક, આશ્રય અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે. નીલમના શબ્દોમાં તેના સંજોગોનું દુઃખ વધુ સ્પષ્ટ થાય છે.

Old-Age-Home2
aajtak.in

નીલમ મૂળ જમ્મુ અને કાશ્મીરની છે, પરંતુ હવે તે સોનીપતના એક વૃદ્ધાશ્રમમાં રહે છે. આ અંતર ફક્ત જમ્મુ અને કાશ્મીરથી હરિયાણા સુધીનું અંતર નથી. આ અંતર એ ઘરથી પણ છે જ્યાં તેણે પોતાના પરિવાર સાથે પોતાનું જીવન વિતાવ્યું, જ્યાં તેનો દીકરો મોટો થયો, જ્યાં તેની દીકરીઓ મોટી થઈ. જ્યાં તેણે આટલા વર્ષો તેના પતિ સાથે વિતાવ્યા. આજે, એ જ પરિવાર છે, પણ નીલમ ઘરથી દૂર છે. તેને ફરિયાદો છે, પણ તે તેના બાળકો માટે લાગણીઓ પણ છે. જ્યારે તેનો દીકરો તેણે બોલાવે છે, ત્યારે તેનું દિલ ડગમગી જાય છે. તેને ઘરે જવાનું મન પણ થઈ શકે છે. પછી એ જ જૂનો ડર ફરી ઉભરી આવે છે, જો ફરી વખત એ જ લડાઈ થઇ તો શું? અને આ પ્રશ્ન તેને વૃદ્ધાશ્રમની દિવાલોમાં અટકાવી દે છે.

નીલમ જ્યાં રહે છે તે આશ્રમમાં માત્ર તેની જ વાત નથી. કોઈ વૃદ્ધને તેમના દીકરાએ ત્યજી દીધા છે. કોઈને તેમની પુત્રવધૂ સાથે વિવાદ થયો હતો. કોઈ પતિના મૃત્યુ પછી એકલા થઇ ગયા. કોઈના બાળકો છે, પણ મળવાનો સમય નથી. આશ્રમના ડિરેક્ટર આનંદ સિંહ કહે છે કે, જો પરિવાર વૃદ્ધો સાથે સારો વ્યવહાર કરે છે, તો તેઓ અહીં કેમ આવશે? તેમના મતે, મોટાભાગના વૃદ્ધ લોકો કોઈને કોઈ કૌટુંબિક કારણોસર અહીં આવે છે. પતિ કે પત્નીના મૃત્યુ પછી, પરિવારમાં તેમનું મહત્વ ઓછું થઈ જાય છે, જ્યારે કેટલાક લોકોના વિચાર તેમના બાળકો સાથે મળતા નથી.

સોનીપતના આ જ વૃદ્ધાશ્રમમાં શિવચરણનું અવસાન થયું. તેમને 3 પુત્રીઓ છે, પરંતુ તેમાંથી કોઈ પણ તેમના પિતાને છેલ્લી વાર મળવા ન આવી. શિવચરણ તેમની પુત્રીઓને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ દિવસમાં ઘણી વખત વીડિયો કોલ પર તેમની સાથે વાત કરતા હતા અને આશા રાખતા હતા કે કદાચ એક દિવસ તેઓ તેમનો સહારો બનશે.

Old-Age-Home3
aajtak.in

તેમની પત્નીના મૃત્યુ સમયે પણ પુત્રીઓ તેમના સુધી પહોંચી ન હતી, અને જ્યારે શિવચરણ પોતે તેમના જીવનના અંતિમ તબક્કામાં પહોંચ્યા, ત્યારે પણ તેઓ તેમને મળી શક્યા ન હતા. આખરે, તેમના મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપનાર આશ્રમે અંતિમ સંસ્કાર કર્યા, તેમના મૃત્યુ પછી પુત્રની ફરજ નિભાવી.

શિવચરણના મૃત્યુ પછી, જ્યારે અમે વૃદ્ધાશ્રમમાં રહેતા અન્ય વૃદ્ધો સાથે વાત કરી, ત્યારે અમને ખબર પડી કે દરેક ચહેરાની એક અલગ વાર્તા છે, પરંતુ પીડા ક્યાંક એક સરખી જ છે. કેટલાક પોતાના દીકરાઓથી દૂર છે, કેટલાકે પોતાની વહુ સાથેના વિવાદને કારણે ઘર છોડ્યું છે, અને કેટલાક પાસે લાખો રૂપિયાની બચત છે, છતાં તેમનો પરિવાર તેમની સાથે નથી. ગોહાનાના બોહલા ગામની ભૂતપૂર્વ સરપંચ પણ આ જ આશ્રમમાં રહે છે. તેમણે એક સમયે ગામના સરપંચ તરીકે સેવા આપી હતી, વિવાદો ઉકેલતી હતી અને પંચાયતના નિર્ણયો લેતી હતી. જોકે, તેમનો આરોપ છે કે તેના દીકરાઓએ તેના પર મારપીટ કરી હતી, અને ત્યાર પછી તેમને ઘર છોડવાની ફરજ પડી હતી.

એ જ આશ્રમમાં રહેતી બીજી એક વૃદ્ધ મહિલાની વાર્તા પણ સંબંધોના એક અલગ પાસાને બહાર લાવે છે. તેમનું કહેવું છે કે, તેમના બે વાર લગ્ન થયા છે, અને બંને પતિઓ મૃત્યુ પામ્યા છે. તેમની પાસે આશરે 40 લાખ રૂપિયાની બચત છે, પરંતુ તેમનો આરોપ છે કે તેમનો દીકરો તેમને પોતાની સાથે રાખવા તૈયાર નહોતો. તેમ છતાં, માતાનો તેમના દીકરા પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. તેઓ કહે છે કે તેમના મૃત્યુ પછી, તેમની આખી મિલકત તેમના દીકરાની થઈ જશે. આનો અર્થ એ છે કે, કેટલાક પાસે સંપત્તિ છે, કેટલાક પાસે કુટુંબનું નામ છે, કેટલાક પાસે સંબંધોની યાદો છે, પરંતુ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ્યા પછી તેઓ જે વસ્તુ સૌથી વધુ યાદ કરે છે તે છે તેમના પ્રિયજનોનો સાથ.

About The Author

Related Posts

Top News

અલ નીનો 150 વર્ષનો રેકોર્ડ તોડશે, પરસેવો છૂટી જાય એટલી ભયંકર ગરમી પડશે

સુપર અલ નીનો વિશે ફરી એકવાર વિશ્વભરમાં ચિંતા વધી છે. વૈજ્ઞાનિકોના મતે, આ છેલ્લા 150 વર્ષમાં સૌથી શક્તિશાળી સુપર...
National 
અલ નીનો 150 વર્ષનો રેકોર્ડ તોડશે, પરસેવો છૂટી જાય એટલી ભયંકર ગરમી પડશે

શું અમેરિકામાં હવે નોકરી જશે તો તરત દેશ છોડવો પડશે? જાણો હકીકત શું છે

USમાં કામ કરતા લાખો વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીય IT વ્યાવસાયિકો માટે અત્યંત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ...
World 
શું અમેરિકામાં હવે નોકરી જશે તો તરત દેશ છોડવો પડશે? જાણો હકીકત શું છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 10-08-2026 દિવસ: સોમવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પોતાને NSA ડોભાલના ગુપ્ત એજન્ટ તરીકે ઓળખાવતા અધિકારીની ધરપકડ; કરોડોનું ઘર-ગાડીઓ જપ્ત

ખગડિયા પોલીસે ગોગરીમાં પોતાને IAS અધિકારી અને NSA અજિત ડોભાલના ગુપ્ત એજન્ટ બતાવતા મનીષ કુમાર ગુપ્તાની ધરપકડ કરી છે. તેના...
National 
પોતાને NSA ડોભાલના ગુપ્ત એજન્ટ તરીકે ઓળખાવતા અધિકારીની ધરપકડ; કરોડોનું ઘર-ગાડીઓ જપ્ત
Copyright (c) Khabarchhe All Rights Reserved.