બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની શક્યતા દર્શાવી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ અત્યંત મહત્વના રહેશે, કારણ કે આ સમય દરમિયાન જ નક્કી થશે કે સિસ્ટમ કેટલો તીવ્ર સ્વરૂપ ધારણ કરશે અને તેની અસર કયા રાજ્યો પર વધુ પડશે.

weather-alert1
news18.com

આ સંભવિત ચક્રવાતી સિસ્ટમને કારણે અંડમાન-નિકોબાર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જોરદાર પવનો ફૂંકાવાની આશંકા છે. જો સિસ્ટમ ઊંડા લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો સમુદ્રમાં ઉથલપાથલ વધશે અને લહેરોની ઊંચાઈમાં પણ વધારો જોવા મળશે. તેથી માછીમારોને અગાઉથી જ દરિયામાં ન ઉતરવાની ચેતવણી આપવામાં આવી છે.

આઈએમડીએ સ્પષ્ટ કર્યું છે કે સિસ્ટમ હજી શરુઆતી અવસ્થામાં છે, પરંતુ હવામાન મોડલ્સ દર્શાવે છે કે બંગાળની ખાડીના ઉષ્ણ પાણીમાંથી ઊર્જા મળતા તેનો બલ વધારો થઈ શકે છે. નવેમ્બર મહિનામાં અહીં થતા ચક્રવાતો સામાન્ય રીતે ઝડપથી શક્તિશાળી બનતા હોવાથી સતર્કતા વધારે જરૂરી બની છે.

તાજેતરના ચક્રવાતો પણ દર્શાવે છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ઘણી વખત થોડા જ કલાકોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઈએમડીએ રાજ્યોને આગોતરી તૈયારી મજબૂત કરવાની સલાહ આપી છે. 22 નવેમ્બરના રોજ બનેલી આ સિસ્ટમ અંગે આગામી 24 થી 48 કલાકમાં મહત્વપૂર્ણ નિર્ણાયક સંકેતો મળશે.

weather-alert2
zeenews.india.com

આઈએમડીનું કહેવું છે કે આ સંભવિત તોફાન અંગે ટૂંક સમયમાં વધુ અપડેટ જાહેર કરવામાં આવશે. હાલમાં સમગ્ર દેશની નજર બંગાળની ખાડીમાં વિકસતી આ નવી આબોહવાની સિસ્ટમ અને તેની સંભાવિત અસર પર ટકી છે.

About The Author

Related Posts

Top News

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે મોટા ઉદ્યોગપતિઓ કે ધનિક વ્યક્તિઓ કોઈ મોટું દાન કરે છે ત્યારે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે....
Opinion 
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો...
Business 
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે....
Gujarat 
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.