બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની શક્યતા દર્શાવી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ અત્યંત મહત્વના રહેશે, કારણ કે આ સમય દરમિયાન જ નક્કી થશે કે સિસ્ટમ કેટલો તીવ્ર સ્વરૂપ ધારણ કરશે અને તેની અસર કયા રાજ્યો પર વધુ પડશે.

weather-alert1
news18.com

આ સંભવિત ચક્રવાતી સિસ્ટમને કારણે અંડમાન-નિકોબાર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જોરદાર પવનો ફૂંકાવાની આશંકા છે. જો સિસ્ટમ ઊંડા લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો સમુદ્રમાં ઉથલપાથલ વધશે અને લહેરોની ઊંચાઈમાં પણ વધારો જોવા મળશે. તેથી માછીમારોને અગાઉથી જ દરિયામાં ન ઉતરવાની ચેતવણી આપવામાં આવી છે.

આઈએમડીએ સ્પષ્ટ કર્યું છે કે સિસ્ટમ હજી શરુઆતી અવસ્થામાં છે, પરંતુ હવામાન મોડલ્સ દર્શાવે છે કે બંગાળની ખાડીના ઉષ્ણ પાણીમાંથી ઊર્જા મળતા તેનો બલ વધારો થઈ શકે છે. નવેમ્બર મહિનામાં અહીં થતા ચક્રવાતો સામાન્ય રીતે ઝડપથી શક્તિશાળી બનતા હોવાથી સતર્કતા વધારે જરૂરી બની છે.

તાજેતરના ચક્રવાતો પણ દર્શાવે છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ઘણી વખત થોડા જ કલાકોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઈએમડીએ રાજ્યોને આગોતરી તૈયારી મજબૂત કરવાની સલાહ આપી છે. 22 નવેમ્બરના રોજ બનેલી આ સિસ્ટમ અંગે આગામી 24 થી 48 કલાકમાં મહત્વપૂર્ણ નિર્ણાયક સંકેતો મળશે.

weather-alert2
zeenews.india.com

આઈએમડીનું કહેવું છે કે આ સંભવિત તોફાન અંગે ટૂંક સમયમાં વધુ અપડેટ જાહેર કરવામાં આવશે. હાલમાં સમગ્ર દેશની નજર બંગાળની ખાડીમાં વિકસતી આ નવી આબોહવાની સિસ્ટમ અને તેની સંભાવિત અસર પર ટકી છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.