હવે હું વધુ મસ્કા મારવા માટે તૈયાર નથી, વોટ આપો કે ના આપોઃ નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના બેબાક નિવેદન માટે જાણીતા છે. ફરી એકવાર તેમણે એક એવુ નિવેદન આપ્યું છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. નાગપુરમાં એક પ્રાઇવેટ સંસ્થાના કાર્યક્રમમાં પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે, જો યોગ્ય લાગે તો મને વોટ આપો, નહીં તો ના આપો. હું હવે વધુ મસ્કા લગાવવા માટે તૈયાર નથી. તમને લાગે તો વાંધો નહીં, નહીં તો કોઈ નવુ આવશે. આ કાર્યક્રમ નાગપુરના વેસ્ટલેન્ડ, વેસ્ટવોટર સાથે સંબંધિત કામ કરનાર સંસ્થાનો હતો જે નીતિન ગડકરીનો મનપસંદ વિષય છે તેના પર જ ભાષણ આપવા દરમિયાન તેમણે કહ્યું, વેસ્ટલેન્ડ પર થનારા અનેગ પ્રયોગ છે. હું આ કામ જિદ્દથી કરું છું. પ્રેમથી કરું છું અથવા તો પછી વગાડીને કરું છું. મેં લોકોને પણ કહી દીધુ છે કે હવે બહુ થયુ. હું ચૂંટાઈને આવ્યો છું, જો યોગ્ય લાગે તો મને વોટ આપો નહીં તો ના આપો. હવે હું વધુ મસ્કા મારવા માટે તૈયાર નથી. તમને યોગ્ય લાગે તો વાંધો નહીં, નહીં તો કોઈ બીજું આવશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આ પહેલા પણ એવા ઘણા નિવેદન આપી ચુક્યા છે. થોડાં મહિના પહેલા પણ તેમનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું હતું. ગડકરી રાજસ્થાન વિધાનસભામાં સંસદીય લોકતંત્ર અને જન અપેક્ષાઓ વિષય પર આયોજિત સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ચિંતિત દરેક વ્યક્તિ છે. ધારાસભ્ય એટલા માટે દુઃખી છે કારણ કે તે મંત્રી ના બની શક્યા. મંત્રી એટલા માટે દુઃખી છે કે તેમને સારો વિભાગ ના મળ્યો અને મુખ્યમંત્રી એટલા માટે દુઃખી છે કારણ કે તેઓ ક્યારે ચાલ્યા જશે તેનો કોઈ ભરોસો નથી.

એકવાર તો તેમણે ત્યાં સુધી કહી દીધુ હતું કે, ક્યારેક-ક્યારેક મન થાય છે કે રાજકારણ જ છોડી દઉં. સમાજમાં અન્ય પણ ઘણા કામો છે, જે રાજકારણ વિના કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના સમયના રાજકારણ અને હાલના રાજકારણમાં ખૂબ જ બદલાવ થયો છે. બાપુના સમયમાં રાજકારણ દેશ, સમાજ, વિકાસ માટે થતું હતું. પરંતુ, હવે રાજકારણ માત્ર સત્તા માટે થાય છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.