ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. શ્રીલંકામાં લાંચ લેવા અટકાવવા માટે રચાયેલા કમિશને કોર્ટને જાણકારી આપી છે કે અર્જૂન રણતુંગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમિશને જણાવ્યું હતું કે તેઓ હાલમાં વિદેશમાં છે, એટલે તેમની ધરપકડ કરી શકાતી નથી.

શ્રીલંકન મીડિયા ડેઇલી મિરરમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભ્રષ્ટાચાર વિરોધી કમિશન (CIABOC)એ આરોપ લગાવ્યો છે કે અર્જૂન રણતુંગાના પેટ્રોલિયમ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દેશની તેલ કંપની, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC)ને લગભગ 800 મિલિયન શ્રીલંકન રૂપિયાનું નુકસાન થયું હતું. આવું એટલા માટે થયું કારણ કે સરકારે ઊંચી કિંમતના સ્પોટ ટેન્ડરો લાગૂ કર્યા હતા. કમિશને કોર્ટને જાણ કરી હતી કે રણતુંગાની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Arjuna-Ranatunga4
indiatoday.in

શું આરોપો છે?

અહેવાલ મુજબ, કમિશનના વકીલે જણાવ્યું હતું કે, 2017-18 દરમિયાન સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના 3 ટેન્ડર રદ કરી દીધા હતા, જેમાં લાંબા ગાળાના કરાર હતા. બાદમાં વધુ કિંમતે સ્પોટ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી કોર્પોરેશનને કથિત રીતે મોટું નુકસાન થયું હતું. કમિશને જણાવ્યું હતું કે, મામલામાં CPCના પૂર્વ અધ્યક્ષ ધમ્મિકા રણતુંગાની પહેલા જ ધરપકડ કરી લીધી છે. તો તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી અર્જૂન રણતુંગા, જે બીજા શંકાસ્પદ છે, તેમની ધરપકડ કરવા માટે પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.

Arjuna-Ranatunga3
mid-day.com

ભ્રષ્ટાચાર વિરોધી કમિશનના વકી કહ્યું હતું કે, હાલમાં રણતુંગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ નહીં કરી શકાય, કેમ કે તેઓ વિદેશમાં છે, પરંતુ ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે. તો શંકાસ્પદો તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ તપાસમાં સહકાર આપી રહ્યા છે. વકીલે જામીન અધિનિયમ હેઠળ યોગ્ય શરતો સાથે તેમને જામીન પર મુક્ત કરવાનો અનુરાધ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા...
Travel 
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) પહેલા, ગુજરાત ટાઇટન્સે એક મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ...
Sports 
ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 11-03- 2026 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.