ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. શ્રીલંકામાં લાંચ લેવા અટકાવવા માટે રચાયેલા કમિશને કોર્ટને જાણકારી આપી છે કે અર્જૂન રણતુંગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમિશને જણાવ્યું હતું કે તેઓ હાલમાં વિદેશમાં છે, એટલે તેમની ધરપકડ કરી શકાતી નથી.

શ્રીલંકન મીડિયા ડેઇલી મિરરમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભ્રષ્ટાચાર વિરોધી કમિશન (CIABOC)એ આરોપ લગાવ્યો છે કે અર્જૂન રણતુંગાના પેટ્રોલિયમ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દેશની તેલ કંપની, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC)ને લગભગ 800 મિલિયન શ્રીલંકન રૂપિયાનું નુકસાન થયું હતું. આવું એટલા માટે થયું કારણ કે સરકારે ઊંચી કિંમતના સ્પોટ ટેન્ડરો લાગૂ કર્યા હતા. કમિશને કોર્ટને જાણ કરી હતી કે રણતુંગાની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Arjuna-Ranatunga4
indiatoday.in

શું આરોપો છે?

અહેવાલ મુજબ, કમિશનના વકીલે જણાવ્યું હતું કે, 2017-18 દરમિયાન સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના 3 ટેન્ડર રદ કરી દીધા હતા, જેમાં લાંબા ગાળાના કરાર હતા. બાદમાં વધુ કિંમતે સ્પોટ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી કોર્પોરેશનને કથિત રીતે મોટું નુકસાન થયું હતું. કમિશને જણાવ્યું હતું કે, મામલામાં CPCના પૂર્વ અધ્યક્ષ ધમ્મિકા રણતુંગાની પહેલા જ ધરપકડ કરી લીધી છે. તો તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી અર્જૂન રણતુંગા, જે બીજા શંકાસ્પદ છે, તેમની ધરપકડ કરવા માટે પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.

Arjuna-Ranatunga3
mid-day.com

ભ્રષ્ટાચાર વિરોધી કમિશનના વકી કહ્યું હતું કે, હાલમાં રણતુંગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ નહીં કરી શકાય, કેમ કે તેઓ વિદેશમાં છે, પરંતુ ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે. તો શંકાસ્પદો તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ તપાસમાં સહકાર આપી રહ્યા છે. વકીલે જામીન અધિનિયમ હેઠળ યોગ્ય શરતો સાથે તેમને જામીન પર મુક્ત કરવાનો અનુરાધ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.