કર્ણાટકના રાજ્યપાલે વિધાનસભાને સંબોધવાનો કેમ ઇનકાર કરી દીધો? શું તમિલનાડુ-કેરળ છે કારણ?

દક્ષિણ ભારતમાં રાજ્યપાલો અને સરકારો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે કર્ણાટક સુધી પહોંચી ગયો છે. તમિલનાડુ અને કેરળ પછી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધવાનો ઇનકાર કરી દીધો છે. આ સંયુક્ત સત્ર 22 જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને પરંપરાગત રીતે રાજ્યપાલના સંબોધનથી તેની શરૂ થાય છે. રાજ્યપાલના આ પગલાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

Karnataka Governor
etvbharat.com

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા તેમના સંબોધનના ડ્રાફ્ટમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. જોકે, રાજ્યપાલના ઇનકાર પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. આ દરમિયાન, કર્ણાટક સરકારે પરિસ્થિતિને ઉકેલવા માટે રાજ્યપાલને મળવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લીધો છે.

કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન H.K. પાટીલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બુધવારે સાંજે લોક ભવન (રાજભવન) ખાતે રાજ્યપાલને મળશે. પ્રતિનિધિમંડળમાં એડવોકેટ જનરલ શશી કિરણ શેટ્ટી અને CMના કાનૂની સલાહકાર પોન્નાનો પણ સમાવેશ થાય છે. સરકાર વાતચીત દ્વારા ગતિરોધ તોડવા અને બંધારણીય પરંપરાઓ અનુસાર સત્ર શરૂ થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

Karnataka Governor
etvbharat.com

કર્ણાટક વિધાનસભાનું આ સત્ર પહેલાથી જ ખૂબ જ તોફાની બનવાના સંકેતો બતાવી રહ્યું છે. શાસક કોંગ્રેસ અને વિપક્ષ BJP-JD(S) ગઠબંધન વચ્ચે અનેક મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચાઓ થવાની અપેક્ષા છે. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાને નાબૂદ કરવાનો અને તેના સ્થાને નવો 'વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ)' (VB-G RAMG) કાયદો લાવવાનો નિર્ણય છે.

કર્ણાટક સરકારે આ નવા કાયદાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને તેની સામે કાયદેસર રીતે લડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં BJPની આગેવાની હેઠળની NDA સરકાર સામે સત્ર દરમિયાન એક ઠરાવ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં મનરેગા નાબૂદ કરવાના નિર્ણયની નિંદા કરવામાં આવશે અને તેને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવશે. આ પગલું કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી 'મનરેગા બચાવો' અભિયાન સાથે પણ જોડાયેલું છે.

Karnataka Governor
navbharattimes.indiatimes.com

રાજકીય વિશ્લેષકો કહે છે કે, કર્ણાટકમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચેનો આ સંઘર્ષ તમિલનાડુ અને કેરળમાં તાજેતરમાં બનેલી ઘટના જેવી જ છે, જ્યાં સંબોધનની ભાષા અને બંધારણીય ભૂમિકાને લઈને ગંભીર વિવાદો ઉભા થયેલા જોવા મળ્યા હતા. હવે બધાની નજર તેના પર છે કે, રાજ્યપાલ અને સરકાર વચ્ચેની વાતચીત ઉકેલ તરફ દોરી જશે કે આ બંધારણીય સંઘર્ષ વધુ ઊંડો ઉતરતો જશે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-03-2026 વાર - ગુરુવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.