શું દેશના આ રાજ્યમાં આવવાનો છે મોટો ભૂકંપ? વૈજ્ઞાનિકોને કેમ સતાવી રહી છે ચિંતા

ગઇકાલે જ રશિયામાં 8.8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે ફરી એક વખત ભૂકંપના જોખમોને ચર્ચામાં આવી દીધા છે. વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી છે કે, હિમાલયનો ક્ષેત્ર, ખાસ કરીને ઉત્તરાખંડ, ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. છેલ્લા લગભગ 500 વર્ષમાં ઉત્તરાખંડમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી, જેના કારણે વૈજ્ઞાનિકો તેને સેન્ટ્રલ સિસ્મિક ગેપ કહે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વૈજ્ઞાનિક અને એશિયન સિસ્મોલોજિકલ કમિશન, સિંગાપુરના પૂર્વ અધ્યક્ષ ડૉ. પરમેશ બેનર્જીના મતે ઉત્તરાખંડ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના વિસ્તારો ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. છેલ્લા 500-600 વર્ષોમાં આ ક્ષેત્રમાં, ખાસ કરીને ઉત્તરાખંડમાં, કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી.

earthquake
business-standard.com

આ ભૂકંપો છતા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પૃથ્વીની અંદર સંગ્રહિત ભૂકંપીય ઊર્જાનો માત્ર 5-6 ટકા જ હિસિસો નીકળી શક્યો છે. કાંગડાથી નેપાળ-બિહાર સીમા સુધી ફેલાયેલા સેન્ટ્રલ સિસ્મિક ગેપમાં ભારે માત્રામાં ઊર્જા જમા થઈ રહી છે. ઉત્તરાખંડ ભૂકંપ ઝોન 4 અને 5 માં આવે છે, જે ઉચ્ચ જોખમી ક્ષેત્રો છે. ઉત્તરકાશી (ભટવારી), રુદ્રપ્રયાગ, ચમોલી અને પિથોરાગઢ જેવા ક્ષેત્રોમાં ઘણી વખત નાના ભૂકંપના ઝટકા અનુભવાય છે. જોકે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નાના ભૂકંપનો અર્થ એ નથી કે મોટો ભૂકંપ નહીં આવે. નાના ભૂકંપ જમા ઊર્જાને પૂરી રીતે રીલિઝ નથી કરી શકતા અને આ ઊર્જાને કાઢવા માટે 7 કે 8 રિક્ટર સ્કેલથી વધુની તીવ્રતાનો ભૂકંપ જરૂરી છે.

ડૉ. બેનર્જીના મતે, ઉત્તર-પશ્ચિમ હિમાલય, ખાસ કરીને ઉત્તરાખંડમાં ભૂકંપીય ઊર્જા સતત જમા થઈ રહી છે. આ ક્ષેત્રમાં 7 કે 8 રિક્ટર સ્કેલથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાનું લગભગ નિશ્ચિત છે, પરંતુ તેનો સમય બતાવવો મુશ્કેલ છે. આ ભૂકંપ જ્યારે પણ આવશે, ત્યારે તે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે તબાહી મચાવી શકે છે. તેનું કારણ યુરેશિયન પ્લેટ અને ઇન્ડિયન પ્લેટ વચ્ચે સતત ટકરાવ છે, જે હિમાલય ક્ષેત્રમાં ભૂકંપીય ગતિવિધિઓને વધારે છે. ઉત્તરાખંડની માટી અને જમીનની સંરચના ઢીલી થવાને કારણે ભૂકંપનો પ્રભાવ વધુ વિનાશકારી હોઈ શકે છે. દિલ્હીમાં ખડકો અને જમીન અપેક્ષાકૃત મજબૂત છે. એટલે ત્યાં મોટા ભૂકંપની શક્યતા ઓછી છે.

Stokes
timesnownews.com

જો કે, જો હિમાલય ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે છે, તો તેના ઝટકા દિલ્હીમાં પણ અનુભવી શકાય છે. સેન્ટ્રલ સિસ્મિક ગેપને કારણે ઉત્તરાખંડ અને હિમાલય ક્ષેત્રમાં ભૂકંપનો સતત ભય રહે છે. નાના ભૂકંપ આ ભયને ઓછો કરતા નથી, પરંતુ સંકેત આપે છે કે જમા ઊર્જા છોડવા માટે મોટો ભૂકંપ જરૂરી છે. વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ, આ ક્ષેત્રમાં ભૂકંપથી બચાવ અને તૈયારી માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાત છે, જેથી સંભવિત તબાહી ઓછી કરી શકાય.

About The Author

Related Posts

Top News

'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે...
National 
'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે

F35 ફાઇટર જેટનું લાઈટનિંગ 2 વર્ઝન વિશ્વનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેના પાઇલોટ્સ દ્વારા પહેરવામાં આવતું હેલ્મેટ વિશ્વની...
Science 
4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 01-05-2026 વાર- શુક્રવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.