પ્રેમાનંદજી મહારાજની બંને કિડનીઓ આ બીમારીના કારણે ફેલ થઈ ગઈ છે

વૃંદાવનથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા પ્રેમાનંદજી મહારાજ પોતાના વિચારો માટે જાણીતા છે. તેઓ સવારે 02:00 વાગ્યે પરિક્રમા માટે નીકળી પડે છે. ત્યારબાદ સવારે 04:00 વાગ્યાથી ભજન સત્સંગ શરૂ કરે છે. પ્રેમનંદજી મહારાજના સત્સંગ અને વિચારોને સાંભળવા લોકોની ભારે ભીડ જમા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર પણ તેમના વીડિયો ખૂબ જોવામાં આવે છે. પ્રેમાનંદજી મહારાજના ફેન્સની સંખ્યા પણ કરોડોમાં છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે પ્રેમાનંદજી મહારાજ મહારાજનો સત્સંગ સાંભળવા માટે એક્ટ્રેસ અનુષ્કા શર્મા, ક્રિકટર વિરાટ કોહલીથી લઈને સિંગર બીપ્રાક સુધી પહોંચી ચૂક્યા છે.

લોકો બાબાની દિનચર્યા જ નહીં, તેમની જીવનશૈલી અને બીમારીને જોઈને દંગ રહી જાય છે. તેના કારણે પ્રેમાનંદજી મહારાજની બંને કિડનીઓ ખરાબ થઈ ગઇ છે. તેમને કિડની સાથે સંબંધિત ખૂબ જ ભયંકર બીમારી છે, જેના કારણે યુવાવસ્થામાં જ તેમની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ. જ્યાં કોઈ સામાન્ય વ્યક્તિ કિડની વિના એક વર્ષ પણ સ્વસ્થ રાખી શકતું નથી, ત્યાં છેલ્લા 18 વર્ષોથી પ્રેમાનંદજી મહારાજ કિડની વિના પોતાના દૈનિક કાર્ય પોતે કરે છે.

તેઓ માત્ર 4 કલાકની ઊંઘ લે છે. વૃંદાવનની પરિક્રમા લગાવવા સાથે જ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એવામાં લોકો જાણવા માગે છે કે આખરે પ્રેમાનંદજી મહારાજને કઈ એવી બીમારી હતી જેના કારણે બંને કિડની ખરાબ થઈ ગઈ. પ્રેમાનંદજી મહારાજને ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસિઝ છે. વિશેષજ્ઞોનું માનીએ તો આ બીમારી જેનેટિક હોય છે. આ બીમારી 30-50 વર્ષની ઉંમર વચ્ચે ઊભરી જાય છે. આ બીમારી કિડનીની ગંભીર બીમારીઓમાંથી એક હોય છે. તે માતા-પિતામાંથી બાળકોમાં આવે છે.

આ બીમારીથી કિડનીની સાઇઝ મોટી થવા લાગે છે. તેમાં સિસ્ટ એટલે કે પાણી અને ગાંઠો બની જાય છે. આ ગાંઠો ધીરે-ધીરે વધતી જાય છે. તેના કારણે ધીરે-ધીરે કિડની કામ કરવાનું બંધ કરી દે છે. તેને કિડની ફેલ્યોર થઈ જાય છે. કિડની પૂરી રીતે કામ કરવાનું બંધ કરી દે છે. એવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને ડાયાલિસિસ પર રાખવી પડે છે. વિશેષજ્ઞો બતાવે છે કે ઓટોસોમલ ડોમિનેન્ટ કિડની ડીસીઝ 1000માંથી માત્ર એક સભ્યને થાય છે. તે બાળપણથી હોતી નથી. ઉંમર વધવા સાથે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જો તેના દર્દીઓની વાત કરીએ તો આખા પોપ્યુલેશનમાં ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડનીના માત્ર 5 ટકા દર્દી જ જોવા મળે છે. આ બીમારીના દર્દીઓનું જીવન ખૂબ મુશ્કેલ હોય છે.

આ બીમારીના લક્ષણ:

ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસિઝમાં પીઠ અને પેટના નીચલા હિસ્સામાં દર્દ શરૂ થઈ જાય છે. તેમાં UTI હાથ-પગો સાથે જ આંખોમાં સોજો, શ્વાસ ફૂલવાની સમસ્યાથી લઈને પાંચન સંબંધિત ગરબડી થાય છે. લોહીની કમી થવા લાગે છે. આ બીમારીમાં સ્કીન પણ ઇફેક્ટ થાય છે. સ્કિનનો કલર ચેન્જ થવા લાગે છે. તેના કારણે સ્કીન પર કાળાશ, અનાવશ્યક નબળાઈ, થાક સાથે પગોમાં દુઃખાવો અને વારંવાર ટોયલેટ આવે છે.

About The Author

Related Posts

Top News

ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

શું તમે પણ મોબાઇલ રિચાર્જની વધતી કિંમતોથી પરેશાન છો? અથવા તમે એવા વપરાશકર્તાઓમાંથી છો જે ઘરે Wi-Fiને કારણે...
Tech and Auto 
ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.