'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની રણનીતિને કારણે નહીં, પરંતુ આંતરિક નિર્ણયોને કારણે હારી રહી છે. તેમના નિવેદનના બે દિવસ પછી, પાર્ટીએ તેમને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરી દીધા છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ આ જાહેરાત કરતી નોટિસ બહાર પાડી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, મોકીમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે હાંકી કાઢવામાં આવ્યા હતા. મોકીમ ઓડિશાના બારાબતી-કટક વિધાનસભા મતવિસ્તારના ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા હતા.

28

મોકીમે તાજેતરમાં કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને નવા નેતૃત્વની જરૂર છે. તેમણે વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની વધતી ઉંમરનો ઉલ્લેખ કર્યો હતો. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, મોકિમે કહ્યું, 'મેં સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને તેમની સલાહ અને નવા નેતૃત્વની જરૂર છે. AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉંમર તેમને સાથ નથી આપતી. આપણે યુવા નેતાઓને આગળ લાવવા જોઈએ. હું જાણું છું કે સોનિયા ગાંધી અને CWC સભ્યો ચોક્કસપણે આ અંગે ચર્ચા કરશે. નુઆપાડા પેટાચૂંટણી ચિંતાજનક હતી.'

મોહમ્મદ મોકિને ચેતવણી આપી હતી કે, પાર્ટી બાહ્ય રાજકીય વિરોધીઓને કારણે નહીં, પરંતુ સંગઠનમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે તેનો વારસો ગુમાવી રહી છે. તેમણે આ પરિસ્થિતિને અભૂતપૂર્વ ગણાવી અને કહ્યું કે તેના કારણે વિવિધ સ્તરે પાર્ટી કાર્યકરોનું મનોબળ નીચે જઈ રહ્યું છે. તેમણે નવા નેતૃત્વ તેમજ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી.

Congress MLA
jantaserishta.com

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મોકિમે રાહુલ ગાંધીની પહોંચની બહાર હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમને મળી શક્યા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ બાહ્ય હાર કરતાં આંતરિક નિર્ણયોને કારણે નબળી પડી રહી છે. આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે, 2000થી ઓડિશામાં પાર્ટીની સતત છ વિધાનસભા ચૂંટણીની હાર, તેમજ રાષ્ટ્રીય હાર, વિરોધ પક્ષોની વ્યૂહરચનાઓનું નહીં, પરંતુ આંતરિક નિર્ણયોનું પરિણામ હતું.

About The Author

Top News

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.