'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની રણનીતિને કારણે નહીં, પરંતુ આંતરિક નિર્ણયોને કારણે હારી રહી છે. તેમના નિવેદનના બે દિવસ પછી, પાર્ટીએ તેમને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરી દીધા છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ આ જાહેરાત કરતી નોટિસ બહાર પાડી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, મોકીમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે હાંકી કાઢવામાં આવ્યા હતા. મોકીમ ઓડિશાના બારાબતી-કટક વિધાનસભા મતવિસ્તારના ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા હતા.

28

મોકીમે તાજેતરમાં કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને નવા નેતૃત્વની જરૂર છે. તેમણે વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની વધતી ઉંમરનો ઉલ્લેખ કર્યો હતો. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, મોકિમે કહ્યું, 'મેં સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને તેમની સલાહ અને નવા નેતૃત્વની જરૂર છે. AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉંમર તેમને સાથ નથી આપતી. આપણે યુવા નેતાઓને આગળ લાવવા જોઈએ. હું જાણું છું કે સોનિયા ગાંધી અને CWC સભ્યો ચોક્કસપણે આ અંગે ચર્ચા કરશે. નુઆપાડા પેટાચૂંટણી ચિંતાજનક હતી.'

મોહમ્મદ મોકિને ચેતવણી આપી હતી કે, પાર્ટી બાહ્ય રાજકીય વિરોધીઓને કારણે નહીં, પરંતુ સંગઠનમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે તેનો વારસો ગુમાવી રહી છે. તેમણે આ પરિસ્થિતિને અભૂતપૂર્વ ગણાવી અને કહ્યું કે તેના કારણે વિવિધ સ્તરે પાર્ટી કાર્યકરોનું મનોબળ નીચે જઈ રહ્યું છે. તેમણે નવા નેતૃત્વ તેમજ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી.

Congress MLA
jantaserishta.com

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મોકિમે રાહુલ ગાંધીની પહોંચની બહાર હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમને મળી શક્યા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ બાહ્ય હાર કરતાં આંતરિક નિર્ણયોને કારણે નબળી પડી રહી છે. આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે, 2000થી ઓડિશામાં પાર્ટીની સતત છ વિધાનસભા ચૂંટણીની હાર, તેમજ રાષ્ટ્રીય હાર, વિરોધ પક્ષોની વ્યૂહરચનાઓનું નહીં, પરંતુ આંતરિક નિર્ણયોનું પરિણામ હતું.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.