'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની રણનીતિને કારણે નહીં, પરંતુ આંતરિક નિર્ણયોને કારણે હારી રહી છે. તેમના નિવેદનના બે દિવસ પછી, પાર્ટીએ તેમને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરી દીધા છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ આ જાહેરાત કરતી નોટિસ બહાર પાડી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, મોકીમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે હાંકી કાઢવામાં આવ્યા હતા. મોકીમ ઓડિશાના બારાબતી-કટક વિધાનસભા મતવિસ્તારના ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા હતા.

28

મોકીમે તાજેતરમાં કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને નવા નેતૃત્વની જરૂર છે. તેમણે વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની વધતી ઉંમરનો ઉલ્લેખ કર્યો હતો. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, મોકિમે કહ્યું, 'મેં સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેમને તેમની સલાહ અને નવા નેતૃત્વની જરૂર છે. AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉંમર તેમને સાથ નથી આપતી. આપણે યુવા નેતાઓને આગળ લાવવા જોઈએ. હું જાણું છું કે સોનિયા ગાંધી અને CWC સભ્યો ચોક્કસપણે આ અંગે ચર્ચા કરશે. નુઆપાડા પેટાચૂંટણી ચિંતાજનક હતી.'

મોહમ્મદ મોકિને ચેતવણી આપી હતી કે, પાર્ટી બાહ્ય રાજકીય વિરોધીઓને કારણે નહીં, પરંતુ સંગઠનમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે તેનો વારસો ગુમાવી રહી છે. તેમણે આ પરિસ્થિતિને અભૂતપૂર્વ ગણાવી અને કહ્યું કે તેના કારણે વિવિધ સ્તરે પાર્ટી કાર્યકરોનું મનોબળ નીચે જઈ રહ્યું છે. તેમણે નવા નેતૃત્વ તેમજ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી.

Congress MLA
jantaserishta.com

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મોકિમે રાહુલ ગાંધીની પહોંચની બહાર હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમને મળી શક્યા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ બાહ્ય હાર કરતાં આંતરિક નિર્ણયોને કારણે નબળી પડી રહી છે. આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે, 2000થી ઓડિશામાં પાર્ટીની સતત છ વિધાનસભા ચૂંટણીની હાર, તેમજ રાષ્ટ્રીય હાર, વિરોધ પક્ષોની વ્યૂહરચનાઓનું નહીં, પરંતુ આંતરિક નિર્ણયોનું પરિણામ હતું.

About The Author

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.