રેપ-હત્યાનો દોષી રામ રહીમ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર, 21 દિવસની પેરોલ

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ આજે જેલમાંથી બહાર આવ્યો છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેની 21 દિવસની પેરોલ મંજૂરી આપી હતી. આ પેરોલ મળ્યા બાદ રામ રહીમ આ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર આવ્યો છે.

હરિયાણા સરકારે સોમવારે સાંજે રામ રહીમના પેરોલને મંજૂરી આપતાની સાથે જ જેલના મુખ્ય જેલ ચોક પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તે અગાઉ આ વર્ષે જુલાઈમાં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તે અત્યાર સુધીમાં સાત વખત જેલની બહાર આવી ચૂક્યો છે.

પેરોલ આપવાનો રાજ્યનો અધિકાર હોય છે અને જેલમાં કેદીના સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને આપાવમાં આવે છે.

ગુરમીત રામ ઉર્ફે બાબા રામ રહીમને વર્ષ 2017માં બળાત્કાર અને હત્યાના કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ આ 6 વર્ષમાં તે 7 વખત પેરોલ પર બહાર આવ્યો છે. પોતાની બે શિષ્યાઓ પર બળાત્કારના કેસમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં ઉમર કેદની રોહતક જેલમાં સજા કાપી રહ્યો છે.

હવે ક્યારે ક્યારે રામ રહીમને પેરોલ મળી તે જોઇએ.

24 ઓકટોબર 2020માં રામ રહીમને 24 કલાકના સીક્રેટ પેરોલ પર જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તે વખતે રામ રહીમની પેરોલને એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે માત્ર 4 લોકો જે એની માહિતી હતી.

21 મે 2021ના દિવસે રામ રહીમને 48 કલાકની કસ્ટડી પેરોલ મળી હતી.પોતાની બિમાર માતાને મળવા રામ રહીમ ગુરગ્રામ ગયો હતો.

7 ફેબ્રુઆરી 2022ના દિવસે રામ રહીમને 21 દિવસની પેરોલ મળી હતી. તે વખતે રામ રહીમ ગુરુગ્રામમાં પોતાના આશ્રમે ગયો હતો.

જૂન 2022માં રામ રહીમને સરકારે 1 મહિનાની પેરોલ મંજૂર કરી હતી. તે વખતે રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં ગયો હતો.

ઓકટોબર 2022માં રામ રહીમને 40 દિવસની પેરોલ મળી હતી. તે બરનાવા આશ્રમ ગયો હતો.

21 જાન્યુઆરી 2023ના દિવસે પણ રામ રહીમને 40 દિવસના પેરોલ મળ્યા હતા. ડેરા પ્રમુખ સતનામ જયંતિમાં સામેલ થયો હતો.

20 જુલાઇ 2023ના દિવસે 30 દિવસની પેરોલ મળી હતી તે ફરી બાગપત આશ્રમ ગયો હતો.

21 નવેમ્બર 2023 આજે 21 દિવસની પેરોલ મળી છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.