રેપ-હત્યાનો દોષી રામ રહીમ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર, 21 દિવસની પેરોલ

On

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ આજે જેલમાંથી બહાર આવ્યો છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેની 21 દિવસની પેરોલ મંજૂરી આપી હતી. આ પેરોલ મળ્યા બાદ રામ રહીમ આ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર આવ્યો છે.

હરિયાણા સરકારે સોમવારે સાંજે રામ રહીમના પેરોલને મંજૂરી આપતાની સાથે જ જેલના મુખ્ય જેલ ચોક પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તે અગાઉ આ વર્ષે જુલાઈમાં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તે અત્યાર સુધીમાં સાત વખત જેલની બહાર આવી ચૂક્યો છે.

પેરોલ આપવાનો રાજ્યનો અધિકાર હોય છે અને જેલમાં કેદીના સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને આપાવમાં આવે છે.

ગુરમીત રામ ઉર્ફે બાબા રામ રહીમને વર્ષ 2017માં બળાત્કાર અને હત્યાના કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ આ 6 વર્ષમાં તે 7 વખત પેરોલ પર બહાર આવ્યો છે. પોતાની બે શિષ્યાઓ પર બળાત્કારના કેસમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં ઉમર કેદની રોહતક જેલમાં સજા કાપી રહ્યો છે.

હવે ક્યારે ક્યારે રામ રહીમને પેરોલ મળી તે જોઇએ.

24 ઓકટોબર 2020માં રામ રહીમને 24 કલાકના સીક્રેટ પેરોલ પર જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તે વખતે રામ રહીમની પેરોલને એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે માત્ર 4 લોકો જે એની માહિતી હતી.

21 મે 2021ના દિવસે રામ રહીમને 48 કલાકની કસ્ટડી પેરોલ મળી હતી.પોતાની બિમાર માતાને મળવા રામ રહીમ ગુરગ્રામ ગયો હતો.

7 ફેબ્રુઆરી 2022ના દિવસે રામ રહીમને 21 દિવસની પેરોલ મળી હતી. તે વખતે રામ રહીમ ગુરુગ્રામમાં પોતાના આશ્રમે ગયો હતો.

જૂન 2022માં રામ રહીમને સરકારે 1 મહિનાની પેરોલ મંજૂર કરી હતી. તે વખતે રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં ગયો હતો.

ઓકટોબર 2022માં રામ રહીમને 40 દિવસની પેરોલ મળી હતી. તે બરનાવા આશ્રમ ગયો હતો.

21 જાન્યુઆરી 2023ના દિવસે પણ રામ રહીમને 40 દિવસના પેરોલ મળ્યા હતા. ડેરા પ્રમુખ સતનામ જયંતિમાં સામેલ થયો હતો.

20 જુલાઇ 2023ના દિવસે 30 દિવસની પેરોલ મળી હતી તે ફરી બાગપત આશ્રમ ગયો હતો.

21 નવેમ્બર 2023 આજે 21 દિવસની પેરોલ મળી છે.

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.