રેપ-હત્યાનો દોષી રામ રહીમ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર, 21 દિવસની પેરોલ

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ આજે જેલમાંથી બહાર આવ્યો છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેની 21 દિવસની પેરોલ મંજૂરી આપી હતી. આ પેરોલ મળ્યા બાદ રામ રહીમ આ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર આવ્યો છે.

હરિયાણા સરકારે સોમવારે સાંજે રામ રહીમના પેરોલને મંજૂરી આપતાની સાથે જ જેલના મુખ્ય જેલ ચોક પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તે અગાઉ આ વર્ષે જુલાઈમાં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તે અત્યાર સુધીમાં સાત વખત જેલની બહાર આવી ચૂક્યો છે.

પેરોલ આપવાનો રાજ્યનો અધિકાર હોય છે અને જેલમાં કેદીના સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને આપાવમાં આવે છે.

ગુરમીત રામ ઉર્ફે બાબા રામ રહીમને વર્ષ 2017માં બળાત્કાર અને હત્યાના કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ આ 6 વર્ષમાં તે 7 વખત પેરોલ પર બહાર આવ્યો છે. પોતાની બે શિષ્યાઓ પર બળાત્કારના કેસમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં ઉમર કેદની રોહતક જેલમાં સજા કાપી રહ્યો છે.

હવે ક્યારે ક્યારે રામ રહીમને પેરોલ મળી તે જોઇએ.

24 ઓકટોબર 2020માં રામ રહીમને 24 કલાકના સીક્રેટ પેરોલ પર જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તે વખતે રામ રહીમની પેરોલને એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે માત્ર 4 લોકો જે એની માહિતી હતી.

21 મે 2021ના દિવસે રામ રહીમને 48 કલાકની કસ્ટડી પેરોલ મળી હતી.પોતાની બિમાર માતાને મળવા રામ રહીમ ગુરગ્રામ ગયો હતો.

7 ફેબ્રુઆરી 2022ના દિવસે રામ રહીમને 21 દિવસની પેરોલ મળી હતી. તે વખતે રામ રહીમ ગુરુગ્રામમાં પોતાના આશ્રમે ગયો હતો.

જૂન 2022માં રામ રહીમને સરકારે 1 મહિનાની પેરોલ મંજૂર કરી હતી. તે વખતે રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં ગયો હતો.

ઓકટોબર 2022માં રામ રહીમને 40 દિવસની પેરોલ મળી હતી. તે બરનાવા આશ્રમ ગયો હતો.

21 જાન્યુઆરી 2023ના દિવસે પણ રામ રહીમને 40 દિવસના પેરોલ મળ્યા હતા. ડેરા પ્રમુખ સતનામ જયંતિમાં સામેલ થયો હતો.

20 જુલાઇ 2023ના દિવસે 30 દિવસની પેરોલ મળી હતી તે ફરી બાગપત આશ્રમ ગયો હતો.

21 નવેમ્બર 2023 આજે 21 દિવસની પેરોલ મળી છે.

About The Author

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.