‘રાત્રે વાગે છે ઘૂંઘરૂ...’, મહારાષ્ટ્રમાં 300 વિદ્યાર્થીનીઓએ ભૂતના ડરથી શાળા છોડી દીધી; પછી સત્ય આવ્યું સામે

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના મેલઘાટના ધારણી તાલુકામાં આવેલી ડોમા આદિવાસી આશ્રમ શાળામાં એક વિચિત્ર ઘટનાક્રમથીખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓમાં ફૂડ પોઇઝનિંગના તાજેતરના કિસ્સાઓ પછી, શાળામાં આત્માની છાયા હોવાની અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ છે. ભય અને ગભરાટને કારણે 300થી વધુ વિદ્યાર્થિનીઓ પોતાનો અભ્યાસ છોડીને પોતાના ઘરે પરત ફરી ગઇ છે.

school
aajtak.in

આ ઘટનાક્રમ સાત-આઠ દિવસ જૂનો હોવાનું કહેવાય છે. ડોમા સ્થિત આદિવાસી આશ્રમ શાળાની છાત્રાલયમાં રહેતી લગભગ 15 થી 16 વિદ્યાર્થીનીઓના વર્તનમાં અચાનક ધરખમ ફેરફાર થયો; તેઓ અચાનક જોર-જોરથી હસવા અને રડવા લાગી. કેટલીક વિદ્યાર્થિઓએ દાવો કર્યો હતો કે તેમને રાત્રે ઘૂંઘરું વાગવા જેવા રહસ્યમય અવાજો સાંભળવા મળે છે. આનાથી છાત્રાલયમાં ભયનું વાતાવરણ સર્જાયું. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને છાત્રાલયના વોર્ડન ઉજ્વલા ઇંગલેએ તાત્કાલિક શાળાના આચાર્યને જાણ કરી.

આ ઘટનાના સમાચાર શાળા પરિસરમાંથી નીકળીને આસપાસના ગામોમાં ફેલાતા, જોત જોતામાં વિદ્યાર્થીઓને ભૂત વળગેલા હોવાની અફવાઓએ જોર પકડ્યું. ગભરાયેલા માતા-પિતા તેમની દીકરીઓને ઘરે લઈ જવા માટે શાળાએ દોડી ગયા. ભયને કારણે લગભગ 300થી વધુ વિદ્યાર્થિઓ છાત્રાલય છોડીને પોતપોતાના ગામે જતી રહી. કહેવામાં આવી રહ્યું છે કે છાત્રાલય ખાલી કરનારી વિદ્યાર્થિઓમાં સૌથી વધુ સંખ્યા 'એકતાઈ' ગામની છે.

school
tv9hindi.com

આ બાબતની જાણ થતા આરોગ્ય વિભાગની એક તબીબી ટીમ ડૉક્ટરો સાથે, તાત્કાલિક આશ્રમ શાળામાં પહોંચી. પ્રારંભિક તપાસ પછી, ડૉક્ટરોએ ભૂત કે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા અંગેના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા. ડૉક્ટરો અને તબીબી અધિકારીઓ જણાવે છે કે આ  કોઇ પ્રકારની છાયા કે ભૂતનું વળગણનો મામલો નથી; પરંતુ, તે 'માસ હિસ્ટીરિયા ' સાથે જોડાયેલી માનસિક સ્થિતિ હોય તેવું લાગે છે, જે ઘણીવાર તણાવ અને ભયને કારણે સાથે રહેતા બાળકો અથવા કિશોરીઓમાં ફેલાય છે.

વિદ્યાર્થિનીઓને પાછા લાવવા અને તેમના મનમાંથી અંધશ્રદ્ધાથી જન્મેલા ભયને દૂર કરવા માટે વ્યાપક પ્રયાસો ચાલી રહ્યા છે. 'અંધશ્રદ્ધા નાબૂદી સમિતિ'ના નંદિની જાધવ અને ડૉ. દેશમુખ ખાસ કરીને મુંબઈથી ડોમા ગયા છે. આરોગ્ય વિભાગ, પોલીસ અને અંધશ્રદ્ધા નાબૂદી સમિતિની ટીમો સંયુક્ત રીતે વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ કરી રહી છે. શાળા પ્રશાસને વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શક્ય તેટલી વહેલી તકે તેમની દીકરીઓને શાળા અને છાત્રાલયમાં અભ્યાસ માટે પાછી મોકલવા વિનંતી કરી છે.

About The Author

Related Posts

Top News

શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

દેશે 15 ઑગસ્ટે પોતાની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી. ‘વંદે માતરમ’માં છ અંતરા છે, પરંતુ ફક્ત...
Politics 
શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

તેલંગાણાના એક નાના ગામમાં જન્મેલી જ્યોતિ રેડ્ડી 4 બહેનોમાં સૌથી નાની હતી. તેના પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે...
Business 
જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી... તમે કદાચ આ કહેવત સાંભળી હશે, પરંતુ જ્યારે તે સાચી સાબિત થાય છે ત્યારે...
World 
81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

કોઈનો જીવ બચાવવા માટે પોતાના અંગોનું દાન કરવું એ એક મોટો નિર્ણય હોય છે. અમેરિકાની ડેબી સ્ટીવન્સ નામની એક મહિલા...
World 
'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.