આ નફરતની આગ ક્યારે બુઝાશે? નૂહ પછી હવે પાણીપતમાં તિરંગા યાત્રામાં બબાલ

હરિયાણાના નૂહમાં હિંસાની આગના પઘડમ હજુ તો શાંત પડ્યા નથી ત્યાં પાણીપતમાં પણ 15 ઓગસ્ટના દિવસે નિકળેલી તિરંગા યાત્રામાં બબાલ થઇ હતી અને માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હરિયાણાના પાણીપતમાં 15મી ઓગસ્ટે માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તિરંગા યાત્રા દરમિયાન કેટલાક યુવકોએ મસ્જિદની બહાર હંગામો મચાવ્યો હતો.આ દરમિયાન તેઓએ ધાર્મિક નારા પણ લગાવ્યા હતા અને ડીજે વગાડ્યું હતું.આરોપ છે કે કેટલાક યુવકો લાઠી-દંડા સાથે મસ્જિદની અંદર ઘૂસી ગયા હતા.

મસ્જિદની બહાર હંગામો કરવાનો આરોપ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ પર લગાવવામાં આવ્યો છે. જે મંદિરની બહાર હંગામો થયો છે ત્યાંના ઇમામે  DGPને પત્ર લખીને હિંદુ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જે પછી પોલીસ પણ હરકતમાં આવી છે.

મસ્જિદના ઇમામે કહ્યુ કે તિરંગો તૈયબ સુરૈયાએ બનાવ્યો હતો.આ તિરંગા પર અમારો પણ બરાબરનો હક છે. તેમણે કહ્યું કે સવારે 6 વાગ્યે મસ્જિદ પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.અમે અમારા માથા પર પણ તિરંગો બાંધવા માટે તૈયાર છે.

મસ્જિદના ઇમામની ફરિયાદ પર DCPએ કહ્યું છે કે અમે કોઇ પણ સંજોગોમાં માહોલને બગડવા દઇશું નહીં. , પોલીસ તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મસ્જિદની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

હરિયાણાના મેવાત-નુહમાં 31મી જુલાઈએ બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગઇ હતી.. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. એ પછી હિંસાની આગ નૂહથી ફરિદાબાદ-ગુરગ્રામ સુધી ફેલાઇ ગઇ હતી. નૂહ હિંસમાં 2 હોમગાર્ડસ સહિત 6 લોકોના મોત થયા હતા. પોલીસે ઇન્ટરનેટ બંધ કરીને નૂહમાં કર્ફ્યૂ લગાવી દીધો હતો.

દેશમાં છેલ્લાં કેટલાંક સમયથી નફરતની રિતસરની આગ ફેલાઇ રહી છે. કોઇ પણ ધર્મનો પક્ષ લીધા વગર આ નફરતને રોકવાની જરૂર છે, નહીં તો અનેક નિદોર્ષ લોકોનો વગર કારણે મોત થતા રહેશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.