સદગુરુએ પુત્રીના લગ્ન કરાવ્યા, શા માટે અન્યની દીકરીને સાધુ બનવા પ્રેરે છે: HC

મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્દગુરુ જગ્ગી વાસુદેવ પર તીખી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે, તમે તમારી પુત્રીના લગ્ન કરાવી દીધા છે અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવી રહી છે. તો પછી તમે શા માટે અન્ય મહિલાઓને માથું મુંડાવવા અને સાધુની જેમ જીવવા માટે પ્રેરિત કરો છો. જસ્ટિસ S.M. સુબ્રમણ્યમ અને જસ્ટિસ V. શિવગ્નનમે એક નિવૃત્ત પ્રોફેસર દ્વારા દાખલ કરેલી અરજી પર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે, મારી ઉચ્ચ શિક્ષિત દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેઓ ઈશા યોગ કેન્દ્રમાં કાયમી ધોરણે રહે છે.

એટલું જ નહીં, પ્રોફેસર S. કામરાજે કોર્ટમાં માંગ કરી હતી કે, તેમની પુત્રીઓને વ્યક્તિગત રીતે કોર્ટમાં લાવવામાં આવે. કામરાજ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરમાં ભણાવે છે. તેમની માંગણી પર તેમની 42 અને 39 વર્ષની બંને દીકરીઓ કોર્ટમાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન તેમની દીકરીઓએ કહ્યું કે, તેઓ પોતે ઈશા ફાઉન્ડેશનમાં રહે છે. અમને કોઈપણ પ્રકારની કસ્ટડીમાં રાખવામાં આવ્યા નથી. આ કેસ છેલ્લા એક દાયકાથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પહેલા પણ એક વખત કેસની સુનાવણી દરમિયાન પ્રોફેસરની દીકરીઓએ કહ્યું હતું કે, અમે અમારી ઈચ્છા મુજબ ઈશા યોગ કેન્દ્રમાં રહીએ છીએ.

તેમના માતા-પિતાનો દાવો છે કે, તેમની દીકરીઓને ઈશા યોગ કેન્દ્રમાં રાખવામાં આવી ત્યારથી તેમનું જીવન નર્ક બની ગયું છે. જો કે, ન્યાયાધીશોએ પોલીસને આ મામલે વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય તેમને ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ કેસોની યાદી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ શિવગ્નનમે કહ્યું, 'અમે જાણવા માંગીએ છીએ કે જે વ્યક્તિએ તેમની પુત્રીના લગ્ન કરાવ્યા અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી જિંદગી જીવી રહી છે. શા માટે તે અન્યની દીકરીઓને માથું મુંડાવવા અને સાધુ જેવું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે?'

ઈશા ફાઉન્ડેશને કોર્ટની આ તીક્ષ્ણ ટિપ્પણીઓના જવાબમાં કહ્યું કે, આ મહિલાઓ સ્વેચ્છાએ ઈશા ફાઉન્ડેશનમાં છે. તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. ઈશા ફાઉન્ડેશને કહ્યું, 'અમે માનીએ છીએ કે, પુખ્ત વયના લોકોને તેમની વિવેકબુદ્ધિથી કોઈપણ રસ્તો પસંદ કરવાનો અધિકાર છે. અમે કોઈના પર લગ્ન કે પછી સન્યાસ લેવાની જબરજસ્તી કરતા નથી. આ તેમની અંગત પસંદગી છે. ઈશા યોગ કેન્દ્રમાં હજારો લોકો રહે છે, જેઓ સાધુ નથી બન્યા. આ સિવાય કેટલાક એવા લોકો છે જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અથવા તો તેઓ સાધુ છે.' ઈશા ફાઉન્ડેશને કહ્યું કે, હાલમાં અમારી સામે માત્ર એક પોલીસ કેસ છે. આ સિવાય કોર્ટે ખુદ એક પર સ્ટે મુક્યો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.