સદગુરુએ પુત્રીના લગ્ન કરાવ્યા, શા માટે અન્યની દીકરીને સાધુ બનવા પ્રેરે છે: HC

મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્દગુરુ જગ્ગી વાસુદેવ પર તીખી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે, તમે તમારી પુત્રીના લગ્ન કરાવી દીધા છે અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવી રહી છે. તો પછી તમે શા માટે અન્ય મહિલાઓને માથું મુંડાવવા અને સાધુની જેમ જીવવા માટે પ્રેરિત કરો છો. જસ્ટિસ S.M. સુબ્રમણ્યમ અને જસ્ટિસ V. શિવગ્નનમે એક નિવૃત્ત પ્રોફેસર દ્વારા દાખલ કરેલી અરજી પર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે, મારી ઉચ્ચ શિક્ષિત દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેઓ ઈશા યોગ કેન્દ્રમાં કાયમી ધોરણે રહે છે.

એટલું જ નહીં, પ્રોફેસર S. કામરાજે કોર્ટમાં માંગ કરી હતી કે, તેમની પુત્રીઓને વ્યક્તિગત રીતે કોર્ટમાં લાવવામાં આવે. કામરાજ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરમાં ભણાવે છે. તેમની માંગણી પર તેમની 42 અને 39 વર્ષની બંને દીકરીઓ કોર્ટમાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન તેમની દીકરીઓએ કહ્યું કે, તેઓ પોતે ઈશા ફાઉન્ડેશનમાં રહે છે. અમને કોઈપણ પ્રકારની કસ્ટડીમાં રાખવામાં આવ્યા નથી. આ કેસ છેલ્લા એક દાયકાથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પહેલા પણ એક વખત કેસની સુનાવણી દરમિયાન પ્રોફેસરની દીકરીઓએ કહ્યું હતું કે, અમે અમારી ઈચ્છા મુજબ ઈશા યોગ કેન્દ્રમાં રહીએ છીએ.

તેમના માતા-પિતાનો દાવો છે કે, તેમની દીકરીઓને ઈશા યોગ કેન્દ્રમાં રાખવામાં આવી ત્યારથી તેમનું જીવન નર્ક બની ગયું છે. જો કે, ન્યાયાધીશોએ પોલીસને આ મામલે વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય તેમને ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ કેસોની યાદી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ શિવગ્નનમે કહ્યું, 'અમે જાણવા માંગીએ છીએ કે જે વ્યક્તિએ તેમની પુત્રીના લગ્ન કરાવ્યા અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી જિંદગી જીવી રહી છે. શા માટે તે અન્યની દીકરીઓને માથું મુંડાવવા અને સાધુ જેવું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે?'

ઈશા ફાઉન્ડેશને કોર્ટની આ તીક્ષ્ણ ટિપ્પણીઓના જવાબમાં કહ્યું કે, આ મહિલાઓ સ્વેચ્છાએ ઈશા ફાઉન્ડેશનમાં છે. તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. ઈશા ફાઉન્ડેશને કહ્યું, 'અમે માનીએ છીએ કે, પુખ્ત વયના લોકોને તેમની વિવેકબુદ્ધિથી કોઈપણ રસ્તો પસંદ કરવાનો અધિકાર છે. અમે કોઈના પર લગ્ન કે પછી સન્યાસ લેવાની જબરજસ્તી કરતા નથી. આ તેમની અંગત પસંદગી છે. ઈશા યોગ કેન્દ્રમાં હજારો લોકો રહે છે, જેઓ સાધુ નથી બન્યા. આ સિવાય કેટલાક એવા લોકો છે જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અથવા તો તેઓ સાધુ છે.' ઈશા ફાઉન્ડેશને કહ્યું કે, હાલમાં અમારી સામે માત્ર એક પોલીસ કેસ છે. આ સિવાય કોર્ટે ખુદ એક પર સ્ટે મુક્યો છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.