ખ્રિસ્તી મિશનરીઓની ફેલાવેલી જાળ, રેડમાં ધર્માંતરણનો ખુલાસો, 9ની ધરપકડ

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં આવેલા સૈની પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક ઉપચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આસપાસના ગામોના નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા અને તેમની બીમારીઓને સારી કરવાની તેમજ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું.

UPના કૌશામ્બી જિલ્લામાં ચંગાઈ મીટિંગનો સહારો લઈને સામૂહિક ધર્માંતરણ કરાવવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે પોલીસે હિંદુ સંગઠનોની સૂચના પર ઉપચાર સભામાં દરોડો પાડ્યો ત્યારે સામૂહિક ધર્માંતરણ કરાવવાનું સામે આવ્યું. પોલીસે ઘટનાસ્થળેથી 9 લોકોની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે, ક્રિશ્ચિયન મિશનરીઓ સાથે સંકળાયેલા લોકો પહેલા આર્થિક રીતે નબળા પરિવારોને રૂપિયા આપવાના નામે લલચાવે છે અને ચમત્કાર બતાવવાના નામે તેમને ઉપચાર સભામાં બોલાવે છે, જ્યાં તેમનું બ્રેઈનવોશ કર્યા પછી બળજબરીથી તેમનું ધર્માંતરણ કરે છે. આ મામલે પોલીસે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે અને 9 લોકોને જેલમાં મોકલી દીધા છે.

ધર્મ પરિવર્તનનો આ મામલો સૈની કોતવાલી વિસ્તારના મહુલીતિર ગામનો છે. CO સિરાથુ અવધેશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ગ્રામજનોની સૂચના પર સૈની પોલીસ સ્ટેશનના અધકારીઓએ મહુલીતિર ગામમાં ચાલી રહેલી ઉપચાર સભામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આર્થિક રીતે નબળા પરિવારોને લાલચ અને ચમત્કારના નામે બ્રેઈનવોશ કરીને ધર્માંતરણ કરવામાં આવતું હતું. ઘટનાસ્થળેથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લઈને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, સૈની પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલીતિર ગામમાં શિવ શંકરના ઘરે એક ઉપચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આસપાસના ગામડાના નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા અને તેમની બીમારીઓનો ઈલાજ કરીને તેમને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. હિન્દુ સંગઠનોની સૂચના પર સૈની પોલીસ સ્ટેશનના અધકારીઓએ ઉપચાર સભામાં દરોડો પાડ્યો હતો. પોલીસે ધર્મ પરિવર્તનના આરોપમાં સ્થળ પરથી ઝુરીલાલ, વીરેન્દ્ર, શિવ શંકર, ચિંગા, બ્રજેશ પટેલ, ચક્રધારી, પવન કુમાર, છેદીલાલ અને અરુણ કુમાર મૌર્યની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશામ્બી જિલ્લામાં ધર્મ પરિવર્તનનો આ પહેલો મામલો નથી. છેલ્લા 6 મહિનામાં, ઉપચાર સભાની આડમાં ધર્માંતરણના 10થી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખ્રિસ્તી મિશનરીઓની આ માયાજાળ એટલી ફેલાયેલી છે કે, હવે પોલીસને પણ તેને કાબૂમાં લેવા માટે ખુબ જ મહેનત કરવી પડી રહી છે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.