SDMએ લેખપાલને કહ્યું- ‘એટલા ચપ્પલ મારીશ કે..’, ADMએ તપાસના આદેશ આપ્યા

ઉત્તર પ્રદેશના બાંદાના નરૈણી તાલુકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કન્સોલિડેશન ઓફિસમાં તૈનાત લેખપાલ વિકાસ સિંહે SDM અમિત શુક્લા પર ગંભીર આરોપ લગાવ્યા છે. લેખપાલનું કહેવું છે કે, જ્યારે તેઓ SDMની ઇચ્છા મુજબ, રિપોર્ટ દાખલ ન કર્યો, ત્યારે તેમને બંધક બનાવીને માર મારવામાં આવ્યો, તેમનો ફોન છીનવી લેવામાં આવ્યો અને તેમની ધરપકડની ધમકી આપવામાં આવી. ત્યારબાદ તેમને દોઢ કલાક સુધી બંધક બનાવીને રિપોર્ટ લખવવામાં આવ્યો.

લેખપાલ વિકાસ સિંહના જણાવ્યા મુજબ, આ ઘટના 29 ઓક્ટોબરના રોજ બની હતી. પથરા ગામમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું, જેના પર વિવાદ પણ ચાલી રહ્યો હતો. SDMએ કથિત રીતે બાંધકામને યોગ્ય ગણાવતા તેમના પક્ષમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું. જ્યારે લેખપાલે ઇનકાર કર્યો અને કહ્યું કે, બાંધકામ ગેરકાયદેસર છે, તો SDM ગુસ્સે થઇ ગયા.

SDM-2

તેમણે અપશબ્દ કહ્યા, નજીકના રૂમમાં ખેંચીને લઈ ગયા અને ધમકી આપી કે એટલા ચપ્પલ મારીશ કે ટાલ પડી જશે. દોઢ કલાક બાદ તેમને છોડવામાં આવ્યા. લેખપાલે આ ઘટનાની જાણકારી તેમના ઉપરી અધિકારીઓને કરી હતી. આ ઘટનાથી સમગ્ર જિલ્લાના કોન્સોલિડેશન લેખપાલોમાં રોષ ફેલાઇ ગયો છે. તો SDM અમિત શુક્લાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, લેખાપાલ પોતાના સરકારી કાર્ય અને જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી રહ્યા નથી. એટ્લે તેમને કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમને પૂછવું જોઈએ કે તેમણે કયા પ્રકરણમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ બધા આરોપો પાયાવિહોણા અને નિરાધાર છે.

ADM ફાઇનાન્સ કુમાર ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, આ મામલો પાથરા ગામ સાથે જોડાયેલો છે, જે વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ પ્રકરણ કોન્સોલિડેશન વિભાગના નાયબ મામલતદારે નોટિસ ફટકારી હતી. જો કે, આ મામલો વસ્તી સાથે જોડાયેલો છે, એટલે લેખપલે તેમાં કાર્યવાહી કરવી જોઈતી નહોતી. હવે નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. આરોપોની તપાસ કોન્સોલિડેશન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર બંને સ્તરો પર કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.