લગ્ન વગર જ વળતર માંગતી હતી, કોર્ટે છેતરપિંડી કરનાર મહિલા સામે આ પગલું ભર્યું

બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે છૂટાછેડા અને ભરણપોષણના નામે પુરુષોને છેતરતી મહિલાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. મહિલા પર ભરણપોષણ મેળવવા માટે કેસ દાખલ કરવાનો અને ત્યાર પછી બહાર સમાધાન કરીને કેસ પાછો ખેંચી લેવાનો આરોપ છે. આ કેસમાં મહિલા લતાબાઈ જાધવ અને તેના બે વકીલો સામે પણ સિલોદ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સુનાવણીમાં વિલંબના નામે મહિલા લતાબાઈ જાધવ વતી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ કિસ્સામાં, એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, તે આ મહિલાને ક્યારેય મળ્યો જ નથી. તેમાં ભરણપોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતે કોર્ટને જણાવ્યું કે, મહિલાએ તેના બે વકીલો સાથે મળીને અન્ય ત્રણ લોકો સામે પણ આવો જ કેસ દાખલ કર્યો હતો. તે નકલી નામો સાથે આવા કેસ કરે છે. કોર્ટને કહેવામાં આવ્યું કે, બે કેસમાં કોર્ટની બહાર સમાધાન થયું અને પછી કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો. આ વ્યક્તિની અરજી પછી કોર્ટે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા લતાબાઈ જાધવ તેના બે વકીલો સાથે મળીને લોકોને નકલી કેસમાં ફસાવતી અને પછી કોર્ટની બહાર સમાધાન કરીને કેસ પાછો ખેંચી લેતી હતી. આ કેસમાં મહિલા લતાબાઈ જાધવ વિરુદ્ધ 15 ઓક્ટોબર 2023ના રોજ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ S.G. મેહારેની બેંચે મહિલાની જામીન અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ મામલામાં નીચલી કોર્ટમાં થયેલી સુનાવણી મુજબ મામલો સાચો લાગે છે. કોર્ટને જાણવા મળ્યું કે, મહિલાનો ભૂતકાળ પણ સારો ન હતો. આવી સ્થિતિમાં જો મહિલાને જામીન આપવામાં આવે તો તે ફરાર થઈ શકે છે. જસ્ટિસ મેહારેએ કહ્યું કે, ટ્રાયલ કોર્ટ કેસની વહેલી તકે સુનાવણી કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, દરેક વખતે તે નિયંત્રણમાં રહેતું નથી. હાઈકોર્ટે કહ્યું કે, તમામ પક્ષકારોએ આ મામલે કોર્ટને સમર્થન આપવું જોઈએ, જેથી કેસનો ઝડપથી નિકાલ થઈ શકે.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.