ઓન સ્ક્રીન ‘સાઈ બાબા’ સુધીર દલવીની સારવારમાં મદદ કરશે શિરડી ટ્રસ્ટ, કોર્ટે આપી મંજૂરી

શિરડી સાંઈ બાબાનું પાત્ર ભજવનાર અભિનેતા સુધીર દલવીની હાલત ખૂબ જ નાજુક છે. અભિનેતાને લગભગ 2 મહિનાથી મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 86 વર્ષીય સુધીર સેપ્સિસ ઇન્ફેક્શન નામની બીમારીથી ઝઝૂમી રહ્યા છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ એવી નથી નથી કે તેઓ અભિનેતાની સારવારનો ખર્ચ ઉઠાવી શકે. એવામાં પરિવારે, લોકો પાસે મદદ માટે અપીલ કરી. હવે, શિરડી સાંઈ બાબા ટ્રસ્ટ તેમને મદદ કરવા આગળ આવ્યું છે.

30 ઓક્ટોબર 2025ના રોજ, શિરડી સાંઈ બાબા ટ્રસ્ટ પાસે અભિનેતાની સારવાર માટે 15 લાખ રૂપિયાની મદદ માગવામાં આવી હતી. એવામાં ટ્રસ્ટે હાઇકોર્ટમાં મદદ માટે અરજી દાખલ કરી હતી. તેના પર બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચે શિરડી સાંઈ બાબા ટ્રસ્ટને સુધીર દલવીને મદદ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ટ્રસ્ટ અભિનેતાની સારવાર માટે 11 લાખ રૂપિયાની સહાયતા આપશે. ટ્રસ્ટ કોર્ટની મંજૂરી વિના ભંડોળનો ઉપયોગ કરી શકતું નથી, એટલે આ મામલે કોર્ટની મંજૂરીની જરૂર હતી. ટ્રસ્ટના વકીલ અનિલ એસ. બજાજે જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા રચાયેલી એક એડ-હોક સમિતિએ અભિનેતાને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે.

sudhir-dalvi
zoomtventertainment.com

આ અગાઉ ઓક્ટોબરની શરૂઆતમાં સુધીર દલવીના પરિવારે તેમની સારવાર માટે સહાય માટે અપીલ કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે તેમની સારવારનો ખર્ચ 10 લાખ રૂપિયા થઇ ગયો હતો અને તે વધીને 15 લાખ રૂપિયા થવાની ધારણા હતી. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરને સુધીરની સ્થિતિ બાબતે જાણ થતા જ તેમણે પોતે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પણ તેમની મદદ કરવાની જાણકારી આપી હતી.

સુધીર દલવી શિરડીના સાંઈ બાબાના પાત્ર માટે દેશભરમાં જાણીતા છે, આ પાત્ર તેમની ઓળખ બની ગયું. સુધીરે 1977માં આવેલી શિરડી કે સાંઈ બાબા ફિલ્મ સાંઈ બાબાની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમને ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ભૂમિકાથી તેમને મોટી અને ખાસ ઓળખ મળી. સંયોગ તો જુઓ, હવે શિરડી સાંઈ બાબા ટ્રસ્ટ હવે તેમની સારવાર માટે 11 લાખ રૂપિયાની મદદ કરી રહ્યું છે.

sudhir-dalvi3
newsnationtv.com

સુધીર દલવીનો જન્મ 20 માર્ચ 1939ના રોજ મહારાષ્ટ્રના થાણેમાં થયો હતો. તેમણે રામાનંદ સાગરની ધારાવાહિક રામાયણમાં ઋષિ વશિષ્ઠની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમને વો હુએ ના હમારે’, ‘જય હનુમાન’, ‘જુનૂન’, ‘વિષ્ણુ પુરણ’, ‘બુનિયાદ’, અને ક્યૂંકી સાસ ભી કભી બહુ થી જેવા TV શૉમાં પણ જોવા મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.