વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન તથા વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં માતબર વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને લેવામાં આવેલ આ નિર્ણય અનુસાર ખેડૂતોને હાલ મળતા જંત્રીના 200%ના બદલે વળતર તરીકે હવે જમીનના પ્રવર્તમાન બજારભાવના બમણા ભાવ ચૂકવવાનો નિર્ણય લીધો હતો.  હવે રાજ્ય સરકારની આ જાહેરાત બાદ પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, વીજ ટ્રાન્સમીશનની લાઈનના મુદ્દે ખેડૂતોએ ઉપાડેલા આંદોલનના પગલે રાજ્ય સરકારે જમીનની બજાર કિંમતના 200 ગણા અને રાઇટ ઓફ વે (ROW) કોરિડોરના વળતર પેટે ગ્રામ્ય વિસ્તારમાં ફકત 30 ટકા જ જોગવાઈ કરતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે તેનો વિરોધ કરીને ખેડૂતો સાથે ક્રૂર મજાક સમાન હોઈ જમીન સંપાદનના કાયદા મુજબ 4 ગણા વળતરની ઉગ્ર માંગણી કરી છે.

bhupendra patel
facebook.com/CMOGuj

ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજ ટ્રાન્સમિશનની લાઈનને લઈ ખેડૂતોએ ઉપાડેલી ઉગ્ર લડતના પગલે સરકારે ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરવાની સાથે જ 765 KV લાઈનમાં 625 ચો.મીના બદલે 729 ચો.મીનું વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે. જંત્રીના બદલે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સામે ગુજરાત ખેડૂતો સમાજે વિરોધ દર્શાવ્યો છે.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલના જણાવ્યા મુજબ આ પરિપત્ર ખેડૂત વિરોધી છે. કેમકે જમીન સંપાદનના કાયદા મુજબ કિંમતી જમીનો પરથી પસાર થતી લાઈન અને ટાવર માટે બજાર કિંમતના ચાર ગણુ વાણિજિયક વળતર ચૂકવાતુ હોય છે, અહીં તો ફકત બમણું જ વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. અને રાઇટ ઓફ વે કોરિડોરના વળતર પેટે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 30 ટકા જ ચૂકવવાની જોગવાઈ થઈ છે, જે ખેડૂતો માટે ક્રૂર મજાક સમાન છે. જ્યારે પણ ખેડૂતોના ખેતરોમાંથી હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમીશન લાઈન પસાર થાય કે મોટો વીજ ટાવર ઉભો કરવામાં આવે છે. ત્યારે તે ખેતીની જમીનની કિંમત કાયમી ધોરણે શૂન્ય થઈ જાય છે.

ખેડૂત તે જમીન પર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ, પાકા કૂવા કે વાણિજિયક પ્રવૃતિ કરી શકતો નથી. અને બિનખેતીની પ્રક્રિયા પણ અટવાય છે. આથી રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં સુધારો કરીને ખેડૂતોની માંગણી મુજબ ચાર ગણુ વાણિજિયક વળતર આપવાની જાહેરાત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી.

bhupendra patel
facebook.com/CMOGuj

દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલે આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, નવા પરિપત્રમાં પાકના વળતરના અધિકારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મતલબ કે અગાઉ ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ, જાળવણી, સમારકામ કે અન્ય કામગીરી વખતે જ્યારે જયારે પણ પાકને નુકસાન થતુ હોય ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર મળતું હતું, જ્યારે નવા પરિપત્રમાં માત્ર એક જ વખત વળતરની જોગવાઈ છે. આ જોગવાઈ ખેડૂત વિરોધી હોવાથી તાત્કાલિક રદ કરવી જોઈએ.

સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ પણ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, સરકાર એક તરફ ઉદ્યોગપતિઓને સસ્તા દરે અને તમામ સગવડો સાથે જમીનો ફાળવે છે. જ્યારે બીજી તરફ રાત-દિવસ મહેનત કરીને પેટિયુ રડતા ખેડૂતોની કિંમતી જમીનોમાંથી બળબજરીપૂર્વક લાઈનો પસાર કરીને નજીવું વળતર પધરાવી દે છે. આ પરિપત્ર ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડનારો અને ખાનગી ટ્રાન્સમિશન કંપનીને ફાયદો કરાવનારો છે.

About The Author

Top News

ચંપત રાયની જગ્યાએ અયોધ્યા શ્રી રામ મંદિરના મહામંત્રી બનનારા બજરંગ લાલ બાગડા કોણ છે?

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનની ચોરીનો મુદ્દો ખુબ ચર્ચાને ચગડોળે ચડ્યો છે, ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર...
National 
 ચંપત રાયની જગ્યાએ અયોધ્યા શ્રી રામ મંદિરના મહામંત્રી બનનારા બજરંગ લાલ બાગડા કોણ છે?

વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન તથા વીજ ટાવર ઉભા કરવા...
National 
વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?

થિયેટર પછી, હવે OTT પર પણ રોક! દિલજીતની 'સતલુજ' અચાનક ZEE5 પરથી હટાવી કેમ દેવામાં આવી

પંજાબના માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરા પર આધારિત ફિલ્મ દિલજીત દોસાંઝ અભિનીત 'સતલુજ' ( જેનું મૂળ નામ '...
Entertainment 
થિયેટર પછી, હવે OTT પર પણ રોક! દિલજીતની 'સતલુજ' અચાનક ZEE5 પરથી હટાવી કેમ દેવામાં આવી

‘67 પ્રશ્નો 2024ના પ્રશ્નપત્રમાંથી કોપી-પેસ્ટ કરાયા, વિકલ્પ...’, UGC NET પેપર પર હોબાળો; NTA સામે ફરિયાદ દાખલ

ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવા માટે જવાબદાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ફરી એકવાર ચર્ચામાં છે. દેશભરના લાખો યુવાનો વર્ષોથી અથાક...
Education 
‘67 પ્રશ્નો 2024ના પ્રશ્નપત્રમાંથી કોપી-પેસ્ટ કરાયા, વિકલ્પ...’, UGC NET પેપર પર હોબાળો; NTA સામે ફરિયાદ દાખલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.