ચંપત રાયની જગ્યાએ અયોધ્યા શ્રી રામ મંદિરના મહામંત્રી બનનારા બજરંગ લાલ બાગડા કોણ છે?

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનની ચોરીનો મુદ્દો ખુબ ચર્ચાને ચગડોળે ચડ્યો છે, ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સોમવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને તેમની જગ્યાએ બજરંગ લાલ બાગડાને ટ્રસ્ટના નવા મહામંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે આટલા પદ માટે જેમની નિમણૂક કરવામાં આવી, એ કોણ છે, તો તેમના વિશે અહિંયા આપણે જાણીએ.

02

બજરંગ લાલ બાગડા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય મહાસચિવ છે. તેમને મહાસચિવ પદ માટે સૌથી મજબૂત દાવેદાર એટલા માટે માનવામાં આવતા હતા કારણ કે VHP સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા ઉપરાંત, તેમને વહીવટી હોદ્દાઓનો વ્યાપક અનુભવ પણ છે. તેમણે અગાઉ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO)ના ચેરમેન તરીકે સેવા આપી હતી, જે કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલય હેઠળની એક મુખ્ય 'નવરત્ન' જાહેર ક્ષેત્રની કંપની છે.

બજરંગ લાલ બાગડા NALCOમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી VHPમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની સક્રિયતાને કારણે, તેમને VHPના આંતરરાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2024માં અયોધ્યામાં યોજાયેલી VHPની ગવર્નિંગ બોડી અને મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં તેમને આંતરરાષ્ટ્રીય મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બજરંગ લાલ બાગડાએ હિન્દુ સમાજ, વસ્તી, ધર્માંતરણ, મંદિરો અને ધાર્મિક બાબતો પર VHPના વિચારોનું મજબૂત પ્રતિનિધિત્વ કર્યું છે. રાજસ્થાનના સીકર જિલ્લાના વતની, બાગડા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જેમને સંગઠનાત્મક કામગીરી અને નાણાકીય વ્યવસ્થાપનનો વ્યાપક અનુભવ છે. ટ્રસ્ટને મહાસચિવ તરીકેની તેમની નિમણૂકથી ફાયદો થઈ શકે છે.

03

અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં દાનની કથિત ચોરી ઘણા દિવસોથી વિવાદનો વિષય બની રહ્યો છે. આ વિવાદ શરૂ થયા પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આ પહેલી બેઠક છે. આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. ટ્રસ્ટના 3 સભ્યોના નામ નક્કી થઈ શકે છે. આ બેઠક પછી આ નિર્ણય લેવા માટે બીજી બેઠક બોલાવવામાં આવે તેવી પણ શક્યતા છે.

આ બેઠકમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય વર્ષ 2025-26 માટે ઓડિટ રિપોર્ટ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત, નૃપેન્દ્ર મિશ્રા દ્વારા સૂચવવામાં આવેલા ટ્રસ્ટમાં મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની નિમણૂક અને મંદિરની વ્યવસ્થાપન પ્રણાલીમાં સુધારા સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

લગ્નના 5 મહિના પછી પત્નીએ જીવન ટુંકાવ્યું અને બેંક મેનેજર પતિ બાજુમાં ઉભો રહીને ફોટો લઇ રહ્યો હતો

લખનૌના પોશ ઇન્દિરાનગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. તેના લગ્નના 5 જ મહિના પછી એક નવપરિણીત યુવતીનો મૃતદેહ...
National 
લગ્નના 5 મહિના પછી પત્નીએ જીવન ટુંકાવ્યું અને બેંક મેનેજર પતિ બાજુમાં ઉભો રહીને ફોટો લઇ રહ્યો હતો

ચંપત રાયની જગ્યાએ અયોધ્યા શ્રી રામ મંદિરના મહામંત્રી બનનારા બજરંગ લાલ બાગડા કોણ છે?

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનની ચોરીનો મુદ્દો ખુબ ચર્ચાને ચગડોળે ચડ્યો છે, ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર...
National 
 ચંપત રાયની જગ્યાએ અયોધ્યા શ્રી રામ મંદિરના મહામંત્રી બનનારા બજરંગ લાલ બાગડા કોણ છે?

વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન તથા વીજ ટાવર ઉભા કરવા...
National 
વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?

થિયેટર પછી, હવે OTT પર પણ રોક! દિલજીતની 'સતલુજ' અચાનક ZEE5 પરથી હટાવી કેમ દેવામાં આવી

પંજાબના માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરા પર આધારિત ફિલ્મ દિલજીત દોસાંઝ અભિનીત 'સતલુજ' ( જેનું મૂળ નામ '...
Entertainment 
થિયેટર પછી, હવે OTT પર પણ રોક! દિલજીતની 'સતલુજ' અચાનક ZEE5 પરથી હટાવી કેમ દેવામાં આવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.