લગ્નના 5 મહિના પછી પત્નીએ જીવન ટુંકાવ્યું અને બેંક મેનેજર પતિ બાજુમાં ઉભો રહીને ફોટો લઇ રહ્યો હતો

લખનૌના પોશ ઇન્દિરાનગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. તેના લગ્નના 5 જ મહિના પછી એક નવપરિણીત યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો. મૃતકના માતા-પિતાએ તેના પતિ, જે એક ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર છે, તેની સામે ગંભીર અને ચોંકાવનારા આરોપો લગાવ્યા છે.

આરોપ છે કે ઘટના પછી, તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે, આરોપી પતિ મૃતદેહ સાથે ફોટા પડાવવાનું ચાલુ રાખ્યું. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી છે અને આરોપી પતિને કસ્ટડીમાં લીધો છે.

Lucknow Woman Death
aajtak.in

બિહારના બક્સરની રહેવાસી 24 વર્ષીય સોનાલીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભોજપુરના કમલાકાંત મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. કમલાકાંત ઇન્દિરાનગર (શિવાજીપુરમ)માં ભાડાના ફ્લેટમાં રહે છે અને એક ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર છે. સોનાલી 28 જૂને જ તેના પતિ સાથે રહેવા માટે લખનૌ આવી હતી, પરંતુ શનિવારે મોડી રાત્રે, તેનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં લટકતો મળી આવ્યો.

ઘટનાની માહિતી મળતાં, મૃતકનો પરિવાર રવિવારે બિહારથી લખનૌ પહોંચ્યો. ભાઈ અભિષેક ઓઝા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, ઇન્દિરાનગર પોલીસે પતિ કમલકાંત, સાસુ રમાવતી, સસરા શારદાનંદ, નણંદ ગિરિજા, જેઠ લક્ષ્મીકાંત અને જેઠાણી લક્ષ્મી સહિત 6 લોકો સામે દહેજ મૃત્યુનો કેસ નોંધ્યો છે.

Lucknow Woman Death
bhaskar.com

પોલીસને આપેલા નિવેદનમાં, મૃતકના ભાઈ અભિષેકે જણાવ્યું હતું કે, તેઓએ લગ્નમાં ખૂબ ખર્ચ કર્યો હતો, રૂ. 15 લાખ રોકડા અને આશરે રૂપિયા અઢી લાખનુ ફર્નિચર આપ્યું હતું. આમ છતાં, સાસરિયાઓ નાખુશ હતા. એવો આરોપ છે કે, પતિ અને તેનો પરિવાર સતત કાર અને મોટી રોકડની માંગણી કરતો હતો, જેના માટે સોનાલીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

ભાઈએ જણાવ્યું કે, શનિવારે રાત્રે, તેને તેના બનેવીનો ફોન આવ્યો જેમાં તેને જાણ કરવામાં આવી કે સોનાલીએ આત્મહત્યા કરી છે. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તે મૃત્યુ પામી હતી. પતિએ આ ઘટનાને આત્મહત્યા જેવી બનાવવાનું કાવતરું ઘડ્યું અને તેને હોસ્પિટલ લઈ જતા પહેલા તેના મૃતદેહ સાથે ફોટા પણ પડાવ્યા. બીજી બાજુ, અટકાયતમાં લેવાયેલા બેંકના ડેપ્યુટી મેનેજર કમલકાંતે પોલીસ પૂછપરછ દરમિયાન અલગ જ વાર્તા કહી.

Lucknow Woman Death
facebook.com

કમલકાંતના જણાવ્યા મુજબ, નોકરીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ હનીમૂન પર જઈ શક્યા ન હતા. તેઓ આ રવિવારે કાશ્મીર જવાના હતા, જેના માટે ફ્લાઇટ ટિકિટ એક મહિના અગાઉ બુક કરવામાં આવી હતી. કમલકાંતનો દાવો છે કે શુક્રવારે તેણે ફ્લાઇટ રદ કરી અને ટ્રેન ટિકિટ બુક કરાવી, જેનાથી સોનાલી ગુસ્સે થઈ ગઈ, જેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો. શનિવારે, તેણે સોનાલીને ટ્રેન ટિકિટ વોટ્સએપ કરી, અને જ્યારે તેણે ફોનનો જવાબ ન આપ્યો, ત્યારે તેણે મકાનમાલિકને તપાસ કરવા મોકલ્યો. જ્યારે તે પહોંચ્યો, ત્યારે દરવાજો અંદરથી બંધ હતો અને સોનાલી લટકતી હાલતમાં મળી આવી.

Lucknow Woman Death
bhaskar.com

પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારને સોંપ્યો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મુખ્ય આરોપી, પતિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં આ કેસ ઘરેલુ વિવાદ અને દહેજ ઉત્પીડન સાથે જોડાયેલો હોવાનું જણાય છે. હાલમાં, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવાઓની રાહ જોઈ રહી છે, જેના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શાળામાં બાળકને ગાયત્રી મંત્ર અને સરસ્વતી વંદના કે મંત્રો બોલવા દબાણ ન કરી શકાય, અબ્દુલ સલામ રિઝવી કેસમાં કોર્ટનો આદેશ

છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરતી વખતે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યની સરકારી શાળાઓમાં કોઈપણ બાળકને હિન્દુ ધાર્મિક...
National 
શાળામાં બાળકને ગાયત્રી મંત્ર અને સરસ્વતી વંદના કે મંત્રો બોલવા દબાણ ન કરી શકાય, અબ્દુલ સલામ રિઝવી કેસમાં કોર્ટનો આદેશ

લગ્નના 5 મહિના પછી પત્નીએ જીવન ટુંકાવ્યું અને બેંક મેનેજર પતિ બાજુમાં ઉભો રહીને ફોટો લઇ રહ્યો હતો

લખનૌના પોશ ઇન્દિરાનગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. તેના લગ્નના 5 જ મહિના પછી એક નવપરિણીત યુવતીનો મૃતદેહ...
National 
લગ્નના 5 મહિના પછી પત્નીએ જીવન ટુંકાવ્યું અને બેંક મેનેજર પતિ બાજુમાં ઉભો રહીને ફોટો લઇ રહ્યો હતો

ચંપત રાયની જગ્યાએ અયોધ્યા શ્રી રામ મંદિરના મહામંત્રી બનનારા બજરંગ લાલ બાગડા કોણ છે?

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનની ચોરીનો મુદ્દો ખુબ ચર્ચાને ચગડોળે ચડ્યો છે, ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર...
National 
 ચંપત રાયની જગ્યાએ અયોધ્યા શ્રી રામ મંદિરના મહામંત્રી બનનારા બજરંગ લાલ બાગડા કોણ છે?

વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન તથા વીજ ટાવર ઉભા કરવા...
National 
વીજ ટાવરોના મુદ્દે સરકારે જાહેર કરેલા વળતર સામે ખેડૂત સમાજ હજુ કેમ નારાજ છે, શું માંગ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.