સરકારી શાળાના રોમિયો શિક્ષકોથી વિદ્યાર્થિનીઓ પરેશાન, પાસ કરાવવાના નામ પર..

ઝારખંડના ગઢવામાં એક સરકારી શાળાની વિદ્યાર્થિનીઓને પરીક્ષા પાસ કરાવવાના નામ પર શારીરિક શોષણ કરવાની ઘટના સામે આવી છે. જાણકારી મળતા જ વાલીઓએ શાળામાં જઇને હોબાળો કર્યો. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પહોંચીને પોલીસે આરોપી શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધ્યો. સાથે જ શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ઘટના ખરૌંધી પેટાવિભાગના ઉચ્ચ વિદ્યાલય ભલુહીની છે. અહીંની વિદ્યાર્થિનીઓ સાથે અસ્થાયી શિક્ષકોની અશ્લીલ વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો.

ત્યારબાદ વિદ્યાર્થિનીઓના પરિવારજનો અને ગ્રામજનોએ જોરદાર હોબાળો કર્યો હતો. સાથે જ શાળાના આચાર્ય રાજારામ સિંહ, અસ્થાયી શિક્ષક નવલેશ સિંહ, વિભૂતિ નારાયણ સિંહ અને અન્ય શિક્ષકો પર કાર્યવાહીની માગને લઇને વિદ્યાલયમાં તાળાબંદી કરી દીધી. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પ્રભારી અભય કુમાર પોલીસ બળ સાથે પહોંચ્યાં અને લોકને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ભણાવવાનું ચાલુ કરાવી દીધું.

બીજી તરફ ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા કે શાળા પરિસરમાં આચાર્યની ઉપસ્થિતિમાં દારૂ-મરઘાં પાર્ટી થાય છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે વિદ્યાલયમાં અભ્યાસ ઓછો કરાવે છે અને શિક્ષક મોજ મસ્તી વધારે કરે છે. ગ્રામજનોએ શાળાના બધા શિક્ષકો પર કાર્યવાહી કરતા આ વિદ્યાલયથી હટાવવાની માગ કરી છે. શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલતા કરવાની આ ત્રીજી ઘટના છે.

આ શાળામાં આ અગાઉ બે વખત એક અસ્થાયી શિક્ષક પર વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ વાતચીત અને છેડછાડ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, મોબાઇલ પર ઘટનાની જાણકારી મળી છે. સાથે જ પેટાવિભાગના શિક્ષણ પ્રસાર અધિકારીએ લેખિતમાં અરજી આપી છે. આરોપી બંને શિક્ષકો પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તો પેટાવિભાગના પદાધિકારીએ જણાવ્યું કે, શિક્ષકોએ ખોટું કામ કર્યું છે. તેમની વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

સખત સલાહ આપતા કહ્યું કે, જે પણ શિક્ષક આ પ્રકારનું કામ કરે છે, તેના પર નિયમ સંગત કાર્યવાહી કરવામાં આવશે. આ ગંભીર ઘટના છે. જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશમાં શિક્ષકના ટૉર્ચરથી પરેશાન થઇને એક વિદ્યાર્થિની આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બુલંદશહરમાં એક DPSની 11માં ધોરણની વિદ્યાર્થિનીએ શિક્ષક પર પરેશાન કરવાનો આરોપ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીને ગંભીર હાલતમાં એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.