SIR ડ્યૂટી કરવાની ના પાડી તો શિક્ષામિત્રોની સેલેરી રોકી દીધી, મહિલા ટીચરને સસ્પેન્ડ કરી દીધી

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યમાં રોકાયેલા બૂથ લેવલ ઓફિસરો (BLOs)ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. SIRના કથિત તણાવને કારણે ઘણા BLOએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. SIR માટે BLO ફરજો બજાવવામાં માટે ખચકાટ અનુભવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં જ્યારે એક પ્રાથમિક શાળાના શિક્ષિકા અને 2 શિક્ષા મિત્રોએ તેમની ફરજો બજાવવાનો ઇનકાર કર્યો, ત્યારે ગુસ્સે ભરાયેલા જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારી (BSA)એ તેમના પગાર રોકવાનો આદેશ આપી દીધો.

આખો મામલો શું છે?

આજ તકના અહેવાલ મુજબ, સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની છે. અહી બાબીના વિધાનસભા મતવિસ્તારમાં ગણેશગઢ શાળામાં 2 શિક્ષા મિત્રોને SIRની ફરજો સોંપવામાં આવી હતી. પરંતુ, બંનેએ કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ, શિક્ષિકા રૂબી ગુપ્તાને ફરજ સોંપવામાં આવી હતી, પરંતુ રૂબી ગુપ્તાએ પણ ફરજ બજાવવાનો ઇનકાર કરી દીધો અને મેડિકલ લીવ લઈ લીધી. તેનાથી નારાજ થઈને BSA વિપુલ સાગરે રજા કેન્સલ કરી દીધી અને બંને શિક્ષા મિત્ર અને રૂબી ગુપ્તાના પગાર રોકવાનો આદેશ આપી દીધો. આટલામાં પણ રૂબી ગુપ્તા કામ પર પરત ન ફર્યા, ત્યારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

SIR
thehindu.com

અહેવાલ મુજબ, BSAએ સ્પષ્ટ કરી દીધું કે કોઈ રજા આપવામાં નહીં આવે અને વિશેષ પરિસ્થિતિઓમાં મેડિકલ લીવ માટે CMOનું સર્ટિફિકેટ લાવવું પડશે. BSAએ જણાવ્યું હતું કે SIRના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે, અને જો કોઈ બેદરકારીનો મામલો સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.