કાનપુરમાં 'નાક કટવા' (નાક કાપનાર)નો ડર... અડધો ડઝન લોકોના નાક કાપી નાંખ્યા! પીડિતોએ આખી વાર્તા સંભળાવી

કાનપુરના એક ગામમાંથી એક વિચિત્ર ડરાવનારી વાર્તા લોકોના મોઢે સંભળાઈ રહી છે. ગામમાં એક એવો માણસ છે જેને લોકો 'નાક કટવા' (નાક કાપનાર) કહેવા લાગ્યા છે. તેના પર એવો આરોપ છે કે, તે ઝઘડો કરીને સામેવાળાનું નાક કે આંગળી કાપી નાખે છે. બે વર્ષમાં તે અડધો ડઝનથી વધુ લોકોને પોતાના ગુસ્સાનો શિકાર બનાવી ચુક્યો છે. હવે કંટાળીને પીડિતો જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ પહોંચ્યા છે, જેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસનો આદેશ આપ્યો છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ આખો મામલો શું છે..

Kanpur-Nose-Cutting.jpg-3

આજકાલ, ઉત્તર પ્રદેશના કાનપુરના એક ગામમાં એક જાતનો ડર ફેલાઈ ગયો છે, આ ડર કોઈ જંગલી પ્રાણી કે ચોરોની ટોળકીનો નથી, પરંતુ એક માણસનો છે, જેને તેઓ 'નાક કટવા' કહે છે. ગામમાં જ્યારે પણ કોઈ ઝઘડો કે લડાઈ થાય છે, ત્યારે આ માણસ તેની સામેવાળી વ્યક્તિનું નાક કે આંગળી કાપી નાખવા માટે ઝનૂની બની જાય છે. અત્યાર સુધીમાં તે અડધો ડઝનથી વધુ લોકોને પોતાના આ કૃત્યનો ભોગ બનાવી ચુક્યો છે. આ વાર્તા એટલી જ વિચિત્ર છે જેટલી તે ધ્રુજારી પેદા કરનારી છે.

આ વાર્તા કોઈ અફવા નથી, પરંતુ અલવર નામના વ્યક્તિ વિશે છે. ગામલોકોનું કહેવું છે કે, જો કોઈ તેની સાથે ઝઘડો કરે છે, ભલે તે નાની દલીલ પણ કેમ ન હોય, તે સીધો ચહેરા પર હુમલો કરે છે... અને સામેવાળી વ્યક્તિનું નાક કાપી નાખે છે.

Kanpur-Nose-Cutting.jpg-2

પીડિત, દિવારી લાલ, અને તેનો ભાઈ, અવધેશ, ફરિયાદ લઈને કાનપુર જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસમાં પહોંચ્યા. તેના ચહેરા પર પાટો બાંધેલો હતો, તેની આંખો ગુસ્સા અને ભયથી ડરેલી હતી... દિવારી લાલે કહ્યું, 'સાહેબ, તે (અલવર) દારૂ પીને ઝઘડો કરવા લાગે છે અને સીધો નાક પર હુમલો કરે છે. તેણે મારું નાક કાપી નાખ્યું, મારા ભાઈનું પણ, અને મારા પર કુહાડીથી પણ હુમલો કર્યો. બે વર્ષમાં, તેણે પાંચ કે છ લોકોના નાક કાપી ચુક્યો છે.'

તેમની સાથે ઉમેશ ઉભો હતો, જેની વાર્તા બે વર્ષ જૂની છે. તેણે કહ્યું, 'મેં તેની સામે કેસ પણ દાખલ કર્યો. તેણે મારું નાક અને આંગળી કાપી નાખી. તે જેલમાં પણ ગયો... પરંતુ બહાર આવતાની સાથે જ તેણે ફરીથી એ જ કામ કરવાનું શરૂ કરી દીધું.'

ગ્રામજનોના મતે, લોકો અલવર સાથે વાત કરતા પણ ડરે છે. ખેતરમાં કામ કરતા હોય કે બીજા રસ્તે મુસાફરી કરતા હોય, જો તેઓ તેને આવતો જુએ છે, તો ઘણા લોકો પોતાનો રસ્તો બદલી નાખે છે. ગામની મહિલાઓ કહે છે કે, તેઓ તેમના બાળકોને એકલા બહાર મોકલતા નથી... જો કંઈક થઇ જાય તો શું થાય? 'નાક કટવા' કોઈ ભૂત કે રહસ્યમય પડછાયો નથી... પરંતુ એક માનવી છે, જે હિંસાને હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

Kanpur-Nose-Cutting.jpg-4

જ્યારે પીડિતો આ સનસનાટીભર્યા કેસ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા, ત્યારે તેમણે તપાસની ખાતરી આપી. આ દરમિયાન, વિસ્તારના ACP અમરનાથ યાદવે જણાવ્યું કે, 19 ઓક્ટોબરે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. બંનેને તબીબી સારવાર આપવામાં આવી, અને કલમ 151ની કાર્યવાહી શરૂ કરવામાં આવી. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે નાક કાપવામાં આવ્યું હતું. ઝઘડા દરમિયાન ઈજા થઈ હોઈ શકે છે.

આ નિવેદન ઘણા પ્રશ્નો ઉભા થાય છે. શું ખરેખર કોઈનું નાક કાપવામાં આવ્યું હતું, કે પછી તે માત્ર ઇજા થઇ હતી? અડધો ડઝન લોકો એક જ વ્યક્તિ પર સતત આરોપ કેમ લગાવી રહ્યા છે? લોકો કહે છે કે તેઓ વાઘ કે વરુથી ડરતા નથી... પરંતુ તેઓ આ માણસથી ડરે છે, જે માનવ માંસ પણ ચાવી જાય છે. શું આ ફક્ત મારપીટનો કેસ છે? કે પછી ખરેખર કોઈ એવો માણસ ગામમાં ફરતો હોય છે, જે ગુસ્સામાં આવીને નાક કાપતા પણ અચકાતો નથી?

About The Author

Top News

સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

ક્યારેક, એક નાનો નિર્ણય ક્રિકેટ મેદાન પર મોટો વિવાદ બની શકે છે. શુક્રવાર, 13 માર્ચે, મીરપુર (ઢાકા)ના...
Sports 
સલમાન આઘાના રન-આઉટ પર આટલો બધો હોબાળો કેમ? 78 વર્ષમાં થયેલા આ 4 વિવાદો આખી વાત સમજાવી દેશે

વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

ગુજરાત વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ...
Gujarat 
વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

ભારતમાં આગામી સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ વસૂલવાનો વિકલ્પ જોઈ...
Tech and Auto 
શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

હાલમાં દેશમાં ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી  એ કહ્યું છે કે આપણે જેમ કોરોનામાંથી સુપેરે બહાર આવી...
Opinion 
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.