જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ હુમલો જેને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ "અત્યંત ગંભીર અને અભૂતપૂર્વ" ગણાવ્યો બેસરન ખીણમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. 

બેસરન ખીણ, જેને 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે ઓળખવામાં આવે છે તે પહલગામથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આ વિસ્તારમાં પગપાળા અથવા ઘોડેસવારી દ્વારા જ પહોંચી શકાય છે જેના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ. સ્થાનિક સૂત્રો અનુસાર આતંકવાદીઓએ બપોરે લગભગ 2:30 વાગ્યે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા. હુમલાની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) લશ્કર-એ-તૈયબાની એક શાખાએ લીધી છે.

Pahalgam Baisaran Attack
newslivetv.com

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ પ્રવાસીઓની ઓળખ અને ધર્મ પૂછીને ગોળીબાર કર્યો જેમાં એક મહિલાએ જણાવ્યું કે તેના પતિને નિશાન બનાવવામાં આવ્યા. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘાયલોને હેલિકોપ્ટર અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી અને ખાતરી આપી કે "આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને બક્ષવામાં નહીં આવે." કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને કડક કાર્યવાહીની ચેતવણી આપી. 

Pahalgam Baisaran Attack
navbharattimes.indiatimes.com

આ હુમલાએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ખાસ કરીને જ્યારે અમરનાથ યાત્રા નજીક છે. સ્થાનિક નેતાઓ અને રાજકીય પક્ષોએ આ હુમલાને "કાશ્મીરની આતિથ્ય પર હુમલો" ગણાવી તેની નિંદા કરી છે.

About The Author

Related Posts

Top News

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

સળિયાના ભાવોમાં અચાનક ધરખમ વધારો કેમ થઇ ગયો?

બાંધકામના કોસ્ટમાં મોટો રોલ ભજવતા સળિયાના ભાવો થોડા સમય પહેલા તુટી રહ્યા હતા, પરંતુ હવે અચાનક ઉછાળો જોવા મળી...
Business 
સળિયાના ભાવોમાં અચાનક ધરખમ વધારો કેમ થઇ ગયો?

દેશના પ્રથમ ફોર-લેન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેને પહોળો કરાશે

ગુજરાતમાં સુવર્ણ ચતુર્ભુજ યોજના (Golden Quadrilateral Project) હેઠળ નિર્મિત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1) ને હવે વધુ પહોળો કરવામાં આવશે....
National 
દેશના પ્રથમ ફોર-લેન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેને પહોળો કરાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.