જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ હુમલો જેને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ "અત્યંત ગંભીર અને અભૂતપૂર્વ" ગણાવ્યો બેસરન ખીણમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. 

બેસરન ખીણ, જેને 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે ઓળખવામાં આવે છે તે પહલગામથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આ વિસ્તારમાં પગપાળા અથવા ઘોડેસવારી દ્વારા જ પહોંચી શકાય છે જેના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ. સ્થાનિક સૂત્રો અનુસાર આતંકવાદીઓએ બપોરે લગભગ 2:30 વાગ્યે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા. હુમલાની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) લશ્કર-એ-તૈયબાની એક શાખાએ લીધી છે.

Pahalgam Baisaran Attack
newslivetv.com

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ પ્રવાસીઓની ઓળખ અને ધર્મ પૂછીને ગોળીબાર કર્યો જેમાં એક મહિલાએ જણાવ્યું કે તેના પતિને નિશાન બનાવવામાં આવ્યા. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘાયલોને હેલિકોપ્ટર અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી અને ખાતરી આપી કે "આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને બક્ષવામાં નહીં આવે." કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને કડક કાર્યવાહીની ચેતવણી આપી. 

Pahalgam Baisaran Attack
navbharattimes.indiatimes.com

આ હુમલાએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ખાસ કરીને જ્યારે અમરનાથ યાત્રા નજીક છે. સ્થાનિક નેતાઓ અને રાજકીય પક્ષોએ આ હુમલાને "કાશ્મીરની આતિથ્ય પર હુમલો" ગણાવી તેની નિંદા કરી છે.

About The Author

Related Posts

Top News

પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ

(ઉત્કર્ષ પટેલ) રાજકોટના એક સામાન્ય વર્કશોપમાંથી શરૂ થયેલી યાત્રા આજે વૈશ્વિક ફલક પર ઝળકે છે. પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (પી.જી. જાડેજા)...
Opinion 
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.