કોર્ટમાં પહોંચવામાં વૃદ્ધ દંપતીને તકલીફ હતી, જજે બહાર આવી સાંભળ્યો કેસ, ઓટો રિક્ષા પર સંભળાવ્યો ચુકાદો

તેલંગાણાની નિઝામાબાદ કોર્ટમાં, એક ન્યાયાધીશ કોર્ટરૂમમાંથી બહાર આવીને ઓટો રિક્ષા પાસે આવીને કેસની સુનાવણી કરી અને પછી વૃદ્ધ દંપતી સામે દાખલ કરાયેલા કેસને ફગાવી દીધો. નિઝામાબાદ જિલ્લા કોર્ટમાં એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (JFCM) ફર્સ્ટ ક્લાસ E સાઈ શિવા દહેજના એક કેસની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી કે આ કેસમાં આરોપી દંપતી વૃદ્ધ અને કમજોર છે, તો તેઓ પોતે કોર્ટરૂમમાંથી બહાર આવ્યા અને કોર્ટના પગથિયાં પર ઉભા રહીને વૃદ્ધ દંપતીનું નિવેદન નોંધ્યું. ન્યાયાધીશે ત્યાં જ નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને કેસ ત્યાં જ રદ કરી દીધો.

court
msn.com

શું હતો આખો મામલો?

એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (JFCM) ફર્સ્ટ ક્લાસ E સાઈ શિવાના કોર્ટરૂમમાંથી પ્રોટોકોલ તોડીને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઈ સાંઈ શિવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તે ન્યાયાધીશના પોશાકમાં છે અને એક વૃદ્ધ મહિલાને કંઈક પૂછી રહ્યા છે. વૃદ્ધ દંપતીને વ્યક્તિગત રીતે મળવા અને આ હૃદયસ્પર્શી પગલું ભરવા બદલ ન્યાયાધીશ ઇ. સાઇ શિવાની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. નિઝામાબાદના બોધનમાં આવેલો આ દહેજ કેસ રુદ્રુર મંડળના રેકુર ગામ સાથે સંબંધિત છે. અહીંના રહેવાસી સયામ્મા અને ગંગારામ તેમની પુત્રવધૂ દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં નિયમિતપણે કોર્ટ સુનાવણીમાં હાજરી આપતા હતા. વૃદ્ધાવસ્થા હોવા છતાં, બંને કાનૂની પ્રક્રિયા પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા.

court2
nationalheraldindia.com

ન્યાયાધીશે છોડી પોતાની ખુરશી 

28 એપ્રિલના રોજ, વૃદ્ધ દંપતી ઓટો-રિક્ષામાં કોર્ટ પરિસરમાં પહોંચ્યા, પરંતુ શારીરિક નબળાઈને કારણે, તેઓ કોર્ટ રૂમમાં ચાલીને જઈ શક્યા નહીં. જ્યારે JFCM મેજિસ્ટ્રેટ ઇ. સાઈ શિવાને તેમની હાજરી અને સ્થિતિ વિશે જાણ કરવામાં આવી, ત્યારે તેઓ તેમની ખુરશી પરથી નીચે ઉતર્યા અને તેમને વ્યક્તિગત રીતે મળવા બહાર આવ્યા. મેજિસ્ટ્રેટે સ્થળ પર જ કેસની વિગતો તપાસી. બંને પક્ષોને સાંભળ્યા પછી અને સંજોગોનું મૂલ્યાંકન કર્યા પછી, તેમણે તારણ કાઢ્યું કે વૃદ્ધ દંપતીનો કોઈ વાંક નથી. આ પછી તેમણે કેસ રદ કરી દીધો.

સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા

જજ ઇ સાઈ શિવ દ્વારા લેવામાં આવેલા પગલાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક્સ પર અખિલ સિંહ નામના એક યુઝરે લખ્યું કે કોર્ટ રૂમમાં પહોંચવામમાં અસમર્થ એક વૃદ્ધ દંપતીના કેસની સુનાવણી માટે જેએફસીએમ મેજિસ્ટ્રેટ ઇ સાઈ શિવા નું બહાર આવવું તે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. આવી જ ટિપ્પણી  સૌરભ શોત્રિયાએ પણ કરી છે. તેમણે લખ્યું છે કે જજે ઓટો રિક્ષા પરનો કેસ જ ફગાવી દીધો.

About The Author

Related Posts

Top News

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસાફર અને ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) ...
National 
'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
Politics 
આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.