દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કરતા નારાજ પરિવારે સંબંધ તોડી દીકરીનું પિંડદાન કરી દીધુ

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં એક પરિવારે પોતાની જીવતી દીકરીનું દાન કરીને આશ્ચર્યચકિત કરી દીધી છે. તેનું કારણ છે આ પરિવારની યુવતીના લવ મેરેજ. પીડિત પરિવારનું કહેવું છે કે, પુત્રીએ તેમની જાણ વગર મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે.

દીકરીના આ પગલાથી સમગ્ર પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. હવે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ અગાઉ આ પરિવારે દીકરીનો શોક સંદેશ છપાવીને વહેંચ્યો હતો. આ કાર્ડમાં પરિવારે 'સુપુત્રી'ને બદલે 'કુપુત્રી' લખાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, અમખેરામાં રહેતા બ્રાહ્મણ પરિવારની અનામિકા દુબેએ અયાઝ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. દીકરીના આ પગલાથી આખો પરિવાર ખૂબ જ નારાજ થઈ ગયો. રોષે ભરાયેલા સંબંધીઓને પુત્રીના મૃત્યુ માટે શોક સંદેશ છપાવ્યો હતો. જેમાં તેઓએ તેને કુપુત્રી અને નરક નિવાસી ગણાવી હતી. આ સાથે 11 જૂનના રોજ ગ્વારીઘાટ પર તેના પિંડદાન અને પ્રેતભોજનની માહિતી આપવામાં આવી હતી. આ પછી આજે સવારે હિંદુ ધર્મના રિવાજો મુજબ તેનું પિંડદાન કરવામાં આવ્યું હતું.

હકીકતમાં, આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે અનામિકા 2 જૂનના રોજ તેના ઘરવાળાઓને જાણ કર્યા વિના તેના ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર પછી પરિવારજનોને અનામિકા અને અયાઝના લગ્નની માહિતી મળી હતી. બંનેએ મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. પરંતુ તેમના સંબંધીઓને લગ્ન અંગે કોઈ સૂચના મળી ન હતી. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ SP ઓફિસમાં ફરિયાદ નોંધાવી, અયાઝ પર તેમની પુત્રીને લલચાવી-ફોસલાવીને તેની સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

અનામિકાના સંબંધીઓએ રજિસ્ટ્રાર પર પણ યુવકના સંબંધીઓ સાથે મળીને નકલી લગ્ન કરાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ તે પછી પરિવારે તેમના સ્તરે અનામિકાને મૃત જાહેર કરી છે. અનામિકાની માતા અન્નપૂર્ણા દુબેનું કહેવું છે કે, તેણે જે પુત્રીને તેના ગર્ભમાં ઉછેરી છે તેણે તેની સાથે દગો કર્યો છે. એટલા માટે તેણે તેનું પિંડ દાન કરી દીધું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજસ્થાનમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવતીએ તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. જો કે છોકરો અને છોકરી એક જ સમાજના છે, પરંતુ ત્યાં પુત્રીના કૃત્યથી હતાશ થયેલા પરિવારજનોએ તેનો શોક સંદેશો છપાવ્યો હતો. આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેના માતા-પિતાને ઓળખવાની ના પાડી દીધી હતી. આ કારણે ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેનો શોક સંદેશો છપાવી દીધો અને પહિર ગૌરણી ભોજન (મૃત્યુ ભોજન)ની જાહેરાત કરી દીધી.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.