જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભાજપના કેબિનેટ મંત્રી અરવિંદ શર્મા અને ભાજપના ધારાસભ્ય રામકુમાર ગૌતમ એકબીજા સાથે બાખડી પડ્યા હતા. ગોહાનાની પ્રખ્યાત જલેબીથી શરૂ થયેલી વાતચીત, ગોબર સુધી પહોંચી ગઇ હતી. પરસ્પર નોંકઝોક દરમિયાન સદનની અંદર અભદ્ર શબ્દો પણ બોલવામાં આવ્યા હતા, જેને બાદમાં વિધાનસભાના અધ્યક્ષે સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધા હતા.

BJP-ML1
indianexpress.com

વાસ્તવમાં, જીંદના સફીદોથી ભાજપના ધારાસભ્ય રામકુમાર ગૌતમે ગોહાનાની જલેબીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એવું કહેવાય છે કે ગોહાનાની જલેબી દેશી ઘીથી બને છે, પરંતુ એવું નથી. ત્યાં દેશી ઘીની જગ્યાએ અન્ય વનસ્પતિ તેલોનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ જ ગંદકી છે, કોઈ ભૂલથી પણ ગોહાનાની જલેબી ન ખાય. તેના પર કેબિનેટ મંત્રી અરવિંદ શર્માએ પલટવાર કરતા કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય રામ કુમાર ગૌતમે તો શરત લગાવીને 10 કિલો ગોબર પણ ચટ કરી ગયા હતા. રામકુમાર ગૌતમ તેનાથી એટલા ગુસ્સે થઇ ગયા કે તેમણે પોતાની જ સરકારના મંત્રી અરવિંદ શર્મા પર એક બાદ એક ભ્રષ્ટાચારનો આરોપ લગાવી દીધા.

રામકુમાર ગૌતમે કહ્યું કે, અરવિંદ શર્માએ પેટ્રોલ પંપ અપાવવાના નામ પર પૈસા લીધા હતા, મારા સંબંધી પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. અરવિંદ શર્મા મંત્રી બન્યા, પરંતુ મંત્રી બનવા માટે લાયક નથી. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ હરવિન્દ્ર કલ્યાણે કડક સ્વરમાં કહ્યું કે, આ પ્રકારનું વર્તન સદનમાં માન્ય નથી. તેમણે અરવિંદ શર્મા તરફથી રામકુમાર ગૌતમ પર કરવામાં આવેલી ટિપ્પણીમાં ઉપયોગ થયેલા શબ્દોને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધા.

BJP-MLA
bhaskar.com

તેમણે કહ્યું કે, સદનમાં આવા વ્યવહાર માટે કોઈ જગ્યા નથી. આ ઘટનાએ વિધાનસભામાં એક અસહજ સ્થિતિ ઉત્પન્ન કરી દીધી, પરંતુ સ્પીકરની કાર્યવાહીએ વિવાદ કેટલીક હદ સુધી શાંત કર્યો હતો.

Related Posts

Top News

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.