સાસુ પોતાના જ જમાઈના પ્રેમમાં પડી, પતિને આ રીતે ચકમો આપીને ભાગી ગઈ

કહેવાય છે કે પ્રેમ એ બે હૃદય વચ્ચેનો શુદ્ધ સંબંધ છે. પ્રેમની આ અનોખી શક્તિ છે કે પ્રેમમાં ડૂબેલી વ્યક્તિ કોઈપણ મર્યાદામાંથી પસાર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે પ્રેમમાં ન તો ઉંમરની મર્યાદા હોય છે કે ન તો સંબંધ, બસ થાય છે અને ક્યારે કોની સાથે થઈ જાય છે તે ખબર નથી. પરંતુ જ્યારે પ્રેમની આ વાર્તા સંબંધોના આદર અને ગરિમાને પાર કરે છે, ત્યારે સમાજમાં તેને કોઈપણ કિંમતે સ્વીકારવામાં આવતી નથી.

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમ અને પછી બંને સાથે ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. જમાઈએ પહેલા સસરાને ખૂબ દારૂ પીવડાવીને બેભાન કર્યા અને પછી સાસુ સાથે ફરાર થઈ ગયો. બાદમાં હોશમાં આવતા પીડિતે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ઘટના સિરોહી જિલ્લાના અનાદરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, અહીંના સિયાકરા ગામમાં એક સાસુને તેના જમાઈ સાથે પ્રેમ થઈ ગયો. મહિલાના પુત્રીના પતિ સાથે જ અવૈધ સંબંધો હતા. 40 વર્ષની સાસુ તેના 27 વર્ષના જમાઈ સાથે લગ્ન કરવા માગતી હતી. બંનેએ ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો. 30 ડિસેમ્બરના રોજ પ્લાન મુજબ બંને ભાગી ગયા હતા.

પીડિત વ્યક્તિએ કહ્યું કે, તેણે પુત્રીના લગ્ન મામાવલી નિવાસી નારાયણ જોગી સાથે કર્યા હતા. લગ્ન પછી દીકરી અને જમાઈનું ઘરે આવવા-જવાનું થતું રહેતું હતું. 30 ડિસેમ્બરે જમાઈ ઘરે એકલા આવ્યા ત્યારે તેમની સાથે પાર્ટી કરી હતી. આ દરમિયાન જમાઈએ તેને ખૂબ દારૂ પીવડાવ્યો હતો. તે ખૂબ જ નશામાં આવી ગયો હતો અને તે ઘરમાં જઈને સુઈ ગયો. પછી જયારે ઉંઘ ઉડી ત્યારે પત્ની અને જમાઈ ઘરમાંથી ગાયબ હતા.

રમેશે તેની પત્નીની અહી-ત્યાં શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. જે બાદ રમેશે તપાસ કરતાં ખબર પડી કે તેની પત્નીને તેનો જમાઈ નારાયણ સમજાવી પટાવીને ભગાડી ગયો હતો. રમેશની દીકરી મામાવલી તેના સાસરે હતી. જે બાદ સસરાને સમગ્ર ઘટનાની જાણ થઈ. આના પર તે પોલીસ પાસે પહોંચ્યો અને જમાઈ વિરુદ્ધ ફરિયાદ આપી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

સ્ટેશન ઈન્ચાર્જ બલભદ્ર સિંહે કહ્યું કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં મહિલાને ત્રણ પુત્રી અને એક પુત્ર હોવાનું બહાર આવ્યું છે. ચારેય બાળકો પરિણીત છે. જમાઈ પણ ત્રણ બાળકોના પિતા હતા. સાસુ ઉપરાંત જમાઈ પોતાની એક દીકરીને પણ સાથે લઈ ગયો છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.