BJPના પોસ્ટરવાળા વૃદ્ધે કહ્યું, મને બદનામ કરી નાંખ્યો, ભાજપ સામે કેસ કરીશ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ તરફથી ‘નહીં સહેગા રાજસ્થાન’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ અભિયાનમાં ભાજપે ખેડુતો સાથે જોડાયેલા પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર પર લખવામાં આવ્યુ છે કે ‘19 હજારથી વધુ ખેડૂતોની જમીનની હરાજી, રાજસ્થાન સહન નહીં કરે’આ પોસ્ટર પર એક ખેડૂતનો ફોટો પણ છે. આ ફોટો રામદેવરાના માધુરામ જયપાલ ખેડૂતનો છે.આ ખેડૂતે દાવો કર્યો છે કે તેમના ફોટાનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ મારું અને મારા પરિવારનું અપમાન થયું છે.

ખેડુતનું એ પણ કહેવું છે કે ન તો તેના માથે કોઇ દેવું છે કે ન તો તેની કોઇ જમીનની હરાજી થઇ છે. ખેડુતે કહ્યું કે, હું પોતે 200 વિઘા જમીનનો માલિક છું. પોસ્ટર પર મંજૂરી વગર ફોટો છાપવાને કારણે ધુંઆફુંઆ થયેલા ખેડુતે કહ્યુ હતું કે હું ભાજપ સામે કેસ કરીશ.

મામલો જેસલમેર જિલ્લાના રામદેવરાનો છે.ખેડૂત માધુરામ જયપાલનું કહેવું છે કે ભાજપના બેનર પરનો ફોટો તેમનો છે. તેમણે કહ્યું કે તેને ગામના એક યુવક પાસેથી બેનર પર તેનો ફોટો લગાવવાની જાણકારી મળી હતી. માધુરામે જણાવ્યું કે તેમના ગામનો એક યુવક થોડા દિવસ પહેલા જયપુર આવ્યો હતો અને તેણે જયપુરમાં અનેક સ્થળોએ મારા ફોટા સાથેના પોસ્ટરો જોયા હતા. તેણે પોસ્ટરનો ફોટો પાડીને અમારા ગામના એક વ્હોટ્સેપ ગ્રુપમાં શેર કર્યો હતો. એ ગ્રુપમાં મારો પુત્ર છે એણે ફોટો જોયો અને મને વાત કરી હતી.

માધુરામે કહ્યુ કે, જ્યારે મારા પુત્રએ મને વાત કરી તો પહેલાં તો મને કશી સમજ જ પડી નહોતી. કારણકે પોસ્ટરમાં જમીનની હરાજીની વાત લખવામાં આવી હતી. મારી કોઇ જમીનની હરાજી થઇ નથી. મને પુછ્યા વગર જ ભાજપ વાળાએ પોસ્ટરમાં ફોટો લગાવી દીધો હતો. ખેડુતે કહ્યુ કે ભાજપ મારો ફોટો તાત્કાલિક હટાવી દે. માધુરામે કહ્યુ કે, જો મારી જમીન હરાજી થાય છે અથવા મારા ઉપર દેવું છે તો સરકાર દેવું માફ કરે કે જમીન દબાવે?

માધુરામે કહ્યુ કે આ વિશે ભાજપના સ્થાનિક નેતા નારાયણ સિંહને રૂબરૂ મળીને વાત કરી હતો તેમણે કહ્યું હતું કે મને એ વાતની ખબર નથી કે ફોટો કોણે લગાવ્યો.

માધુરામે કહ્યું કે એક મહિના પહેલાં 2 યુવકો મોટા મોટા કેમેરા લઇને મારા ગામમાં આવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે પાક ખરાબ થયો હોય તેનો રિપોર્ટ બનાવવા આવ્યા છે, સરકાર તરફથી વળતર આપવામાં આવશે. એટલે ભોળા ભાવે મેં ફોટો પડાવ્યો હતો, પરંતુ 2 યુવાનોએ ભાજપના અભિયાન વિશે કોઇ વાત કરી નહોતી.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.